SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા ૩૫ પ્રાસાદાવતંસકોની ઠીક મધ્યમાં સિંહાસન છે. ત્યાં ચાર દેવ રહે છે, જે મહર્તિક – યાવત્ - પલ્યોપમની સ્થિતિવાળા છે. વિજય રાજધાનીની અંદર બહુસમરમણીય ભૂમિભાગ છે. તે બહુસમરમણીય ભૂમિભાગના મધ્યમાં એક મોટું ઉપનિકાલયન છે. તે ઉપરિકાલયનની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યમાં એક મોટો મૂલ પ્રાસાદાવતંસક છે. તે પ્રાસાદાવતંસકના ઠીક મધ્ય ભાગમાં એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર એક મોટું સિંહાસન છે. ૦ વિજયદેવની સુધર્માસભા : તે મૂલ પ્રાસાદાવતંસકની ઉત્તર-પૂર્વમાં વિજયદેવની સુધર્માસભા છે, જે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન અને એક કોશ પહોળી તથા નવ યોજન ઊંચી છે. તે સેંકડો સ્તંભ પર સ્થિત છે. તેની વજવેદિકા પ્રાસાદીય અને દર્શનીય છે. શ્રેષ્ઠ તોરણ પર રતિ ઉત્પન્ન કરનારી શાલભંજિકાઓ છે. સુસંબદ્ધ, પ્રધાન અને મનોજ્ઞ આકૃતિવાળા પ્રશસ્ત વૈડૂર્યરત્નના નિર્મળ તેના સ્તંભ છે. તેનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોથી ખચિત છે. તેના સ્તંભો વજય વેદિકાયુક્ત હોવાથી સુંદર લાગે છે – ૪ ૪ – ૪ – તે સુધર્માસભા અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત છે યાવત્ પ્રતિરૂપ છે. તે સુધર્માસભાની ત્રણ દિશાઓમાં ત્રણ વાર છે તે દ્વારની આગળ મુખમંડપ છે. તે મુખમંડપોની આગળ અલગ-અલગ પ્રેક્ષાઘર મંડપ છે તેના ઠીક મધ્યભાગમાં અલગઅલગ વજમય અક્ષપાટક છે. તે વજય અક્ષપાટકના ઠીક મધ્યભાગમાં અલગ-અલગ મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓ ઉપર અલગ-અલગ સિંહાસન છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ત્રણ દિશાઓમાં ત્રણ મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓ ઉપર અલગ-અલગ ચૈત્યસ્તૂપ છે. – ૮ – ૮ – ૮ – તે ચૈત્યસ્તૂપની ચારે દિશાઓમાં અલગ-અલગ ચાર મણિપીઠિકા છે. તે ચારે પર અલગ-અલગ ચાર જિન (અરિહંત)ની પ્રતિમા છે. જે જિનોત્સધ પ્રમાણ છે, પર્યકાસને બેઠેલી છે તેનું મુખ સૂપ તરફ છે. આ અરિહંતના નામ – ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ છે. - તે ચૈત્યસ્તૂપોની આગળ ત્રણ દિશાઓમાં અલગ-અલગ મણિપીઠિકા છે. તે મણિપીઠિકાઓની ઉપર અલગ-અલગ ચૈત્યવૃક્ષ છે. – ૮ – ૮ – ૮ – ૮ – તે ચૈત્યવક્ષોની આગળ ત્રણે દિશામાં ત્રણ મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકા ઉપર અલગઅલગ મહેન્દ્રધ્વજ છે તે મહેન્દ્રધ્વજોની આગળ ત્રણે દિશાઓમાં ત્રણ નંદા પુષ્કરિણી છે. તે પુષ્કરિણીઓની ત્રણે દિશાઓમાં અલગ-અલગ ત્રિસોપાનપ્રતિરૂપક છે. તે સુધર્માસભામાં ૬૦૦૦ મનોગુલિકાઓ છે. તે મનોગુલિકાઓમાં અનેક સોનાચાંદીના ફલક છે. તે ફલકમાં ઘણાં જ વજમય નાગદંતક છે. તે સુધર્માસભામાં ૬૦૦૦ ગોમાનસિકાઓ છે. તે ગોમાનસિકામાં સોના-ચાંદીના અનેક ફલક છે, તે ફલકોમાં અનેક વજમય નાગદંતક છે, તેમાં સીકા છે. સીકામાં ધૂપઘટિકાઓ છે. તે સુધમસભામાં બહુસમરમણીય ભાગ છે. તે બહુસમરમણીય ભૂમિભાગની ઠીક મધ્યમાં એક મણિપીઠિકા છે. તેના ઉપર માણવક ચૈત્યસ્તંભ છે. તે ચૈત્યસ્તંભની ઉપર અને નીચે છ-છ કોશને છોડીને વચ્ચેના સાડાચાર યોજનમાં
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy