SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા – ઇશાનેન્દ્રના ચાર લોકપાલ છે, સોમ, યમ, વૈશ્રમણ અને વરણ. – ઇશાનેન્દ્રની સાત સેના આ પ્રમાણે – પાયદળ, અશ્વ, હસ્તિ, મહિષ, રથ, નટ અને ગંધર્વ – સેના. આ સાત સેનાના સાત સેનાધિપતિ હોય છે. - ઇશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓ આ પ્રમાણે છે – કૃષ્ણા, કૃષ્ણારાજી, રામા, રામરણિતા, વસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. – ઇશાનેન્દ્ર પોતાની વિકર્વણા શક્તિથી અનેક દેવ-દેવીઓને વિકૃર્વે તો તે સંપૂર્ણ જંબૂદ્વીપ કરતા પણ કિંચિત્ અધિક સ્થળને આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તી, સ્પષ્ટ અને ગાઢાવગાઢ કરવામાં સમર્થ છે. જો કે આ તો ફક્ત તેનું સામર્થ્ય જણાવે છે. કદાપી કોઈ ઇશાનેન્દ્રએ આવી વિફર્વણા કરી નથી, કરતા નથી અને કરશે પણ નહીં. – ઇશાનેન્દ્ર કાલવર્ષે મેઘ વૃષ્ટિકાયની ભગવંતના જન્મ, દીક્ષા, નાણ અને નિર્વાણ કલ્યાણકોએ વૃષ્ટિ કરવા ઇચ્છે તો કરી શકે છે. એ જ રીતે તમસ્કાયની પણ વિક્ર્વણા કરવાને સમર્થ હોય છે. ઇશાનેન્દ્ર સ્થિતિ બે સાગરોપમ કરતા કંઈક અધિક હોય છે. ઇશાનેન્દ્રની આત્યંતર પર્ષદામાં ૧૦,૦૦૦ દેવ, મધ્યમ પર્ષદામાં ૧૨,૦૦૦ દેવ અને બાહ્ય પર્ષદામાં ૧૪,૦૦૦ દેવ હોય છે. આત્યંતર પર્ષદામાં ૯૦૦, મધ્યમ પર્ષદામાં ૮૦૦ અને બાહ્ય પર્ષદામાં ૭૦૦ દેવીઓ હોય છે. ઇશાનેન્દ્ર સમ્યગ્રવાદી હોય છે. તે સત્ય, મૃષા આદિ ચારે પ્રકારની ભાષાઓ બોલે છે – યાવત્ તે ચરમ છે ઇત્યાદિ વર્ણન શકેન્દ્ર અનુસાર જાણવું. ૦ ઇશાનેન્દ્રને પૂર્વભવ – તામલિતાપસની કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું – યાવત્ – પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્ર ઇશાન કલ્પમાં ઇશાનાવતંસક વિમાનમાં (જ પ્રમાણે સૂર્યાભદેવમાં વર્ણન આવે છે, તે પ્રમાણે અહીં પણ ઇશાનેન્દ્રના વિષયમાં જાણવું) – થાવત્ – દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય પ્રભાવ સહ બત્રીશ પ્રકારની દિવ્ય નાટ્યવિધિઓને દેખાડી – યાવત્ – જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં ગયો. ૦ ઇશાનેન્દ્રની દેવદ્યુતિ વિષયક પ્રશ્નોત્તર : હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનાનમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! અહો ! દેવેન્દ્ર દેવરાજ ઇશાન મહાદ્ધિવાળો – યાવત્ – મહાપ્રભાવશાળી છે. હે ભગવન્! ઇશાનેન્દ્રની તે દિવ્યઋદ્ધિ, દેવદ્યુતિ, દેવપ્રભાવ ક્યાં ગયો ? ક્યાં અનુપ્રવિષ્ટ થયો ? હે ગૌતમ ! શરીરમાં ચાલ્યો ગયો. શરીરમાં અનુપ્રવિષ્ટ થઈ ગયો. હે ભગવન્! એવું કેમ કહો છો કે, શરીરમાં ચાલી ગઈ – યાવત્ – પ્રવેશી ગઈ. હે ગૌતમ! જેમ કોઈ એક કૂટાગારશાળા હોય, બંને બાજુથી લીધેલી હોય, ગુપ્ત હોય, ગુપ્ત દ્વાર હોય, નિર્વાત હોય, હવા પ્રવેશી ન શકે તેવી ગંભીર હોય. તે કૂટાગાર શાળાથી બહુ દૂર કે બહુ નીકટ નહીં, ત્યાં એક વિશાળ જનસમૂહ, એક મોટી મેઘ ઘટાને,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy