SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી કુમારોએ તો ધીરજ રાખી સંસારની વિચિત્રતા ભાવતાં ભાવતાં પોતાના આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો. થોડીએક ક્ષણમાં વહાણ તૂટ્યું. આ બંને કુમાર શુદ્ધ સંયમભાવમાં હતા તે કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. સમુદ્ર તે બંનેનાં શરીરને ઉછાળી સમુદ્રકાંઠે મૂક્યાં. દેવોએ ત્યાં નિર્વાણ ઉત્સવનો પ્રકાશ કર્યો અને ત્યાં પ્રભાસતીર્થ સ્થાપ્યું. (આ. નિ. ગાથા ૧૩૦૧ની ટીકા) હસ્તિનાપુર – આ તીર્થ ભગવાન શ્રીશાન્તિનાથ, ભગવાન શ્રીકુંથુનાથ અને ભગવાન શ્રીઅરનાથના ચાર ચાર કલ્યાણકની ભૂમિ તો છે જ ઉપરાંત ભગવાન ઋષભદેવનું વર્ષીતપનું પારણું રાજકુમાર શ્રેયાંસના હાથે અહીં જ થયું હતું. આ રીતે પણ એ તીર્થ પ્રાચીન મનાય છે. ચંપાપુરી - ભગવાન શ્રીવાસુપૂજ્યસ્વામીનાં પાંચે કલ્યાણકો અહીં થયાં છે. સમેતશિખરગિરિ – અહીં વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિ છે. પહેલાં અહીં મંદિરો અને જિનપ્રતિમાઓ હતી; પણ શંકરાચાર્યના અત્યાચાર અને મુસલમાનોની ધર્માધતાના ભોગે તે મંદિરો નાશ પામ્યાં હતાં અને સ્તૂપના નિશાન માત્ર રહ્યાં હતાં. જગતશેઠ મહેતાબરાયે સ્વપ્ન અનુસારે ત્યાં મહિનાઓની સ્થિરતા કરી વીસે સ્તૂપોને વ્યવસ્થિત કરી, જીર્ણોદ્ધાર કરવા માટે ક્યા ક્યા તીર્થકરોના સ્તૂપ છે તેનો નિર્ણય કરી, ચરણપાદુકાઓ સ્થાપિત કરી. તેમણે ૨૪ તીર્થકરો, ૪ વિહરમાન, ૨ ગણધરો અને ૧ જળમંદિર એમ ૩૧ મંદિરો કરાવ્યાં, જે આજે પણ યાત્રીઓની હૈયાભૂમિને આદ્ધ બનાવી પલ્લવિત કરી રહ્યાં છે. મથુરા તીર્થ - આ તીર્થ પ્રાચીન છે, જેનું વર્ણન નિર્યુક્તિમાં પણ મળે છે. (‘ઓ નિયુક્તિ’ ગાથા ૧૧૫.) ત્યાર પછી અંતિમ કેવલી શ્રીજંબુસ્વામી, તેમનાં માતાપિતા, સ્ત્રીઓ, સાસુ, સસરા, અને પ્રભવ આદિ ૫૦૦ ચોરો (શ્રમણો) વગેરેનું સ્મરણ કરાવતા પર૭ સ્તૂપો અહીં બન્યા એટલે આ સ્થાન પુન:જાહોજલાલીમાં આવ્યું. અહીં આર્ય શ્રીસ્કંદિલાચાર્યે આગમની વાચના કરી ૮૪ આગમોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy