SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૩૭. ૦ વિજય દેવનો ઉપપાત (જન્મ) : તે કાળે, તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીની ઉપપાતસભામાં દેવશયનીયમાં દેવદૂષ્યની અંદર અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ શરીરમાં વિજયદેવરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે ઉત્પત્તિની પછી પાંચ પ્રકારની પર્યાપ્તિથી પૂર્ણ થયો. તે આ પ્રમાણે – આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાતિ, આનપ્રાણપર્યાપ્તિ અને ભાષામનપર્યાપ્તિ. ત્યારપછી વિજયદેવને આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, મારે માટે પહેલા શું શ્રેયસ્કર છે અને પછી શું શ્રેયસ્કર છે. મારે પહેલા શું કરવું જોઈએ અને પછી શું કરવું જોઈએ. મારા માટે પહેલા અને પછી શું હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિઃશ્રેયસકારી અને પરલોકમાં સાથે આવનાર છે. તે આવા પ્રકારનું ચિંતન કરે છે. ત્યારપછી તે સામાનિક પર્ષદાના દેવ વિજયદેવ તરફ જાય છે અને વિજયદેવને હાથ જોડીને મસ્તકે અંજલિ કરીને જય-વિજયથી વધાવે છે. પછી તેઓએ કહ્યું, હે દેવાનુપ્રિય ! આપની વિજયા રાજધાનીના સિદ્ધાયતનમાં જિનોત્સધ પ્રમાણ ૧૦૮ જિન (અરિહંત) પ્રતિમાઓ છે અને સુધમસભાના માણવક ચૈત્યસ્તંભ પર વજય ગોળ મંજૂષાઓમાં ઘણી જ જિન અસ્થિઓ છે – જે આપ દેવાનુપ્રિયને અને વિજયા રાજધાનીમાં રહેનારા અનેક દેવો તથા દેવીઓને માટે અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય છે, જે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ તથા પર્યપાસના કરવા યોગ્ય છે. આપ દેવાનુપ્રિયને માટે પહેલા પણ શ્રેયસ્કર છે, પછી પણ શ્રેયસ્કર છે, થાવત્ પહેલા પણ હિતકારી છે પછી પણ હિતકારી છે. યાવત્ પરલોકમાં પણ સાથે આવનાર થશે. એમ કહીને તેઓ જોર-જોરથી જયજયકાર શબ્દ કરે છે. ૦ વિજયદેવનો ભવ્ય અભિષેક : તે સામાનિક પર્ષદાના દેવો પાસેથી આ સાંભળીને તે વિજયદેવ હર્ષિત અને સંતુષ્ટ થયો – યાવત્ – તેનું હૃદય વિકસિત થયું. પછી તે દેવશયનીયમાંથી ઊભો થયો, દેવદૂષ્ય યુગલ ધારણ કર્યું. દેવશયનીયથી નીચે ઉતર્યો. ઉપપાતસભાના પૂર્વ ધારેથી બહાર નીકળ્યો. જ્યાં હૂદ હતું ત્યાં આવ્યો. હૃદની પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના તોરણેથી તેમાં પ્રવેશ કર્યો, પૂર્વ દિશાના ત્રિસોપાન પ્રતિરૂપકથી નીચે ઉતર્યો અને જળમાં અવગાહન કર્યું. જલમજ્જન અને જલક્રીડા કરી. એ રીતે અત્યંત પવિત્ર અને શુચિભૂત થઈને હૃદથી બહાર નીકળ્યો. પછી અભિષેકસભાએ ગયો. અભિષેકસભાની પ્રદક્ષિણા કરીને પૂર્વદિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પૂર્વ દિશા તરફ મુખ કરી સિંહાસન પર બેઠો. ત્યારપછી વિજયદેવની સામાનિક પર્ષદાના દેવોએ પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા અને કહ્યું, જલ્દીથી વિજયદેવના મહાર્થ, મહાઈ, મહાર્ણ અને વિપુલ અભિષેકની તૈયારી કરો. ત્યારે તે આભિયોગિક દેવ હર્ષિત, સંતુષ્ટ થયા – યાવત્ – તેઓનું હૃદય વિકસિત થયું. હાથ જોડી મસ્તકે અંજલિ કરી વિનયનપૂર્વક તેઓએ આ આજ્ઞા સ્વીકારી. ત્યારપછી તેઓ ઇશાન દિશામાં ગયા. વૈક્રિય સમુઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢ્યો. રત્નોના તથાવિધ બાદર પુગલોને છોડ્યા અને યથાસૂક્ષ્મ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy