SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ગુપ્ત . ૧૦૬માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. ફિલીટ- ગુમઅભિલેખ' પૃ. ૨૫૮; “અનેકાંત’ વ.૧૦, કિ.૩ – પૃ.૧૦૬). - ઉદયગિરિની આ પહાડી, જે વાયવ્યથી અગ્નિખૂણામાં ૧૫ માઈલ લાંબી પડી છે. તેનો અગ્નિ તરફનો છેડો ૩૫૦ ફૂટ ઊંચો છે. અગ્નિ તરફના વિભાગમાં ઘણી નાની-મોટી ગુફાઓ છે. તેમાં ત્રીજી ગુફામ ગુવંશી ચંદ્રગુપ્ત રાજવી સંબંધે શિલાલેખ છે. દશમી ગુફામાં પ્રવેશ કરતાં સામે જ ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે. એ જૈન ગુફા છે, જે ૫૦ ફૂટ પહોળી છે. તેમાં ૫ ઓરડાઓ છે. ઉત્તર તરફના ઓરડાની દીવાલમાં બ્રાહ્મીલિપિનો શિલાલેખ છે. ગુફાની બહાર ૬ ફૂટ ૨ ઇંચ લાંબુ-પહોળું ચોરસ તળાવ છે. ઉદયગિરિના ઉક્ત જૈન શિલાલેખની પાંચમી લીટીમાં ગોસૂર (ગોશમીનું નામ છે તે જૈન આચાર્ય છે. સાંચીનો સ્તૂપોમાં એક સ્તૂપ ગોસૂર પીલર નામથી ઓળખાય છે. તેમાં આ પ્રકારે શિલાલેખ મળે છે કે “સુનાવ (?) વિદારસ્વનિ જોસુર સિંહાવત્રિપુત્ર રુદ્ધ” માનવું પડે કે, આ બન્ને શિલાલેખોમાં આવેલ ગોસૂર તે એક જ વ્યક્તિ છે અને આ બન્ને શિલાલેખો ઈ.સ.૨૮૦ના છે. એટલે કે આ બંને સ્તૂપો જૈન સ્તૂપો છે. (કનિંગહામ-આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, વો. ૧૦, પૃ. ૫૩ થી ૫૫, પૃ. ૬૩.) આ રીતે વિદિશાની આસપાસ અનેક પ્રાચીન સ્થાનો છે, પહાડીઓ છે, જૈન ગુફાઓ છે અને ૬૦ જેટલા સ્તૂપો છે. એકંદરે આ સ્થળ પ્રાચીન જૈન તીર્થભૂમિ છે. જૈનોએ ભારતમાં વિક્રમની દસમી સદી સુધી મોટા સ્તૂપો તથા સ્તંભો બનાવ્યા છે, ત્યાર પછી એ કળા લુપ્ત થઈ છે. પાટલીપુત્ર - મહારાજા કોણિકના પુત્ર મગધરાજ ઉદાયીના સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy