SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી महाराजस्य राजतिराजस्य देवपुत्रस्य पाहिकनिष्कस्य सं. ७ हे. १ दि. १०५, एतस्य पूर्वायां अर्य(उ)देहिकियातो गणातो, आर्यनागभूतिकियातो कुलातो, गणिअ आर्यबुद्धिसिरिस्स शिष्यो वाचको आर्यसेनिकस्स भगिनी. (વન સિંપિતા, પૃ. ૨૪) અર્થાત્ કનિષ્ઠ સં. ૭ ચૈત્ર શુદિ ૧૫ દિને ઉદ્દેહગણ નાગભૂય કુલના આચાર્ય આર્ય બુદ્ધિશ્રીના શિષ્ય વાચક આર્ય શ્રેણિકની બેન આ પ્રમાણે તે સમયના શિલાલેખોવાળી ઘણી જિનપ્રતિમાઓ મથુરામાં વિદ્યમાન હતી. જિનપ્રતિમાઓની પ્રાચીનતા સાબિત કરવામાં આ શિલાલેખો પણ મોટો ફાળો આપે છે, સાથોસાથ “શ્વેતાંબર જૈનધર્મ જ અસલી જૈનધર્મ છે.” એ વાતને પણ આ શિલાલેખ બહુ જ સ્પષ્ટ કરી દે છે. આચાર્ય શ્રી આર્યદિન્નસૂરિ – તેમને મુખ્ય બે શિષ્યો હતા. ૧. આર્ય શાંતિશ્રેણિક. ૨. આર્ય સિંહગિરિસૂરિ આ અરસામાં જૈનશાસનમાં ઘણા પ્રભાવક પુરુષો થયા છે, જેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે. આર્ય શ્યામાચાર્ય, આર્ય શાંડિલ્યસૂરિ, આર્ય કાલકસૂરિ, આર્ય ખપૂટાચાર્ય, આ. પાદલિપ્તસૂરિ, આ. રુદ્રદેવસૂરિ, આ. શ્રમણસિંહસૂરિ, આ. ધર્મસૂરિ, આ. વૃદ્ધવાદિસૂરિ અને આ. સિદ્ધસેન દિવાકર તથા સમ્રાટ વિક્રમાદિત્ય અને રાજા સાતવાહન વગેરે. બીજા કાલકાચાર્ય (કાલકસૂરિ) : तह गद्दभिल्लरजस्स, छेयगो कालिगायरिआ होही । तेवण्णचउसएहिं, गुणसयकलिओ सुअपउतो ॥ छत्तीस गुणोववेओ, गुणसयकलिओ पहाजुत्तो । (અપાપાબૃહકલ્પ, દુસ્સમકાલસમણસંઘથય અવચૂરિ) આ નામના ચાર આચાર્યો થયા છે, જેમાંના એક આર્ય શ્યામાચાર્ય. ચોથનું સંવત્સરી મહાપર્વ (બીજા) આ. કાલકસૂરિ વિહાર કરી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર પધાર્યા. આ અરસામાં પ્રતિષ્ઠાનપુરમાં સાતવાહન રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy