SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા - ત્યારપછી ત્યાંથી ઉત્તરના પ્રેક્ષાઘરમંડપમાં, ત્યાંથી ઉત્તરના મુખમંડપમાં, ત્યાંથી સિદ્ધાયતનના પૂર્વ દ્વારે આવ્યો. સર્વત્ર પૂર્વવત્ અર્ચના કરીને પૂર્વના મુખ મંડપના દક્ષિણ, ઉત્તર અને પૂર્વવર્તી દ્વારોમાં ક્રમથી પૂર્વોક્ત પ્રકારે પૂજા કરીને પૂર્વ દ્વારેથી નીકળીને પૂર્વપ્રેક્ષા મંડપમાં આવીને પૂર્વવત્ અર્ચના કરી, પછી તે જ પ્રકારે ચૈત્યસ્તૂપ, જિનપ્રતિમા, ચૈત્યવૃક્ષ, માહેન્દ્રધ્વજ અને નંદાપુષ્કરિણીની પૂજા અર્ચનાદિ કરીને ત્યાંથી સુધર્માંસભા તરફ જવાનો સંકલ્પ કર્યો. ત્યારે તે વિજયદેવ – યાવત્ – સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત વાદ્યધ્વનિ સાથે સુધર્માંસભાની પ્રદક્ષિણા કરીને પૂર્વદિશાના દ્વારેથી તેમાં પ્રવેશ્યો. જિનઅસ્થીઓને જોતાં જ પ્રણામ કર્યા. લોમહસ્તક લઈને તે વર્તુળાકાર ગોળ મંજૂષાનું પ્રમાર્જન કર્યું, મંજૂષા ખોલી, તેમાં રાખેલા જિન અસ્થીઓને લોમહસ્તકથી પ્રમાí, સુગંધિત ગંધોકથી એકવીશ વખત ધોયા --યાવત્ – ધૂપ આપ્યો. ત્યારપછી માણવક ચૈત્ય સ્તંભનું લોમહસ્તકથી પ્રમાર્જન કરી યાવત્ ધૂપ આપ્યો. ત્યારપછી સુધર્માંસભાના મધ્ય ભાગે આવી સિંહાસનની પ્રમાર્જના આદિ પૂર્વવત્ અર્ચના કરી. - - - - ત્યારપછી મણિપીઠિકા, દેવશયનીય, મહેન્દ્રધ્વજ, ચૌપાલક નામક પ્રહરણ કોષ, સુધર્મસભાનું દક્ષિણ દ્વાર આદિની પૂર્વવત્ પૂજા કરી પછીની બધી વક્તવ્યતા સિદ્ધાયતનની માફક જાણવી. બધી જ સભાઓની પૂજાનું કથન સુધર્માસભા મુજબ જાણવું. ફર્ક માત્ર એ કે ઉપપાતસભામાં દેવશયનીયની પૂજાનું કથન કરવું અને શેષ સભાઓમાં સિંહાસનોની પૂજાનું કથન કરવું હ્રદની પૂજાનું કથન નંદાપુષ્કરિણીની માફક કરવું. વ્યવસાય સભામાં પુસ્તકરત્નનું લોમહસ્તકથી પ્રમાર્જન યાવત્ -- અર્ચના કરી. ત્યારપછી સિંહાસનનું પ્રમાર્જન યાવત્ – ધૂપ ઉવેખ્યો. શેષ સર્વકથન પૂર્વવત્. ત્યારપછી તે વિજયદેવ જ્યાં બલિપીઠ છે ત્યાં ગયો, ત્યાં અર્વાદિ કરી, આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! વિજયા રાજધાનીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખો, મહાપથો અને સામાન્ય પથોમાં, પ્રાસાદોમાં, પ્રાકારોમાં, અટ્ટાલિકાઓમાં, ચર્ચાઓમાં, દ્વારોમાં, ગોપુરોમાં, તોરણોમાં, વાવડીઓમાં, પુષ્કરિણીઓમાં - યાવત્ સરોવરોની પંક્તિઓમાં, આરામોમાં, ઉદ્યાનોમાં, કાનનોમાં, વનોમાં, વનખંડોમાં, વનરાજીઓમાં પૂજા અર્ચના કરો, આ કાર્ય સંપન્ન કરીને જણાવો. ત્યારે તે આભિયોગિક દેવોએ વિજયદેવની આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન કર્યું. ત્યારે વિજયદેવ તે સાંભળીને હર્ષિત યાવત્ વિકસિત હૃદયવાળો થયો. પછી તે નંદાપુષ્કરિણી ગયો. પૂર્વના તોરણેથી તેમાં પ્રવેશ કર્યો – યાવત્ – હાથ-પગ ધોઈને, આચમન કરીને સ્વચ્છ અને પરમશુચિભૂત થઈને નંદાપુષ્કરિણીથી બહાર આવ્યો. સર્વઋદ્ધિપૂર્વક – યાવત્ – વાદ્ય ધ્વનિસહ સુધર્માંસભાની પૂર્વ દ્વારેથી પ્રવેશ કર્યો તથા જઈને સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠો. - ૦ વિજયદેવની પર્ષદા અને પરિવાર વર્ણન : - - ૪૩ ત્યારે તે વિજયદેવના ૪૦૦૦ સામાનિક દેવ પશ્ચિમોત્તર, ઉત્તર અને ઉત્તર પૂર્વમાં પહેલાથી રાખેલા ૪૦૦૦ ભદ્રાસનો પર બેઠા, ચાર અગ્રમહિષીઓ પૂર્વદિશામાં રાખેલા ભદ્રાસનો પર બેઠી. તે વિજયદેવની દક્ષિણપૂર્વ દિશામાં આત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેવો,
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy