SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ ઉપકરણોને તથા ચાર ખાનાવાળા કાષ્ઠપાત્રને એકાંત પ્રદેશમાં છોડી દીધું. પછી બેભેલ સન્નિવેશના અગ્નિ ખૂણામાં અદ્ઘનિર્વર્તનિક મંડલરેખા ખેંચીને બનાવ્યું, પ્રમાર્જિત કર્યું. સંલેખના કરી, આરાધના વડે આત્માને ભાવિત કર્યો. પછી યાવજ્જીવનને માટે આહા– પાણીનું પ્રત્યાખ્યાન કરીને તે પૂરણ તપસ્વીએ પાદપોપગમન અનશન સ્વીકાર્યું. ૦ પૂરણ તાપસની ગતિ અને ભગવંત મહાવીર : ૬૨ હે ગૌતમ ! તે કાળે, તે સમયે હું (ભગવંત મહાવીર) છદ્મસ્થ અવસ્થામાં હતો. મારો દીક્ષાપર્યાય અગિયાર વર્ષનો હતો તે સમયે હું નિરંતર છટ્ઠ—છટ્ઠ તપ કરતો સંયમ અને તપથી મારા આત્માને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ક્રમથી વિચરણ કરતો હતો, ગ્રામાનુગ્રામ ભ્રમણ કરતો જ્યાં સુંસુમારપુર નગર હતું, અશોક વનખંડ નામે ઉદ્યાન હતું, ત્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપટ્ટક પાસે આવ્યો. મેં ત્યાં અઠ્ઠમ તપ ગ્રહણ કરેલો. મેં બંને પગને પરસ્પર એકઠા કર્યા, બંને હાથ નીચે તરફ લટકાવ્યા. એક પુદ્ગલ પર દૃષ્ટિ સ્થિર કરી, નિર્નિમેષ નેત્ર, શરીરના અગ્રભાગને કંઈક ઝુકાવી, યથાવસ્થિત ગાત્રોથી અને સમસ્ત ઇન્દ્રિયોને ગોપવીને એક રાત્રિકી મહાભિક્ષુ પ્રતિમા અંગીકાર કરેલી. તે કાળે, તે સમયે ચમરચંચા રાજધાની ઇન્દ્ર અને પુરોહિત રહિત હતી. અહીં પૂરણ નામનો બાળતપસ્વી બારવર્ષ પર્યંત દાનામાં પ્રવ્રજ્યાનું પાલન કરીને, માસિકી સંલેખનાની આરાધનાથી પોતાના આત્માને ઝોષીત કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને મૃત્યુ અવસરે મૃત્યુ પામીને ચમરચંચા રાજધાનીની ઉપપાત સભામાં – યાવત્ – ઇન્દ્રરૂપે ઉત્પન્ન થયો. “ યાવત્ – તે પાંચે પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત થયો. ૦ અસુરેન્દ્ર ચમરનો ઉત્પાત : અસુરેન્દ્ર અસુરરાજ ચમર પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત થયો ત્યારે તેણે સ્વાભાવિકરૂપે ઉપર સૌધર્મકલ્પ સુધી અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. ત્યાં તેણે દેવેન્દ્ર દેવરાજ શક્રને યાવત્ દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતો જોયો. સૌધર્મક૫માં સૌધર્માવર્તસક વિમાનમાં શક્ર નામના સિંહાસન પર બેસીને – યાવત્ – દિવ્ય અને ભોગ્ય ભોગોનો ઉપભોગ કરતો જોઈને ચમરેન્દ્રના મનમાં આંતરિક યાવત્ સંકલ્પ થયો— અરે ! આ કોણ અપ્રાર્થિત પ્રાર્થક, નિકૃષ્ટ લક્ષણવાળો, લજ્જા અને શોભા રહિત, હીનપુણ્ય, ચૌદશીયો જન્મ્યો છે. જે મને આવા પ્રકારની આ દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ દિવ્યદેવપ્રભાવ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છતાં પણ મારા ઉપર ઉત્સુકતાથી રહિત થઈને દિવ્ય અને ભોગ્ય ભોગોનો ઉપભોગ કરતો વિચરી રહ્યો છે. - આવો વિચાર કરીને ચમરેન્દ્રએ પોતાની સામાનિક પર્ષદાના દેવોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! એ બતાવો કે આ કોણ અનિષ્ટ – યાવત્ – દિવ્ય અને ભોગ્ય ભોગોનો ઉપભોગ કરતો વિચરી રહ્યો છે ? અસુરેન્દ્ર અસુરરાજ ચમરે સામાનિક પર્ષદાના દેવો આ પ્રમાણે કહ્યું.ત્યારે તેઓ અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ – તેમનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. બંને હાથ જોડી દશ નખ ભેગા કરી શિરસાવર્ત્ત પૂર્વક મસ્તકે અંજલિ કરીને તેણે ચમરેન્દ્રને જય— વિજય શબ્દોથી વધાવ્યા. પછી જણાવ્યું કે, દેવાનુપ્રિય ! આ તો દેવેન્દ્ર દેવરાજ શક્ર છે, -
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy