SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૩૯ - - મહાર્થ, મહાઈ અને મહાઈ વિપુલ અભિષેક સામગ્રીને ઉપસ્થિત કરી (લાવીને મૂકી). ત્યારપછી ૪૦૦૦ સામાનિક દેવ, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદાના દેવ, સાત અનીક, સાત અનીકાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને અન્ય ઘણાં જ વિજયા રાજધાની નિવાસી દેવ-દેવીઓના તેમના સ્વાભાવિક અને ઉત્તર વૈક્રિયથી નિર્મિત શ્રેષ્ઠ કમલના આધારવાળા, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલા, ચંદન ચર્ચિત, ગળામાં સૂત્ર બાંધેલા, પદ્મકમળથી ઢાંકેલા, સુકુમાર અને મૃદુ કરતલોમાં પરિગૃહીત ૧૦૦૮ સોનાના – થાવત્ – ૧૦૦૮ માટીના કળશોને સર્વ જળથી, સર્વ માટીથી, સર્વ ઋતુઓના શ્રેષ્ઠ સર્વ પુષ્પોથી – યાવત્ – સર્વોષધિ અને સરસવથી સંપૂર્ણ પરિવાર આદિ ઋદ્ધિ, ઘુતિ, સેના અને આભિયોગ્ય સમુદયની સાથે, સમસ્ત આદરથી, વિભૂતિથી, વિભૂષાથી, સંભ્રમથી દિવ્ય વાદ્યોના ધ્વની સહિત, મહતિ એવી ઋદ્ધિ, ધૃતિ, બળ, સમુદાય અને વાદ્યોના શબ્દોથી શંખ, પણવ, નગારા, ભેરી, ઝઘરી, ખરમુહી, હુડુક્ક, મુરજ, મૃદંગ અને દુંદુભિના નિનાદ અને ગૂંજની સાથે તે વિજયદેવને ઘણાં ઉલ્લાસથી અભિષિક્ત કરે છે. ત્યારપછી તે વિજયદેવના મહાનું ઇન્દ્રાભિષેક સમયે કોઈ દેવ દિવ્ય સુગંધિત, જળની વર્ષા એ રીતે કરે છે કે જેથી વધારે પાણી ન ઢોળાય, કીચડ પણ ન થાય અને રજકણ તથા ધૂળ દબાય જાય. કોઈ દેવ તે વિજયા રાજધાનીને નિહતરજ, નખરજ, ભ્રષ્ટજ, પ્રશાંતરજ, ઉપશાંત રજવાળી બનાવે છે. કોઈ દેવ રાજધાનીને અંદર અને બહારથી જળથી સિંચિત્ કરે છે. સંમાર્જને કરીછાણ વગેરેથી લીંપે છે. તેની ગલી અને બજારોમાં શુદ્ધ જળ છાંટે છે. કોઈ દેવ સંચાતિમંચ બનાવે છે. કોઈ દેવ જયસૂચક વિજય–વૈજયંતી નામક પતાકાઓથી વિજયા રાજધાનીને સજાવે છે, કોઈ દેવ વિજયા રાજધાનીને ચૂના વગેરેથી પોતવામાં અને ચંદરવા આદિ બાંધવામાં તત્પર છે. કોઈ દેવ ગોશીષ ચંદન આદિથી હાથોને લિંપીને પાંચે આંગળી સહિત હાથના થાપા લગાવે છે. કોઈ દેવ ઘર-ઘરના દરવાજે ચંદનના કળશ રાખે છે. કોઈ દેવ ચંદન ઘટ અને તોરણોથી દરવાજાને સજાવે છે. કોઈ દેવ પુષ્પમાળાઓથી તે રાજધાનીને સજાવે છે. કોઈ દેવ પંચવર્ષી શ્રેષ્ઠ સુગંધિત ફૂલોના પુંજોથી યુક્ત કરે છે તો કોઈ ગંધથી મધમધીત કરે છે કોઈ સોના, ચાંદી, રત્ન, વજ, ફૂલમાળા સુગંધિત દ્રવ્યો, સુગંધિત ચૂર્ણ, વસ્ત્ર કે આભરણોની વર્ષા કરે છે, તો કોઈ દેવ હિરણ્ય – યાવત્ – આભરણોને વિતરીત કરી રહ્યા છે. કોઈ દેવ કુત, વિલંબિત, કુતવિલંબિત, અંચિત, રિભિત, અંચિતરિભિત, આરભટ, ભસોલ, આરભટભસોલ, ઉત્પાત, નિપાત પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રચિત, ભ્રાંત, સંભ્રાંત નામની નાટકવિધિઓને પ્રદર્શિત કરી રહ્યા હતા. કોઈ દેવ તત, વિતત, ધન, ઝૂષિર વાજિંત્ર વગાડે છે. કોઈ દેવ ઉક્ષિત, પ્રવૃત્ત, મંદ અને રોચિતાવસાન ગીત ગાય છે, કોઈ દાન્તિક, પ્રતિકૃતિક, સામાન્યતોનિપાતિક, લોકમધ્યાવસાન અભિનય કરે છે. કોઈ દેવ સ્વયં પોતાને પાતળા કરે છે, ફૂલાવે છે, તાંડવ કે લાસ્યનૃત્ય કરે છે, છુ છુ કરે છે, કોઈ આ ચારે ક્રિયાઓ કરે છે. કોઈ દેવ આસ્ફોટન, વલ્સન, ત્રિપદી છેદન અને ઉક્ત ત્રણે ક્રિયા કરે છે, કોઈ કોઈ દેવ ઘોડાની માફક હણહણાટ, હાથીની માફક
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy