SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૬૯ કેવળજ્ઞાન, શ્રમણષી ઈન્દ્રદત્તનો પગચ્છેદ, ઈન્દ્ર નિગોદનો પ્રશ્ન કર્યો, ત્રણ પુષ્યમિત્રો, આ. સ્કંદિલાચાર્યની આગમવાચના, મહાનિશીથ સૂત્રનો જીર્ણોદ્ધાર વગેરે અનેક ઐતિહાસિક ઘટનાઓ અહીં બની ગઈ છે. અજારા - સૂર્યવંશી રઘુરાજાના પુત્ર અજયપાળે અસાધ્ય રોગની પીડાથી રાજ્ય છોડી શત્રુંજયની યાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો. એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્રમાંથી ભગવાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા લાવી અજયપાળને આપી. અજયપાળ પણ એ પ્રતિમાના ન્હવણ જળથી છ મહિનામાં નિરોગી થયો. એટલે તેણે ત્યાં અજયનગર વસાવ્યું અને જિનાલય બંધાવ્યું. તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી મંદિરના નિર્વાહ માટે ૧૨ ગામ આપ્યાં. ત્યારથી અજારા પાર્શ્વનાથ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે. અહિછત્રા - ભગવાન શ્રી પાર્શ્વનાથ છદ્મસ્થાવસ્થામાં ધ્યાન કરી ઊભા હતા ત્યારે ધરણેન્ટે ત્યાં આવી ભગવાનની ઉપર ત્રણ દિવસ સુધી ફણાનું છત્ર બનાવી ભગવાનની ભક્તિ કરી હતી. ત્યાં જનતાએ એક નગર વસાવ્યું અને ભગવાનની પાદુકા અને મૂર્તિનું સ્થાપન કર્યું. જેનું નામ અહિછત્રા તીર્થ પડયું. આ સ્થાન અત્યારે નાશ પામ્યું છે પણ તેનો ટીલો મોજૂદ છે. ત્યાંનો જૂનો કિલ્લો અદિકોટ તરીકે ઓળખાય છે. અહીંથી ઈ.સ. પૂર્વે ર૦૦ થી ઈ.સ. છઠ્ઠી સદી સુધીના સિક્કાઓ મળ્યા છે. - ડો. કનિંગહામને અહીંથી પુષ્પ સહિત કળશની નિશાનીવાળો શ્રીમહારન રિગુપ્તચશબ્દવાળો સિક્કો મળ્યો હતો. ('કનિંગહામ આર્કિ. સર્વે ઓફ ઈન્ડિયા' વો. ૧) આ મહારાજા હરિગુપ્ત તે ગુપ્તવંશી જૈન રાજા હતો. તેણે દીક્ષા લીધી હતી. એટલે કે તે સમયે પાંચાલના રાજાઓ જૈન હતા અને અહીં જૈન મુનિઓ અધિક સંખ્યામાં વિચરતા હતા. ડો. ફહરરને સને ૧૮૯રની શોધખોળ પ્રમાણે અહીં અદિકોટમાંથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy