SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી સંપ્રતિ રાજાએ જૈનધર્મનો સ્વીકાર કર્યા પછી સવા કરોડ (સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, છત્રીસ હજાર પ્રાચીન જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, સવા લાખ નવાં જિનમંદિરો બંધાવ્યા અને સાતસો દાનશાળાઓ ખુલ્લી મુકાવી. તેના રાજ્યમાં જનતાને કદી પણ ખાવાપીવાનું દુઃખ નથી પડ્યું. તેણે પોતાના રાજ્યમાં કોઈ પણ ભૂખે ન મરે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. સંપ્રતિ ગરીબોનો બેલી; દીન, દુઃખી અને નિરાધારોનો આધાર બની રહ્યો હતો. સમ્રાટ સંપ્રતિએ પોતાનાં અસૂર્યપશ્યા રાજરાણીઓ, રાજકુમારીઓ, રાજકુમારો અને સામંતોને પણ સાધુ બનાવી દૂર સુદૂર પ્રદેશોમાં વિહાર કરાવ્યો હતો અને જૈન ધર્મનો વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતો. ચીન, બર્મા, સિલોન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન વગેરે દૂર દૂર પ્રદેશોમાં જૈનધર્મનો સંદેશ પહોંચાડયો હતો અને આંધ્ર, તામિલ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગૂર્જર, માળવા, રાજપૂતાના વગેરે પ્રાંતોમાં પણ જૈનધર્મની જ્યોતિને વધુ ઉજ્જવલ, જ્વલંત અને દઢ બનાવી હતી. (‘બૃહત્કલ્પસૂત્ર' ઉ. ૧, સૂ. પાંચ નિર્યુક્તિ ગાથા ૩૨૭૫ થી ૩ર૮૯) (અજમેર જિલ્લાના બર્લી નામના ગામમાં વીર સંવત ૮૪, વિ. સં. પૂર્વે ૩૮૬, ઈ.સ.પૂર્વે ૪૪૩નો એક શિલાલેખ મળ્યો છે, કે જે “અજમેર” ના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે પરથી અનુમાન થાય છે કે અશોકથી પહેલાં પણ રજપૂતાનામાં જૈનધર્મનો પ્રચાર હતો. જૈન લેખકોનો એ મત છે કે, રાજા સંપ્રતિ કે જે અશોકનો રાજવંશ જ હતો, તેણે જૈનધર્મની ઘણી ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાંક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. વિ.સં. બીજી શતાબ્દીમાં બનેલા મથુરાના કંકાલીટીલાવાળાં જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનોથી મળેલાં પ્રાચીન શિલાલેખો તથા મૂર્તિઓથી માલૂમ પડે છે કે તે સમયે પણ અહીં રાજપૂતાનામાં જૈનધર્મનો સારો પ્રચાર હતો.) ('રાજપૂતાને કા ઈતિહાસ’) પ્રસિદ્ધ આર્યાઓ આર્ય સુહસ્તિસૂરિનો સાધ્વીસમુદાય પણ વિશાળ હતો પરંતુ તેમાં ૧. યક્ષા, ૨. લક્ષદિન્ના, ૩. ભૂતા, ૪. ભૂતદિન્ના, ૫. સેણા, ૬. વેણા, ૭. રેણા એ સાત આર્યાઓનો પરિવાર મુખ્ય હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy