SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આગમ કથાનુયોગ–૬ ૦ વિજયદેવ કથા ઃજંબુદ્વીપમાં ચાર દ્વાર છે = - તે આ પ્રમાણે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત. – ૪ – x - * - હે ભગવન્ ! વિજય દ્વારને વિજય દ્વાર કેમ કહે છે? હે ગૌતમ ! વિજયદ્વારમાં વિજય નામનો મહર્ધિક, મહાદ્યુતિવાળો પ્રભાવવાળો અને એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે. યાવત્ – મહાત્ આ વિજયદેવ ૪૦૦૦ સામાનિક દેવો, ચાર સપરિવાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદાઓ, સાત અનીકો, સાત અનીકાધિપતીઓ અને ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોનું વિજયદ્વારનું, વિજય રાજધાનીનું અને અન્ય ઘણાં જ વિજય રાજધાનીના નિવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય કરતો યાવતુ દિવ્ય ભોગોપભોગને ભોગવતો વિચરતો હતો. આ કારણથી હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહેવાય છે. અથવા હે ગૌતમ! વિજયદ્વારનું આ નામ શાશ્વત છે. ૦ વિજયા રાજધાની : - હે ભગવન્ ! વિજયદેવની વિજયા નામની રાજધાની ક્યાં છે ? હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વમાં તિર્થા અસંખ્ય દ્વીપ–સમુદ્રોને પાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં બાર યોજન ગયા પછી છે. આ રાજધાની ૧૨,૦૦૦ યોજન લાંબી-પહોળી તથા ૩૭,૯૪૮ યોજનથી કંઈક અધિક પરિધિ છે. તે વિજયા રાજધાની ચારે તરફથી એક પ્રાકાર દ્વારા ઘેરાયેલી છે. તે પ્રાકાર સાડા સાઽત્રીશ યોજન ઊંચો છે. તેનો વિષ્ફભ મૂળમાં સાડા બાર યોજન, મધ્યમાં છ યોજન, એક કોસ અને ઉપર ત્રણ યોજન અડધો કોસ છે. આ રીતે તે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળી છે. તે બહારથી ગોળ અને અંદરથી ચોરસ તથા ગાયની પૂંછના આકારે છે. તે સર્વ સ્વર્ણમય છે, સ્વચ્છ છે યાવત્ પ્રતિરૂપ છે. તે પ્રાકાર વિવિધ પ્રકારના પંચવર્ણી કપિશીર્ષકોથી સુશોભિત છે. તે આ પ્રમાણે – કૃષ્ણ – યાવત્ - સફેદ. તે કાંગરા લંબાઈમાં અડધો કોશ, પહોળાઈમાં ૫૦૦ ધનુષુ, ઊંચાઈમાં કંઈક ન્યૂન અડધો કોશ છે. - - ૦ વિજયા રાજધાની સંબંધી વર્ણનનો સંક્ષેપ :– - (અહીં વિજયદેવના મુખ્ય અધિકારને આશ્રીને કથા હોવાથી વિજયા રાજધાની સંબંધી ભૌગોલિક વર્ણનનો સંક્ષેપ કરેલ છે. જિજ્ઞાસુઓ જીવાજીવાભિગમ સૂત્ર–૧૭૩ માં વિસ્તૃત વર્ણન જોઈ શકે છે.) વિજયા રાજધાનીની એક-એક બાહામાં ૧૨૫-૧૨૫ દ્વાર છે. તે દ્વારોની બંને તરફ નૈષધિકાઓમાં બબ્બે ચંદન કળશ પરિપાટી છે ઇત્યાદિ. તે દ્વારોની બંને તરફની નૈષધિકાઓમાં બબ્બે પ્રકંઠક છે. તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક પર અલગ-અલગ પ્રાસાદાવતંસક છે, તે વિજ્યારાજધાનીની ચારે દિશાઓમાં ૫૦૦-૫૦૦ યોજનના અપાંતરાલ છોડ્યા પછી ચાર વનખંડ છે. આ પ્રત્યેક વન એકએક પ્રાકારથી પરિવેષ્ઠિત છે – યાવત્ – ત્યાં અનેક વાણવ્યંતર દેવ—દેવીઓ રહે છે, સુવે છે, ઊભે છે, બેસે છે, પડખાં બદલે છે, રમણ કરે છે, લીલા કરે છે, ક્રીડા કરે છે યાવત્ પોતાના કલ્યાણકારી ફળવિપાકનો અનુભવ કરતા વિચરે છે. - તે વનખંડોના ઠીક મધ્યભાગમાં અલગ-અલગ પ્રાસાદાવતંસક છે. તે-તે -
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy