SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી આ. શય્યભવસૂરિ મગધની પ્રાચીન રાજધાની રાજગૃહી નગરીના વત્સગોત્રીય ક્રિયાચુસ્ત બ્રાહ્મણ હતા. તેઓ ગૃહસ્થ જીવનમાં જ વિદ્વાન હતા. જૈનધર્મના સોળમા તીર્થકર શ્રીશાંતિનાથજીની મૂર્તિના દર્શનથી શäભવ પ્રતિબોધિત થયા. શ્રી પ્રભવસ્વામીની અમૃતથીયે મીઠી અને વાત્સલ્યભરી વાણી સાંભળી શ્રી શય્યભવ ભટ્ટ પ્રમુદિત થયા. તેમણે શ્રીપ્રભવસ્વામીની પાસેથી ધર્મતત્ત્વ સમજી લઈ તરત જ શિષ્યપણું સ્વીકાર્યું, ને જૈન દીક્ષા લઈ શäભવ મુનિ થયા. આ શ્રુતકેવલીએ જિનાગમરૂપ અમૃતપાનના ઓડકારરૂપ જ હોય તેમ શ્રીદશવૈકાલિકસૂત્ર' ની રચના કરી છે. આચાર્ય શ્રીયશોભદ્રસૂરિ :- શ્રીશäભવસૂરિએ “અહિંસા પરમો ધર્મનો વિજયનાદ ગજાવી યજ્ઞમાં થતો નિર્દોષ પશુઓનો બલિવધ બંધ કરાવ્યો અને દુનિયાને સાચી શાંતિ માટે અહિંસા, સંયમ અને તપનાં અમી પાયાં. આ. યશોભદ્રસૂરિ પણ એ જ શ્રમણ પરંપરાના ધોરી માર્ગે ચાલ્યા. તેમણે ૨૨ વર્ષ ગૃહસ્થદશામાં અને ૬૪ વર્ષ સંયમમાં ગાળ્યાં, એમાં ૧૪ વર્ષ સામાન્ય વ્રતપર્યાયનાં અને ૫૦ વર્ષ યુગપ્રધાનપદનાં કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળી વીર સં. ૧૪૮માં તેઓ સ્વર્ગે સંચર્યા. - આચાર્ય શ્રીસંભૂતિવિજયસૂરિ તેમનાં ૪૨ વર્ષ ગૃહસ્થજીવનમાં અને ૪૮ વર્ષ સાધુજીવનમાં ગયાં. તેમાં પણ ૪૦ વર્ષ સામાન્ય મુનિરૂપે અને ૮ વર્ષ યુગપ્રધાનપણે વ્યતિત થયાં છે. તેમનું વીર સં. ૧૫૬માં ૯૦ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું. આચાર્ય શ્રીભદ્રબાહુસ્વામી ભિન્ન ભિન્ન મતિધરોએ તેમને નીચે મુજબ સ્તવ્યા છે : वंदामि भद्दबाहुं, पाईणं चरिमसयलसुयनाणीं । सुत्तस्स कारगमिसिं, दसासुय-कप्पे च ववहारो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy