SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૪૯ - - - ૦ વિવિધ શ્રાવક કે શ્રમણના દઢ ધર્માત્વની પ્રશંસા : શક્ર ગુણાનુરાગી હોય છે. આગામોમાં એવા પ્રસંગો નજરે પડે છે. જેમાં શક્રેન્દ્ર શ્રાવકના અથવા શ્રમણોના ઢધર્મીત્વની પ્રશંસા કરી હોય. જેમકે – કામદેવ શ્રાવક, શ્રેણિક આદિ માટે શક્રએ દેવોની સભામાં કહેલું કે, તેઓ નિગ્રંથ પ્રવચનમાં એવા દૃઢ છે કે કોઈ દેવ કે દાનવ ઇત્યાદિ તેમને ચલિત કરવા સમર્થ નથી. ભગવંત મહાવીર માટે પણ આવી જ પ્રશંસા કરેલી – પછી સંગમ દેવે ઉપસર્ગ કર્યા. ઇત્યાદિ. ૦ સનકુમાર ઇન્દ્રનું આધિપત્ય : જ્યારે શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર વચ્ચે કોઈ વિષયમાં વિસંવાદ થાય છે ત્યારે તેઓ સનકુમાર ઇન્દ્રનું સ્મરણ કરે છે. સનકુમારે જે પણ કંઈ કહે છે તેને તે બંને ઇન્દ્રો માન્ય કરે છે. તેમની આજ્ઞા, સેવા, આદેશ અને નિર્દેશમાં રહે છે. ૦ અસુરેન્દ્રનો ઉત્પાત : કોઈ વખતે અસુરેન્દ્રએ ઉત્પાત કર્યો – યાવત્ – શક્રેન્દ્રએ વજ છોડ્યું. અસુરેન્દ્રએ ભગવંત મહાવીરનું શરણું ગ્રહણ કર્યું. તેથી ભગવંતની આશાતના ન થાય તે માટે તેને શક્રેન્દ્ર એ જવા દીધો. (આ કથા ભગવંત મહાવીરની કથામાં જોવી) ૦ શ૪ના દિવ્ય ભોગ : તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહાનું ચક્ર સદશ ગોળાકાર સ્થાન વિકુર્વે છે. જે લંબાઈ–પહોકાઈમાં એક લાખ યોજન અને પરિધિ ત્રણ લાખ યોજન અને કંઈક અધિક સાઢાતેર અંગુલ હોય છે. તેનો અત્યંત સમતલ અને રમણીય ભૂમિભાગ હોય છે – યાવત્ – મણિઓનો મનોજ્ઞ સ્પર્શ હોય છે. તે ચક્રાકારના મધ્ય ભાગે એક મહાનું પ્રાસાદાવાંસક વિકુર્વે છે. જે ૫૦૦ યોજન ઊંચુ હોય છે. તેનો વિખંભ ૨૫. યોજન હોય છે. તે પ્રભાપુંજથી વ્યાપ્ત હોય છે – યાવત્ તે દર્શનીય અને અભિરૂપ હોય છે. ઇત્યાદિ. ત્યાં લંબાઈ–પહોડાઈમાં આઠ યોજનની મણિપીઠિકા હોય છે. તેના પર મહાન દેવશય્યા હોય છે. ત્યાં શક્ર પરિવારસહિત આઠ પટ્ટરાણીઓ સાથે દિવ્યભોગો ભોગવે છે. 0 ઈશાનેન્દ્ર કથા – તામલિતાપસ કથા : સ્પષ્ટીકરણ - ઇશાન એ બીજા દેવલોક ઇશાનનો અધિપતિ છે. તેની કથા અત્રે લેવાના મુખ્ય બે કારણો છે – તેનો પૂર્વ ભવ મળે છે તે, ઇશાનેન્દ્રનું શક્રની માફક વિસ્તૃત સ્વરૂપ દર્શાવવું તે ઇશાનેન્દ્રનો ઉલ્લેખ આગમોમાં ઘણે સ્થાને જોવા મળેલ છે તે સર્વે સ્થાનોનો નિર્દેશન કરવા છતાં. ઘણાં બધાં આગમ સ્થળનો નિર્દેશ અત્રે કરેલ છે ઇશાનેન્દ્રનું કથા સ્વરૂપ એ જ અમારું કાર્યક્ષેત્ર હોવાથી ઇશાનેન્દ્રના સામાનિક, લોકપાલ, અગ્રમડિલી ઇત્યાદિના આયુ સ્થાન, રાજધાની આદિ વિગતો આ કથાનકમાં સમાવેલ નથી. જો કે ઇશાનેન્દ્રના પ્રસંગો, ભગવંતની પાસે, દેશના શ્રવણ કે અચાન્ય પ્રસંગે તેનું આગમન શક્રેન્દ્ર જેટલું જોવા મળતું નથી. તેથી વિશેષ કથા વિસ્તાર શક્ય નથી. ૦ આગમ સંદર્ભ : | |
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy