SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદેવી કથા ૫૭ દેવરાજ ઇશાનનો આદર કરે છે, આજ્ઞા માને છે, સત્કાર–સન્માન કરે છે, કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માનીને વિનયપૂર્વક તેની સેવા કરે છે અને ત્યારથી દેવેન્દ્ર દેવરાજ ઇશાનની આજ્ઞામાં, સેવામાં, આદેશ અને નિર્દેશમાં રહે છે. હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ ઇશાને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવપ્રભાવ આ પ્રકારે લબ્ધ, પ્રાપ્ત અને પૂર્ણરૂપે અધિગત કરેલ છે. ૦ ઇશાનેન્દ્રની સ્થિતિ અને ગતિ : હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઇશાનની સ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! તેની સ્થિતિ સાધિક બે સાગરોપમની કહી છે. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઇશાન આયુક્ષય, ભવક્ષય, સ્થિતિશય થાય પછી અનંતર તે દેવલોકથી ઐવિત થઈને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહમાં જન્મ લઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ ઇશાનેન્દ્રના દિવ્ય ભોગ :– હે ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઇશાન ભોગ્ય મનોજ્ઞ દિવ્ય સ્પર્શાદિ વિષયભોગોનો ઉપભોગ કરવા ઇચ્છે છે, ત્યારે તે કયા પ્રકારે કરે છે ? હે ગૌતમ ! તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઇશાન એક મહાનું ચક્ર સદૃશ ગોળાકાર સ્થાનની વિફર્વણા કરે છે. જે લંબાઈ–પહોળાઈમાં એક લાખ યોજન હોય છે. તેની પરિધિ ત્રણ લાખ યોજનથી કંઈક અધિક સાડાતેર અંગુલ હોય છે. ચક્ર સમાન ગોળાકાર તે સ્થાનની ઉપર અત્યંત સમતલ અને રમણીય ભૂભાગ હોય છે – યાવત્ – મણિઓનો મનોજ્ઞ સ્પર્શ હોય છે. તે ચક્રાકાર સ્થાનના ઠીક મધ્યભાગમાં એક મહાનું પ્રાસાદાવતંસકની વિફર્વણા કરે છે. જે ઊંચાઈમાં ૫૦૦ યોજન હોય છે. તેનો વિખંભ ૨૫૦ યોજન હોય છે તે પ્રાસાદ અત્યંત ઊંચો અને પ્રભાપુંજથી વ્યાપ્ત હોવાથી હસતો હોય તેમ લાગે છે – થાવત્ – તે દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. તેનો ભીતરનો ભૂભાગ અત્યંત સમ અને રમણીય હોય છે. ઇત્યાદિ વર્ણન – ત્યાં મણિઓનો સ્પર્શ હોય છે પર્યત જાણવું. ત્યાં લંબાઈ–પહોળાઈમાં આઠ યોજનની મણિપીઠિકા હોય છે. જે વૈમાનિક દેવોની મણિપીઠિકાની સમાન હોય છે. તે મણિપીઠિકાની ઉપર તે એક મહાન દેવશય્યાની વિફર્વણા કરે છે, ત્યાં ઇશાનેન્દ્ર પોતપોતાના પરિવારસહિત આઠ અગમહિષીઓની સાથે ગંધર્વોનીક અને નાટ્યાનીક સાથે જોરજોરથી આહત થતા નાટ્ય, ગીત, વાદ્યોના શબ્દો દ્વારા – યાવત્ – દિવ્ય ભોગ્ય ભોગોનો ઉપભોગ કરે છે. ૦ સનકુમારનું આધિપત્ય : જ્યારે શક્ર અને ઇશાનેન્દ્રને કોઈ કૃત્ય કે કરણીય હોય છે, ત્યારે પરસ્પર મળે છે. હે દક્ષિણાદ્ધ લોકાધિપતિ અને તે ઉત્તરાર્ધ લોકાધિપતિ એમ કહીને પરસ્પર સંબોધિત કરે છે. જો બંનેમાં કોઈ વિવાદ થાય તો સનસ્કુમારેન્દ્રનું મનમાં સ્મરણ કરે છે ત્યારે સનસ્કુમારેન્દ્ર પ્રગટ થાય છે. તે જે કંઈ કહે તેને આ બંને ઇન્દ્રો માને છે. આ બંને ઇન્દ્રો
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy