SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આગમ કથાનુયોગ-૬ દક્ષિણ દિશામાં મધ્યમપર્ષદાના ૧૦,૦૦૦ દેવો, દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવો પૂર્વેથી રખાયેલા ભદ્રાસને બેઠા. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિ, પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો પહેલાથી રાખેલા અલગ-અલગ ભદ્રાસનો પર બેઠા. તે આત્મરક્ષક દેવો લોઢાના ખિલાથી યુક્ત કવચને શરીર પર ખેંચીને પહેરીને બેઠા હતા, ધનુષની પટ્ટિકાને મજબૂતીથી પકડી હતી, ગળામાં ચૈવેયક અને વિમલ સુભટ ચિલપટ્ટને ધારણ કરેલ હતા. તેઓએ આયુધો અને શસ્ત્રોને ધારણ કર્યા હતા. ધનવું લીધા હતા અને તેના તૂણીરોમાં વિવિધ પ્રકારના બાણો ભર્યા હતા. કોઈ કોઈના હાથોમાં ધનુષ, ચારુ, ચર્મ, દંડ, તલવાર, પાશ અને ઉક્ત બધાં શસ્ત્રાદિ હતા. તે આત્મરક્ષક દેવો રક્ષા કરવામાં, દત્તચિત્ત, ગુપ્ત હતા. તેમના સેતુ બીજા દ્વારા ગખ્ય ન હતા. તેઓ યુક્ત અને પોતાના આચરણ અને વિનયમાં કિંકરભૂત હતા. ત્યારે તે વિજયદેવ ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત અનીકો, સાત અનીકાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવો તથા વિજયદ્વાર, વિજયારાજધાની અને વિજયારાજધાનીના નિવાસી અનેક દેવો અને દેવીઓનું આધિપત્ય, પુરોવર્તિત્વ, સ્વામિત્વ, ભટ્ટિત્વ, મહત્તરકત્વ, આજ્ઞા ઐશ્વર્ય કરતો એવો અને બધાનું પાલન કરતો, મોટેથી વગાડાતા વાદ્યો, નૃત્ય, ગીત, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગ આદિના ધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરતો હતો. હે ભગવન્! વિજયદેવનું આયુષ્ય કેટલું છે ? હે ગૌતમ ! વિજયદેવનું આયુષ્ય એક પલ્યોપમનું છે. હે ભગવન્! વિજયદેવના સામાનિક દેવોનું આયુ કેટલું છે ? હે ગૌતમ ! એક તે પણ પલ્યોપમનું છે. આ પ્રકારે તે વિજયદેવ આવી મહાદ્ધિ, મહાવ્રુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખવાળો તેમજ મહાપ્રભાવશાળી છે. ૦ આગમ સંદર્ભ :ઠા. ૩ર૩, ૩૨૫; જીવા. ૧૭ર થી ૧૮૦; --- ૪ - ૪ - • શકે કથા – કાર્તિક શ્રેષ્ઠી કથા : સ્પષ્ટીકરણ :- શક્ર એ પહેલા દેવલોક સૌધર્મકલ્પનો અધિપતિ છે. તેની કથા અત્રે લેવાના મુખ્ય બે કારણો છે – (૧) તેનો પૂર્વભવ મળે છે તે અને (૨) શકનું વિસ્તૃત સ્વરૂપ દર્શાવવા માટે. આ સિવાય શક્રનો ઉલ્લેખ તો આગમમાં અનેકાનેક પ્રસંગોમાં અને સ્થાનમાં આવ્યા જ કરે છે. તે સર્વે સ્થાનોનો નિર્દેશ અમે કર્યો નથી તો પણ ઘણાં બધાં સ્થાનોનો નિર્દેશ કર્યો છે. જે અત્રે આપેલા આગમ સંદર્ભોને આધારે જોઈ શકાશે. જેમ ભગવંત મહાવીર કે ગૌતમના સર્વે આગમ સંદર્ભો કે સ્થાનોનો નિર્દેશ ન કરી શકાય કેમકે તે નામો વારંવાર આવ્યા જ કરે છે. તેમ શક્રનો નિર્દેશ પણ આગમમાં વિપુલ સ્થાને જોવા મળતો હોય તેથી ઉલેખ ન કરી શકાય. પણ મહત્ત્વના પ્રસંગોનો નિર્દેશ માત્ર કરેલ છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy