SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ–દેવી કથા ૫૫ જેથી તમે મૃત્યુ પામીને બલિચંચા રાજધાનીમાં ઉત્પન્ન થશો, ત્યારે તમે અમારા ઇન્દ્ર થશો. ત્યારે અમે તમારી સાથે દિવ્ય ભોગ ભોગવતા વિચરીશું. ત્યારે તે તામલી બોલતપસ્વીએ તે બલિચંચા રાજધાની નિવાસી અનેક અસુરકુમાર દેવો અને દેવીઓની વાતને સાંભળીને તેનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. પણ મૌન ધારણ કરીને રહ્યો. ત્યારપછી તે બલિચંચા રાજધાની નિવાસી અનેક અસુરકુમાર દેવો અને દેવીઓએ તે તામલી મૌર્યપુત્રને બીજી વખત, ત્રીજી વખત પ્રદક્ષિણા કરીને યાવત્ એ જ પ્રમાણે ફરી ફરી વિનંતી કરી – ૪ – ૪ – ૪ – તો પણ તામલી બાલતપસ્વીએ તે વાતનો આદર કે સ્વીકાર ન કર્યો. પણ મૌન રહ્યો. ત્યારપછી જ્યારે તામલી બાલતપસ્વીએ કંઈ પણ ઉત્તર ન આપ્યો ત્યારે તે બલિચંચા રાજધાની નિવાસી અનેક દેવ અને દેવીઓ તે તામલી તાપસ દ્વારા અનાદત થઈને, પોતાની વાત ન સ્વીકારાવાથી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા. ૦ તામલીનો ઇશાનેન્દ્રરૂપે ઉપપાત : તે કાળે, તે સમયે ઇશાન કલ્પ ઇન્દ્ર અને પુરોહિત રહિત હતો. તે સમયે તે તામલી બોલતપસ્વી પરિપૂર્ણ ૬૦,૦૦૦ વર્ષનો તાપસ પર્યાય પાલન કરીને, અંતે બે માસની સંલેખના દ્વારા આત્માને ભાવિત કરીને, અનશન દ્વારા ૧૨૦ ભક્તોનું છેદન કરીને મરણ કાળે મૃત્યુ પામીને ઇશાનકલ્પમાં ઇશાનાવતંસક વિમાનની ઉપપાતસભામાં દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યા પર અંગૂલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાથી ઇશાન દેવેન્દ્રના વિરહ કાળમાં ઇશાન દેવેન્દ્રરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તત્કાળ ઉત્પન્ન થયેલ દેવેન્દ્ર દેવરાજ ઇશાન પાંચ પ્રકારની પર્યાતિઓ દ્વારા પર્યાપ્તપણાને પ્રાપ્ત થયો. આહાર પર્યાપ્તિ થાવત્ ભાષામન:પર્યાપ્તિ. ૦ અસુરકુમારો દ્વારા રોષથી તામલીના શરીરની હીલણા : ત્યારપછી બલિયંચા રાજધાનીમાં રહેનારા અનેક દેવ અને દેવી તામલી બાલતપસ્વીના મૃત્યુ થયાનું અને ઇશાન કલ્પે દેવેન્દ્રરૂપે ઉત્પન્ન થયાનું જાણીને ક્રોધિત, રષ્ટ, કૃપિત અને ચંડિકાવત્ થઈને દાંતોને કચકચાવતા બલિચંચા રાજધાનીના મધ્યભાગથી નીકળ્યા. નીકળીને ઉત્કૃષ્ટ ગતિથી – યાવત્ – તાપ્રલિમી નગરીમાં જ્યાં બાલતપસ્વી તામલીનું શરીર પડેલું હતું ત્યાં આવ્યા. પછી તે મૃતશરીરના ડાબા પગમાં દોરી બાંધી, પછી ત્રણ વખત તેના મુખ ઉપર થુંક્યા. પછી તાપ્રલિપી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય માગમાં ઘસેડતા ઘસેડતા અને જોર જોરથી અવાજ કરીને ઉદ્દઘોષણા કરતા આ પ્રમાણે બોલવા લાગ્યા અરે ઓ ! સ્વયં પોતાની જાતે વેશ ધારણ કરનારા અને પ્રાણામા પ્રવજ્યાથી દીક્ષિત થનારા તામલી બોલતપસ્વી કોણ છે ? ઇશાન કલ્પનો ઇશાન દેવેન્દ્ર દેવરાજ પણ કોણ છે ? આ પ્રમાણે બોલી તામલી બાલ તપસ્વીના શરીરની હીલના, નિંદા, ખિસા, ગટ્ટ, અવમાનના, તર્જના, પીટ્ટણ, કદર્થના અને પ્રવ્યથિત કરવા લાગ્યા અને જેમ ફાવે તેમ તેના મૃત શરીરને ઘસેડવા લાગ્યા અને આ પ્રમાણે હીલના, નિંદા – યાવત્ – કદર્થના કરતા, ઉલટું-સીધું શરીર ઘસેડીને એકાંત સ્થાને ફેંકી દીધું. ફેંકીને પાછા ચાલ્યા ગયા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy