SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૦ રથમુસલ સંગ્રામમાં કોણિકને મદદ : જ્યારે રાજા કોણિકનું રાજા ચેટક સાથે મહાયુદ્ધ થયું, તેમાં જે રથમુસલ સંગ્રામ થયો ત્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાન, કઠિન, કવચની વિદુર્વણા કરીને કોણિકની પાછળ ઊભો રહેલો. (ઇત્યાદિ વર્ણન કણિકની કથામાં જોવું) ૦ ત્રાયન્ટિંક દેવની ઉત્પત્તિ : અસુરેન્દ્ર અસુરરાજ ચમરના ત્રાયશ્ચિંશક દેવના વિષયમાં શ્યામહતિ અણગારે પ્રશ્ન કર્યો. ત્યારે ભગવંતે ત્રાયશ્ચિંશક દેવોની ઉત્પત્તિનું કથાનક જણાવ્યું. (ચમરેન્દ્ર આદિના ત્રાયશ્ચિંશક દેવોની કથા અલગ આપી છે. કથા જુઓ ત્રાયશ્ચિશકદેવ) ૦ અરિહંતાદિના કલ્યાણકોમાં ઉપસ્થિતિ : અમરેન્દ્ર અરિહંત પરમાત્માના જન્મ, દીક્ષા, નાણ અને નિર્વાણના પ્રસંગે આવે છે. જન્માભિષેક, નિષ્ક્રમણાભિષેક કરે છે. નાણ અને નિર્વાણનો મહિમા કરે છે. દીક્ષામાં ભગવંતોની શિબિકાને ઉપાડે છે, ભગવંતના પરિનિર્વાણ પછી ભગવંતની દાઢાને ગ્રહણ કરે છે ઇત્યાદિ વર્ણન પૂર્વે તીર્થકરોની કથામાં આવી ગયેલ છે – જુઓ ભગવંત ઋષભકથા, ભગવંત મલ્લી કથા, ભગવંત મહાવીર કથા. ૦ અમરેન્દ્રની સ્થિતિ અને ગતિ :- ચમરેન્દ્રની એક સાગરોપમની સ્થિતિ છે, પછી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. ૦ હરિભેગમેલી દેવની કથા - શક્રેન્દ્રની પદાતિસેનાના અધિકારીનું નામ હરિભેગમેષી છે. તે શક્રનો દૂત પણ છે, શકના આદેશ વચનનો પાલનકર્તા પણ છે. હરિસેગમેષી દેવના જીવનના બે મહત્ત્વના પ્રસંગોનો કથારૂપે ઉલ્લેખ મળે છે :(૧) ભગવંત મહાવીરનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલા માતાની કુક્ષિમાં ગર્ભ સંહરણ. કુશળતાપૂર્વક આ કાર્યનું વર્ણન (આ કથા ભગવંત મહાવીરની કથામાં આવી ગઈ છે.) | (૨) કૃષ્ણ વાસુદેવની માતાના પહેલા છ પુત્રોને જીવંત અવસ્થામાં ત્યાંથી લઈને નાગસારથીની પત્ની મૃતવત્સા સુલતાની પાસે મૂકવા. (આ કથા ગજસુકુમાલની તથા દેવકીની કથામાં આવી ગયેલ છે.) તદુપરાંત જ્યારે ભગવંતનો જન્મ થાય ત્યારે શક્ર હરિસેગમેષી દેવને સુધર્મા સભામાં સુઘોષાઘંટા વગાડી ઉદ્ઘોષણા કરવાનું કહે છે. (જેનું વિસ્તૃત વર્ણન ભગવંત ઋષભકથા માં આવી ગયેલ છે. ત્યાંથી જોવું) હરિસેગમેષી નામનો પદાતિ સૈન્યાધિપતિ સનસ્કુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુકેન્દ્ર તથા પ્રાણતેન્દ્રનો પણ હોય છે, પણ તેના વિષયમાં કોઈ કથા રૂપ જોવા મળતું નથી. ૦ આગમ સંદર્ભ :ઠા ૪૩૮, ૬૮૨ + વ સમા ૨૧૩ની વૃ; ભગ ૨૨૭ + , અંત. ૧૩; જંબૂ. ૨૨૭, ૨૩૫; આવ.ભા. ૫૧ થી ૫૩ + વૃ; આવ પૂ.૧–૫. ૧૪૦, ૨૩૯, ૩૫૭, ૩૫૮; આવ.મ.પૂ. ર૫૪, ૨૫૫; કલ્પ ર૭ થી ર૯ + ;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy