SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી આસપાસના આલમપુર, કટારી ક્ષેત્ર, પશ્ચિમી ટીલો અને સ્તૂપ વગેરે પ્રદેશમાંથી કનિષ્કકાલીન તથા ગુણકાલીન જૈન મૂર્તિઓ મળી હતી, જે પરના બ્રાહ્મી લિપિના લેખો નીચે મુજબ વંચાય છે. મૂર્તિના પરિકરની નીચેનો લેખ – सं. १२ ना ४ मास ११ दिवसे इतिशयपूर्वम (एतस्य पूर्वायां) कोटिगण (बाम्भाडा सियान्ते (बम्भ लिज्जियान्ते) कुलात्ते अन (!) उच्चा । नागरीशाखातो जेनिस्य आर्य पुसिलसय. (૦ આ સં. ૧૨ તે વિક્રમ સંવત અથવા કનિષ્કસંવત સંભવે છે. તિથિ પણ મહા શુદિ ૧૧ અથવા જેઠ વદિ ૧૧ સંભવે છે.) ચૌમુખજીના પબાસનની નીચે – સં. ૭૪. કોટની પૂર્વમાં સ્તૂપ પાસેના સ્થંભ પરનો લેખ : आचार्य इन्द्रनन्दि शिष्य महाहरि पार्श्व मतिराय कोटारि ॥ આ સ્તૂપ ભગવાન શ્રી પાર્શ્વનાથના સમયનો હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન આજે બરેલી જિલ્લાના રામનગરની દક્ષિણે ચાર માઈલના ઘેરાવામાં પથરાયેલું નજરે પડે છે. શંખેશ્વર પાર્શ્વનાથ - સૌરાષ્ટ્રની ઉત્તરે પ્રતિવાસુદેવ જરાસંઘ અને વાસુદેવ શ્રીકૃષ્ણ મહારાજાનું ધમસાણ યુદ્ધ થયું ત્યારે જરાસંઘે યાદવસૈન્ય ઉપર જરા' ફેંકી આખા સૈન્યને મૂર્ણિત બનાવી મૂક્યું. તેના નિવારણ માટે શ્રીકૃષ્ણ ગૃહસ્થાવસ્થામાં રહેલ ભગવાન શ્રીનેમિનાથની સૂચના પ્રમાણે ત્રણ ઉપવાસ કરી નાગરાજ ધરણેન્દ્રને પ્રસન્ન કરી તેની પાસેથી ગઈ ચોવીસીમાં અષાઢી શ્રાવકે ભરાવેલ ભગવાન શ્રી પાર્શ્વનાથનું બિંબ લઈ તેનું ન્હવણજળ સૈન્ય પર છાંટી સૈન્યને જાગૃત બનાવ્યું. જ્ય પ્રાપ્ત કર્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં શંખેશ્વર ગામ વસાવી તે પ્રતિમાજીની શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે સ્થાપના કરી. એટલે આ તીર્થ પ્રાચીન છે. આ તીર્થ આજે પણ પ્રાભાવિક મનાય છે. ચારૂપ - ચારૂપ પાર્શ્વનાથ, તંભન પાર્શ્વનાથ અને પાટણના નેમિનાથ-એ ત્રણે પ્રતિમાઓ પણ પ્રાચીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy