SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ આગમ કથાનુયોગ-૬ ૦ ઇશાન દ્વારા બલિચંચા રાજધાનીનું દહન : ત્યારે તે ઇશાનકલ્પવાસી અનેક દેવો અને દેવીઓ બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણાં અસુરકુમાર દેવો અને દેવીઓને તામલી બાલતપસ્વીના શરીરની હીલણા, નિંદા, હિંસા, ગઠ્ઠ, અવમાનના, તર્જના, તાડના, કદર્થના, પ્રવ્યથના મૃતશરીરને અહીં-તહીં ઘસેડતા આદિ કૃત્ય જોઈને ક્રોધાભિભૂત – યાવત્ – દાંતાને કચકચાવતા જ્યાં ઇશાન દેવેન્દ્ર દેવરાજ હતા ત્યાં આવીને બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! બલિરંચા રાજધાનીમાં રહેનારા અનેક દેવ-દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલગત જાણીને અને ઇશાનકલ્પમાં ઇન્દ્રરૂપે ઉત્પન્ન થયેલા જોઈને ક્રોધાભિભૂત થઈને – યાવત્ – એકાંત સ્થાનમાં ફેકે છે. ફેંકીને જે દિશામાંથી પ્રગટ થયા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાને તે ઇશાન કલ્પવાસી અનેક દેવ-દેવીની આ વાતને સાંભળી, અવધારી, ક્રોધાભિભૂત થઈને – યાવત્ – દાંત કચકચાવી ત્યાં જ દેવશય્યા પર બેઠેલા તે ઇશાનેન્દ્ર કપાળમાં ત્રણ સળ ચઢાવી, ભૃકુટી ખેંચીને બલિચંચા રાજધાનીને સપક્ષ અને અપ્રતિદિશામાં જોયું. ત્યારે તે બલિચંચા રાજધાની દેવેન્દ્ર દેવરાજ ઇશાન દ્વારા સપક્ષ અને સપ્રતિદિશામાં જોવાયાથી તેના દિવ્ય પ્રભાવથી અંગારા જેવી, આગના કણો જેવી, રાખ જેવી, તપેલી રેતીના કણ જેવી થઈ ગઈ અને પ્રજ્વલિત લપેટો જેવી થઈ ગઈ. ૦ અસુરકુમાર દેવો દ્વારા ઇશાનેન્દ્રની ક્ષમા પ્રાર્થના : ત્યારપછી બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવ-દેવીઓ બલિચંચા રાજધાનીને અંગાર જેવી – યાવત્ – આગમાં લપેટાયેલી જોઈને ભયભીત, ત્રસ્ત, સંત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયાક્રાંત થઈને અહીં-તહીં ભાગતા, દોડતા, ભાગદૌડ કરતા એકબીજાના શરીરને ચોંટીને ઊભા રહી ગયા. ત્યારપછી બલિચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવ-દેવી દેવેન્દ્ર દેવરાજ ઇશાનને કોપાયમાન થયેલો જાણીને, દેવેન્દ્ર દેવરાજ ઇશાનની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્યદેવ પ્રભાવ અને દિવ્ય તેજલેશ્યાને સહન ન કરતા, સપક્ષ–સપ્રતિદિશામાં ઊભા રહીને બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને જય-વિજય શબ્દોથી વધાવે છે વધાવીને આ પ્રમાણે બોલ્યા અહો ! આપ દેવાનુપ્રિયની દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ પ્રભાવ અમે જોઈ લીધો છે. હે દેવાનુપ્રિય ! અમે આપની ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપ્રિય! આપ અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. અમે ફરીથી આવું નહીં કરીએ. એ પ્રમાણે કહીને વિનયપૂર્વક તે અપરાધને માટે વારંવાર ક્ષમા માંગે છે. ત્યારબાદ જ્યારે તે બલિચંચા રાજધાની નિવાસી અસુરકુમાર દેવો અને દેવીઓએ પોતાના અપરાધને માટે દેવેન્દ્ર દેવરાજ ઇશાનની વિનયપૂર્વક અને સારી રીતે ક્ષમા યાચના કરી ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાને પોતાની તે દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – તેજોલેશ્યાનું પ્રતિસંહરણ કર્યું. હે ગૌતમ ! ત્યારથી બલિચંચા રાજધાની નિવાસી અનેક દેવ–દેવીઓ દેવેન્દ્ર
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy