SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ - આવતી કાલે સૂર્ય ઉગ્યા બાદ તામ્રલિપ્તી નગરીમાં જઈને જોયેલાને, જાણીતાને, પાષંડોને, ગૃહસ્થોને, પૂર્વ પરિચિતોને, પર્યાયસંગતિકોને પૂછીને તામ્રલિપ્તી નગરીના મધ્યભાગથી નીકળીને પાદુકા, કુંડીકા – આદિ ઉપકરણોને અને કાષ્ઠ પાત્રોને એકાંત સ્થાનમાં રાખીને તાપ્રલિપ્તી નગરીના ઇશાન ખૂણામાં નિર્વર્તનિક મંડળને જોઈને સંલેખના તપ દ્વારા આત્માને નિર્મળ કરીને આહાર—પાણીનો ત્યાગ કરી પાદપોપગમન અનશન સ્વીકારી મરણની આકાંક્ષા ન કરતો વિચરું. આ પ્રમાણે વિચારીને બીજે દિવસે સૂર્ય ઉગ્યા બાદ તે તામ્રલિપ્તી નગરીમાં ગયો. જોયેલા, જાણીતા, પાખંડી, ગૃહસ્થ, પૂર્વ પરિચિત, પર્યાય સંગતિકને પૂછીને નગરી મધ્યેથી નીકળ્યો. પાદુકા, કુંડીકા આદિ ઉપકરણો અને કાષ્ઠપાત્રોને એકાંતમાં રાખ્યા. તાપ્રલિપ્તીના ઇશાન દિશામાં જઈને નિર્વર્તનીક મંડલને જોઈને સંલેખના તપ દ્વારા આત્માને પરિમાર્જિત કરી આહાર–પાણીનો ત્યાગ કરી પાદોપગમન અનશન સ્વીકાર્યું. ૦ બલીચંચાવાસી અસુરકુમારો દ્વારા પ્રાર્થના : તે કાળે, તે સમયે બલિચંચા રાજધાની ઇન્દ્ર અને પુરોહિત રહિત હતી. ત્યારે તે બલિયંચા રાજધાની નિવાસી અનેક દેવો અને દેવીઓએ તે બાલ તપસ્વી તામલીને અવધિજ્ઞાન વડે જોયો. જોઈને એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! બલિચંચા રાજધાની હાલ ઇન્દ્ર અને પુરોહિત રહિત છે. આપણે બધાં ઇન્દ્રને આધીન રહેનારા અને ઇન્દ્રાધિષ્ઠિત છીએ. આપણાં બધાં કાર્યો ઇન્દ્રાધીન છે. આ તામલી બાલતપસ્વી તાપ્રલિપ્તી નગરીના ઇશાન ખૂણામાં યાવત્ – સંલેખના સ્વીકારીને પાદોપગમન અનશન ધારણ કરીને રહેલ છે. તો આપણે માટે એ શ્રેયરૂપ છે કે આપણે તામલી બાલતપસ્વીને બલિચંચા રાજધાનીમાં ઇન્દ્રરૂપે આવવાનો સંકલ્પ કરાવીએ. આ પ્રમાણે વિચારી પરસ્પર એકમેકની વાત સ્વીકારી. ૫૪ - ત્યારપછી તેઓ બલિચંચા રાજધાનીના મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં રુચકેન્દ્ર ઉત્પાત પર્વત છે ત્યાં આવ્યા. વૈક્રિય સમુદ્દાત કર્યો. વિકુર્વણા કરીને ઉત્તર વૈક્રિયરૂપ બનાવ્યું. પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, જયવતી, નિપુણ, શીઘ્ર, ઉદ્ધૃત દિવ્ય દેવગતિથી તિર્છા અસંખ્યાત દ્વીપ સમુદ્રોની મધ્યેથી થઈને જંબૂદ્વીપના ભરતક્ષેત્રની તાપ્રલિપ્તી નગરીએ આવ્યા. ત્યાં બાલતપસ્વી તામલી મૌર્યપુત્રની આસપાસ, સન્મુખ ઊભા રહીને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ યુક્ત દિવ્ય બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડી, તામલી બાલતપસ્વીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કર્યા. પછી આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! બલિચંચા રાજધાનીમાં રહેનારા અમે અસુરકુમાર દેવો અને દેવીઓ છીએ. આપ દેવાનુપ્રિયને વંદના—નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ છીએ. આપને કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ માની પર્યાપાસના કરીએ છીએ. હે દેવાનુપ્રિય ! હાલ બલિયંચા રાજધાની ઇન્દ્ર અને પુરોહિત રહિત છે અને હે દેવાનુપ્રિય ! અમે ઇન્દ્રાધીન અને ઇન્દ્રાધિષ્ઠિત છીએ. તેથી આપ બલિયંચા રાજધાનીનો આદર કરો, સ્વામિત્વ ગ્રહણ કરો, સ્મરણ કરો, તેના માટે વિચાર કરો, નિદાન કરો, ઇન્દ્રરૂપમાં સ્વામી થવાનો સંકલ્પ કરો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy