SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આગમ કથાનુયોગ-૬ હતી ત્યારે કટપૂતના નામે વ્યંતરીએ તેમને જોયા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હતા ત્યારે વિજયવતી નામે એક અણમાનીતી રાણી હતી. તેણી મૃત્યુ બાદ ઘણાં ભવોમાં ભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થયેલી. પૂર્વભવનો રોષ સંભારી તેણીનો વેષ સળગી ઉઠ્ઠયો. તેણીએ તાપસીનું રૂપ વિકુવ્યું. વકલના વસ્ત્રો ધારણ કર્યા, જટામાં હિમ જેવું ઠંડુ પાણી ભર્યું. ભગવંતના શરીર પર તે ઠંડુ પાણી છાંટતા–છાંટતા ભગવંતનું આખું શરીર પાણી વડે ભીંજવી દીધું. ત્યારપછી શીતળ વાયુ વિકુર્તીને ભગવંતને યાતના આપવાનું શરૂ કર્યું. – ૪ – ૪ - આખી રાત્રિ આ રીતે ઉપસર્ગ કર્યો – ૪ – ૪ – ૪ – ભગવંતને શોભાયમાન ન કરી શકવાથી તે વ્યંતરી છેલ્લે પરાજિત થઈને પ્રભુની સ્તુતિ કરવા લાગી. (આ કથા ભગવંત મહાવીરને છ સ્થાવસ્થામાં થયેલા ઉપસર્ગોમાં આવે છે. જુઓ કથા – ભગવંત મહાવીર) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૪૮૬ + આવ.૨૧-૫. ૨૯ર, ૨૯૩; આવ. ૨૪ ૦ શાલાર્યા વ્યંતરી કથા : ભગવંત મહાવીર સાતમું ચાતુર્માસ પૂર્ણ કરી આલંભિકા નગરીથી વિહાર કરતાકરતા બહુશાલક નામના ગામે પધાર્યા. ત્યાં શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં શાલાર્યા નામની વ્યંતરી હતી. તેણીએ પ્રતિમા સ્થિત ભગવંતને કટપૂતના વ્યંતરી માફક ઘણાં ઉપસર્ગો કર્યા છતાં ધ્યાનસ્થ પ્રભુ લેશ માત્ર ચલિત ન થયા. ત્યારે ઉપશાંત થયેલી તે વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી ભગવંતનો મહિમા કર્યો. (જો કે આ મત આવશ્યક વૃત્તિકારનો છે. આવશ્યક ચૂર્ણિકાર કહે છે કે, શાલાયં ભગવંતની પૂજા કરતી હતી. ૦ આગમ સંદર્ભ :આવ.નિ ૪૮૯ની વૃ આવ.મ.પૃ. ૨૮૪; ૦ સ્વયંપ્રભાદેવીની કથા : ભગવંત ઋષભદેવના પૂર્વભવમાં જ્યારે તે લલિતાંગ નામે દેવ હતા, ત્યારે શ્રેયાંસકુમાર પોતાના પૂર્વભવમાં સ્વયંપ્રભા નામે દેવી હતા. તે લલિતાંગ દેવની અગ્રમહિષી હતી. જે દેવીએ પછી “શ્રીમતી' નામે જન્મ લીધો. લલિતાગે વજજંઘ નામે જન્મ લીધો. સ્વયંપ્રભાનો જીવ શ્રીમતી વજજંઘની પત્ની થઈ. (આ કથા ભગવંત ઋષભની કથામાં તેના પૂર્વભવમાં આવી ગયેલ છે. જુઓ ભગવંત ઋષભ અને શ્રેયાંસકુમારના ભવોનો સંબંધ) ૦ આગમ સંદર્ભ :આવ.નિ. ૩રરની વૃક આવયૂ.૧–૫ ૧૬૫, ૧૭૨; – ૪ – ૪ – ૦ શ્રીદેવીની કથા : લઘુ હિમવંત પર્વતના પદ્ધક નિવાસી દેવી, આ શ્રીદેવી મહાન ઋદ્ધિવાળી – યાવત્ – એક પલ્યોપમની સ્થિતિવાળી દેવી છે. ત્યાં તેમનો ૪૦૦૦ સામાનિક દેવીનો પરિવાર હતો – યાવત્ – તેની બાહા, મધ્યમ અને અત્યંતર પર્ષદાનું વર્ણન જાણવું.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy