SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી વ્યવસ્થિત કર્યાં હતાં. આ કારણે ચોરાસીના મંદિર તરીકે પણ આ સ્થાન પ્રસિદ્ધ છે. ૬. ભગવાન શ્રીસુપાર્શ્વનાથના સ્તૂપ વગેરેનો આ. બપ્પભટ્ટિસૂરિના ઉપદેશથી જીર્ણોદ્ધાર થયો હતો. પછી સંવત ૧૪૧૨માં પણ તેનો જીર્ણોદ્ધાર થયો હતો. તે સમયનો એક સ્તૂપલેખ આજે પણ મળે છે. જગદ્ગુરુ આચાર્ય શ્રીવિજયહીરસૂરિ મથુરાની યાત્રાએ પધાર્યા ત્યારે અહીં પ૨૭ સ્તૂપો વિદ્યમાન હતા. (‘હીરસૌભાગ્યકાવ્ય’, સર્ગ ૧૪, શ્લોક ૨૫૦.) તેના જ સંતાનીય મહોપાધ્યાય શ્રીવિવેકહર્ષગણિએ સં. ૧૬૬૭માં અહીં જંબુસ્વામીનાં ચરણોની પ્રતિષ્ઠા કરી હતી. કંકાલી ટીલો આ સ્થાનોનો બાદશાહ ઔરંગઝેબે વૈષ્ણવાચાર્યના ઝગડામાં મથુરા તોડયું ત્યારે નાશ થયો અને મોટો ટીલો બની ગયો છે, જેનું નામ ‘કંકાલી ટીલો' છે. પાછળથી સરકારે તેને ખોદાવી તેના અવશેષો લખનૌના કેશર બાગના પ્રદર્શન (મ્યુઝિયમ) માં ગોઠવી રાખ્યાં છે, તેમાં ઈ.સ.પૂર્વે બીજી સદીની કનિષ્ક હવિષ્મકાલીન ખંડિત અને અખંડિત અનેક ભવ્ય જૈન શ્વેતાંબર પ્રતિમાઓ, સં. ૧૦૬૩ની સાભરણ મૂર્તિ, ચૌમુખો, ગર્ભાપહારનું દશ્ય, કેશવાળી પ્રતિમા, લંગોટવાળી પ્રતિમાઓ, આયાગપટ્ટો, પાદુકાઓ, સાધ્વી, દેવી, આમલકીક્રીડા, ઉત્તમ વાજિંત્રો અને વિક્રમની ૧૧મી સદીની દિગંબર પ્રતિમાઓ વગેરે વગેરે મોજૂદ છે. વિનાશ પછી શ્રીસંઘે ૮૪(ચોરાસી)નું મંદિર બનાવી તેમાં મહો. શ્રીવિવેકહર્ષગણિ પ્રતિષ્ઠિત શ્રીજંબુસ્વામીની ચરણપાદુકાને બિરાજમાન કરેલી છે, જેનો લેખ પણ સ્પષ્ટ વંચાય છે. આ ભૂમિ ઐતિહાસિક છે. શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ, આ. મંગસૂરિનુ મંદિર, હૂંડિક યક્ષનું મંદિર, આ. બપ્પટ્ટિસૂરિ પ્રતિષ્ઠિત ભગવાન શ્રીમહાવીરસ્વામીનું મંદિર, વિશ્વભૂતિ મુનિનું બલનિયાણું, દંડ મુનિને કેવળજ્ઞાન, મુનિ કાલ્વેશી, રાજર્ષિ શંખ, નિવૃત્તિનો સ્વયંવર, અઢાર નાતરાં, ભગવાન મહાવીરસ્વામીને ઉપસર્ગ, કંબલસંબલ, સાધ્વી પુષ્પચૂલાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy