SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા વૈમાનિકના આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડે છે તથા નાના-મોટા રત્નો ચોરીને એકાંતમાં ચાલ્યા જાય છે. હે ભગવન્! કેટલા કાળમાં અસુરકુમાર દેવ ઉર્ધ્વગમન કરે છે ? હે ગૌતમ ! અનંત ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ વ્યતીત થયા પછી લોકમાં આશ્ચર્યભૂત એવો આ ભાવ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમર પહેલા ક્યારેય સૌધર્મકલ્પ પર્યત ઉર્ધ્વગમન કરી ચૂક્યો છે ? હાં, ગૌતમ ! આ અસુરેન્દ્ર અસુરરાજ ચમર સૌધર્મકલ્પ ગયો છે. અહો ભગવન્! આ અસુરેન્દ્ર અસુરરાજ ચમરે આવી મહાદ્ધિ અને મહાદ્યુતિ વાળો છે – યાવત્ – તેને આવી દિવ્યઋદ્ધિ યાવત્ કઈ રીતે પ્રાપ્ત થઈ? કઈ રીતે અભિસમન્વાગત થઈ? ૦ ચમરેન્દ્રનો પૂર્વભવ – પૂરણ તાપસ : તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યાચલની તળેટીમાં બેભેલ નામક સન્નિવેશ હતું. ત્યાં પૂરણ નામે ગાથાપતિ રહેતો હતો. તે ઋદ્ધિમાનું – ચાવતું – દીપ્ત હતો. (અહીં તામસી ગાથાપતિની માફક પૂરણની સર્વ વક્તવ્યતા જાણવી). વિશેષ એ કે ચાર ખાનાવાળું કાષ્ઠમય પાત્ર બનાવીને – યાવત્ – વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ચતુર્વિધ આહાર બનાવી જ્ઞાતિજનો આદિને ભોજન કરાવીને તથા તેમની સમક્ષ મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને – યાવત્ – ચાર ખાનાવાળું કાષ્ઠપાત્ર લઈને દાનામા” નામની પ્રવજ્યા અંગીકાર કરી. ૦ પૂરણની દાનામા પ્રવજ્યા : પ્રવ્રજિત થયા બાદ પૂરણે પૂર્વવર્ણિત તામલી તાપસની માફક સર્વ પ્રકારે તપશ્ચર્યા કરી. આતાપના ભૂમિમાં આતાપના લેવા લાગ્યો, ઇત્યાદિ સર્વે કથન પૂર્વવત્ જાણવું – થાવત્ – તે આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. પછી સ્વયમેવ ચાર ખાનાવાળું કાષ્ઠમય પાત્ર લઈને બેભેલ સન્નિવેશમાં ઉચ્ચ-નીચ અને મધ્યમ કુળોમાં ગૃહસમુદાયથી ભિક્ષા વિધિથી ભિક્ષાચરી માટે ભ્રમણ કરવા લાગ્યો. ભિક્ષાટન કરતા તેણે આ પ્રકારનો વિચાર કર્યો. – મારા ભિક્ષાપાત્રના પહેલા ખાનામાં જે કંઈ ભિક્ષા પડશે તેને માર્ગમાં મળતા પથિકોને આપી દઈશ. બીજા ખાનામાં જે કંઈ ભિક્ષા પ્રાપ્ત થશે, તે મારે કાગડા અને કુતરાને આપી દેવી. જે ભિક્ષા ત્રીજા ખાનામાં આવશે તે માછલી અને કાચબાને આપી દઈશ અને ચોથા ખાનામાં જે ભિક્ષા પ્રાપ્ત થશે તેનો હું પોતે આહાર કરીશ. આ પ્રમાણે સારી રીતે વિચાર કરીને બીજે દિવસે સૂર્ય ઉદય થયા બાદ – યાવત્ દીક્ષિત થઈને કાષ્ઠ પાત્રના ચોથા ખાનામાં જે ભિક્ષા મળી તેનો સ્વયં આહાર કર્યો. ત્યારપછી પૂરણ બાલતપસ્વી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહિત બાળતપશ્ચર્યાને કારણે શુષ્ક અને રૂક્ષ થઈ ગયો. ઇત્યાદિ સર્વે વર્ણન તામલી તાપસ મુજબ જાણવું – યાવત્ – તે બેભેલ સંનિવેશથી નીકળ્યો. તેણે પાદુકા અને કુંડી આદિ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy