SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી. ખૂબ પ્રશંસા કરે છે અને કલ્પસૂત્રની “સ્થવિરાવલી' માં તેમનું નામ આપી તેમના ગુરુભાઈ આર્ય જંબૂથી પોતાની પટ્ટાવલી જોડે છે. આથી એમ માની શકાય છે કે આ. સ્કંદિલ સમર્થ ગણાચાર્ય તેમજ અજોડ વાચનાચાર્ય હતા. ૨૦. હિમવંત ક્ષમાશ્રમણ : જેઓ પૂર્વના પણ જ્ઞાતા હતા. ૨૧. આ. નાગાર્જુનસૂરિ : ૨૨. આ. ભૂતદિન્ન : ૨૩. આ. લોહિત્યસૂરિ : ૨૪. આ. દુષ્યગણિ : ૨૫. દેવવાચક : આચાર્ય શ્રીદેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ જ વાચનાચાર્ય દેવવાચક છે. તેઓ આર્ય શ્રીવજસ્વામીની એક શ્રમણ પરંપરાના ગણનાયક હતા અને વાચકવંશના વાચનાચાર્ય પણ હતા (વિચારશ્રેણિ). આ. સ્કંદિલસૂરિએ કરેલી ચોથી માથરીવાચનાના આગમોનો વારસો તેમની પાસે હતો. આ સમયે આ. નાગાર્જુનસૂરિની પરંપરામાં આ. કાલિકસૂરિ (ચોથા) વિદ્યમાન હતા. આ. નાગાર્જુનસૂરિની ચોથી વલભીવાચનાનો વારસો તેમની પાસે હતો. આ બંને આચાર્યોએ મળી વલભીમાં પાંચમી આગમવાચના કરી. એ જ કાલિકસૂરિ પછી આ. સત્યમિત્ર યુગપ્રધાન થયા છે જે છેલ્લા પૂર્વવિદ્ હતા. ત્યાર પછી વાચકવંશ આગળ ચાલ્યો નથી. અહીં નંદીસૂત્રના આધારે આ વાચકવંશ બતાવ્યો છે. નંદીસૂત્ર પ્રમાણે ગણધર શ્રી સુધર્માસ્વામીથી પચીસમા વાચનાચાર્ય આ દેવદ્ધિ છે. હિમવંત સ્થવિરાવલી’ અને ‘નંદીસૂત્રની ટીકા'માં પણ આ જ આચાર્યક્રમ મળે છે. વળી કૃષ્ણર્ષિગચ્છના આ. જયસિંહસૂરિએ ધર્મોપદેશમાળા' ના સ્વોપજ્ઞ વિવરણને અંતે ગણધરો તથા વાચનાચાર્યો બતાવ્યા છે, તેમાં આ. દેવદ્ધિને આર્ય શ્રી જંબુસ્વામીથી ચોવીસમાં આચાર્ય ઉલ્લેખ્યા છે, એટલે શ્રીસુધર્માસ્વામીથી આ દેવદ્ધિગણી પચીસમા વાચનાચાર્ય છે; એ વાત નક્કર છે અને એ રીતે નંદીસૂત્રનો વાચનાચાર્ય ક્રમ બરાબર છે. [આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ (ચાલુ)] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy