SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ-દેવી કથા બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્પલદેસણમ્સ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમ: આરસ-કથાનુયોગ-૧ ખંડ-૬ દેવ-દેવી કથાનક આગમ કથાનુયોગનો આ છઠો ખંડ છે. આ ખંડમાં દેવો અને દેવીઓની કથા છે. જો કે તેમાં સ્વતંત્ર કથાનકનું પ્રમાણ ઓછું છે અને પૂર્વ ભવે થયેલ શ્રમણ અથવા શ્રમણીઓ પછી દેવ કે દેવી થયા હોય ત્યારપછી તેઓ ભગવંતની પર્થપાસના કરવા અથવા નૃત્યવિધિ પ્રદર્શિત કરવા અથવા કોઈ—કોઈને પ્રતિબોધ કરવા આવ્યા હોય – તેવી તેવી કથાઓના સંદર્ભો વિશેષ છે. દેવ અને દેવીઓના ચાર વિભાગ મેં આગમોમાંથી તારવેલા છે. - (૧) દેવ કે દેવી – જે સ્વતંત્ર કથાનક રૂપે વિસ્તારથી કે સંક્ષેપથી હોય. - (૨) દેવ કે દેવી – જેનો નામોલ્લેખ તો હોય, પણ તેની કોઈ કથા ન હોય. – (૩)મૃત્યુ કે કાળધર્મ પામીને દેવ થયા હોય તેવો માત્ર ઉલ્લેખ હોય. - (૪) જેમનો માત્ર પિશાચ કે અન્ય કોઈ દેવરૂપે ઉલ્લેખ હોય પણ તેનું નામ ક્યાંય ન હોય તેવા જેમના વિસ્તાર કે સંક્ષિપ્ત કથાનક છે, તેમાં શક્યતઃ કથાઓ અથવા તેને કથાના સંદર્ભોનો આ વિભાગમાં સમાવેશ કરેલ છે. જેમકે – વિજય દેવ. ... જેમનો માત્ર ઉલ્લેખ છે, તેવા દેવ કે દેવી – જેમકે અંબ, અંબરિસ આદિ પરમાધામી દેવો, અત્રજૈભક આદિ ભક દેવો, ઉત્તરપુર આદિ ક્ષેત્રાધિપતિ દેવો, અંગારક આદિ ૮૮ ગ્રહ દેવો... આવા આવા દેવોના માત્ર ઉલ્લેખ છે. તેની કોઈ કથાવિશેષ નથી. તો આવા દેવોનો આ કથાનુયોગમાં સમાવેશ કર્યો નથી. .... જે કથાઓમાં માત્ર ઉલ્લેખ હોય કે અમુક વ્યક્તિ જેમકે આનંદ, સુલસા આદિ મૃત્યુ પામીને દેવ થયા કે ધર્મચિશ્રમણ, દ્રૌપદી શ્રમણી આદિ કાળધર્મ પામીને દેવ થયા પણ દેવ કે દેવીરૂપે જમ્યા પછી દેવ કે દેવીના ભવ સંબંધી કોઈ જ કથાનક ન હોય તો તેવા દેવ-દેવીનો પણ આ વિભાગમાં અલગ કોઈ નિર્દેશ કર્યો નથી. ... માત્ર ઉપસર્ગ કરવા આવેલ કોઈ દેવ કે પિશાચ આદિ હોય અથવા ઉલ્લેખ હોય પણ તેનું નામ ન હોય - જેમકે સુલસાની પરીક્ષા કરવા આવેલ દેવ, કામદેવને ઉપસર્ગ કરેલ દેવ આદિ, તો આવા આવા દેવોનો અહીં અલગ ઉલ્લેખ નથી કર્યો. એક મર્યાદા સ્વીકાર - કથાઓના સંકલન વખતે તેમના–તેમના દેવભવની વિશેષતા દર્શાવતી કથાઓમાંથી સંભવતઃ નામો કે ઉલેખો મેં જુદા નોધ્યા હતા જ. તો પણ કેટલાંક દેવ-દેવીઓના અતિ સામાન્ય કે સંક્ષિપ્ત ઉલ્લેખો જ આવ્યા હોય તો તેવા નામો દષ્ટિપથની બહાર જતાં આ વિભાગમાં નોંધ ન પામ્યા હોય તેવું બન્યાનો પૂર્ણ સંભવ છે. અલબત આગમ કથાનુયોગમાં આવી કથા તો છૂટી નથી જ ગઈ. માત્ર આ વિભાગમાં નામોલ્લેખ ન થયો હોય તેમ બની શકે. ૬/૩
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy