SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ સ્થવિરાવલી પાટલીપુત્રની સ્થાપના થઈ છે. એની સમૃદ્ધિમાં એ જૈન રાજવીએ જે સંસ્કારોનું બીજારોપણ કર્યું તેને પ્રજાવર્ગે વિકસાવી ભારતમાં અજોડ બનાવ્યું આર્યશ્રી પ્રભવસ્વામી - જંબુસ્વામીના નિર્વાણ પછી પ્રભવસ્વામી નામે જૈન જગતના સમર્થ આચાર્ય થયા. પ્રભવસ્વામીની ઉંમર ૧૦૫ વર્ષની છે. વીર સં. ૧માં દીક્ષા, વીર સં. ૬૪માં યુગપ્રધાનપદ અને વીર સં. ૭૫માં સ્વર્ગવાસ - એમ કુલ ૧૦૫ વર્ષનું આયુષ્ય થયું. જૈન તીર્થો - આ અરસામાં નીચેનાં જૈન તીર્થો સ્થપાયાં છે. શ્રીમાલનગર-આ પણ પ્રાચીન જૈન ભૂમિ છે. “મન્ડ જિણાણ” ની ટીકા “ઉપદેશકલ્પવલ્લી'માં આ નગરના ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ અને ૪ ભિન્નમાલ-એમ ચાર નામો મળે છે. આજ સુધીના શિલાલેખો, ગ્રંથપ્રશસ્તિઓ તથા પુષ્પિકાઓમાં શ્રીમાલ અને ભિન્નમાલ એ બંને નામો બરાબર મળ્યા કરે છે. પ્રબંધચિંતામણિ'ના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં માળવામાં વૃદ્ધભોજ રાજા થયો ત્યારે શ્રીમાલ નગરનું ભિન્નમાલ એવું નામ પડ્યું. ઓસિયા તીર્થ – શ્રીમાલનગરના રાજકુમાર સુરસુંદર અને મંત્રીપુત્ર ઉડે ઉપકેશ (ઓસિયા) નગર વસાવ્યું. આ. રત્નપ્રભસૂરિએ અહીં વીર સં. ૭૦માં ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી ત્યારથી આ તીર્થ બનેલું છે. આ સિવાય ઘાંઘાણી તીર્થ પણ ઉપકેશગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલું પ્રાભાવિક તીર્થ છે. જૈન મંત્રીવંશ – રાજા શ્રેણિકને મહાબુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયકુમાર હતો. ત્યાર પછીના નંદવંશના નવે નંદ રાજાઓના રાજકાળમાં એક મહાપ્રતાપી, શક્તિશાળી અને દુર્દીત જૈન મંત્રીવંશ થયો છે, જેની ખ્યાતિ આજ સુધી ગવાય છે. એનો આદિપુરુષ છે મંત્રીશ્વર કલ્પક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy