SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સ્થવિરાવલી નક્કી છે કે તેઓ આર્યજીત વ્યવહારને સંપૂર્ણ વફાદાર હતા. તપગચ્છ પટ્ટાવલી” માં લખ્યું છે કે તેમણે “જીતમર્યાદા' નામનું શાસ્ત્ર બનાવ્યું છે. ‘હિમવંત સ્થવિરાવલી' માં તેમને આર્યજીત નામના શિષ્ય હોવાનો ઉલ્લેખ છે. 'પ્રભાવક ચરિત્ર' ના ઉલ્લેખ પરથી અનુમાન કરી શકાય છે કે આ. વૃદ્ધવાદિસૂરિ તેમના શિષ્ય હતા. આર્ય સ્કંદિલ (પંડિલ) સૂરિથી પાંડિલગચ્છ નીકળ્યો છે, જે ગષ્ણવ્યવસ્થા થઈ ત્યારે ચંદ્રગચ્છમાં સામેલ થયો હતો. ૧૩. આર્ય સમુદ્ર : ૧૪. આર્ય મંગુસૂરિ : ૧૫. આર્ય નંદિસૂરિ : ૧૬. આ. નાગહસ્તિસૂરિ : ૧૭. આ. રેવતીનક્ષત્ર : ૧૮. આ. સિંહસૂરિ : ૧૯. આ. સ્કંદિલઃ તેમનું નામ સોમરથ હતું. તે મથુરાના રહેવાસી, ધર્મ જૈન, બ્રાહ્મણ મેઘરથ અને રૂપરેખાના પુત્ર હતા. તેમણે આર્ય વજસ્વામી અને આર્ય રથસૂરિની પરંપરાના કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્યધર્મ પાસે દીક્ષા લીધી હતી અને બ્રહ્મક્રીપિકા શાખાના આ. સિંહસૂરિ વાચનાચાર્ય પાસેથી આગમ તથા પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ મેળવ્યું હતું. યુગપ્રધાનમંત્રના આધારે તેમનો વાચનાચાર્ય-કાળ વીર સં. ૮ર૬નો છે. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય હતા. આ અરસામાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં સંઘર્ષ ચાલ્યો, મધ્ય ભારતમાં હૂણો અને ગુણોનું ભયંકર યુદ્ધ થયું અને બારવર્ષ દુકાળ પડ્યો. એટલે જૈનમુનિઓની વિશેષત: મૃતધરોમાં સંખ્યા ઘટી ગઈ. પરિણામે આગમોનો વિચ્છેદ થવાની સ્થિતિ આવી પડી. આ કટોકટીમાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં આ. સ્કંદિલસૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં અને આ. નાગાર્જુને દક્ષિણપથના મુનિઓને વલભીમાં એકઠા કરી ચોથી આગમવાચના કરી અને જિનાગમોને પુસ્તકરૂપે લખ્યાં. દેવર્કિંગણી ક્ષમાશ્રમણ “નંદીસૂત્રની પટ્ટાવલીમાં વાચનાચાર્ય સ્કંદિલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy