SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ત્યારે ત્યાં જઈને નામ લખજે. ત્યારે તર્ક આમ્રફળ લાવીને આપીશ. તું મને ધર્મથી પ્રતિબોધિત કરજે. તે પ્રમામે તેને કહીને દેવ ગયો. અન્યદા કોઈ કાળે તે દેવ ચ્યવીને તેણીના ગર્ભમાં ઉત્પન્ન થયો. તે મૂકે દેવે કહ્યા પ્રમાણે કર્યું. યોગ્ય કાળે પુત્ર જન્મ્યો. ત્યારપછી તે મૂક પ્રવ્રુજિત થયો. કાળધર્મ પામી દેવલોકે ગયા. અવધિજ્ઞાનથી પૂર્વભવ જોયો. નીચે આવીને પેલો દેવ જે ત્યાં પુત્રરૂપે જન્મેલો તેને ઘણી મહેનતે પ્રતિબોધ કર્યો. તેણે પ્રવ્રજ્યા લીધી. ફરી પેલાએ દીક્ષા છોડી દીધી. એ રીતે ત્રણ વખત પ્રતિબોધ કરી દીક્ષા અંગીકાર કરાવી. પછી ઘણાં ઉપાયોથી તેને પ્રતિબોધ કર્યો. --- × - × - X - થઈ પૂર્વે તેને સંયમ અરુતિ હતી, પછી ઘણી મહેનતે બોધ પામ્યા પછી રતિ ઉત્પન્ન આ અતિ પરીષહનું દૃષ્ટાંત છે. ૦ આગમ સંદર્ભ :ઉત્તચૂ.પૃ. ૬૩ થી ૬૫; - X ૨૪૭ ૦ રોહગ :– (બુદ્ધિમાનત્વનું દૃષ્ટાંત) X ઉત્તનિ. ૯૮ની વૃ; (અહીં રોકને દૃષ્ટાંત સ્વરૂપે નોંધેલ છે કથા સ્વરૂપે નહીં) અવંતી નગરી પાસે નટ નામે ગામે ભરત નામે નટ હતો. તેની પહેલી સ્ત્રી મરણ પામી, તે સ્ત્રીથી ઔત્પાતિકી બુદ્ધિવાળો રોહક નામે પુત્ર હતો. ભરત બીજી સ્ત્રી સાથે પરણ્યો. તે સ્રી રોહકને પૂરું ખાવા—પીવા આપતી ન હતી. રોહકે કહ્યું કે, તું મને પૂરું ખાવા આપતી નથી. હું તને તેનું ફળ બતાવીશ. પણ તે રોહકને ગણકારતી ન હતી. કોઈ દિવસે રોહક રાત્રે ઉઠીને તેના પિતાને બોલ્યો, જુઓ આ કોઈ પુરુષ આપણા ઘરમાંથી નાસી જાય છે. તે સાંભળીને ભરતે શંકાથી વિચાર્યું કે, જરૂર મારી સ્રી કુલટા છે, એવા વહેમથી તે તેણી પ્રત્યે પ્રીતિરહિત થયો. તે સ્ત્રીએ જાણ્યું કે, આ રોહકનું કામ છે. તેણે રોહકને કહ્યું કે, મારો અપરાધ ક્ષમા કર. ત્યારે રોહકે કહ્યું, સારું હું બધું ઠીક કરી દઈશ. કોઈ રાત્રે ભરતનટ ચાંદનીમાં બેઠા હતા. તેની શંકા નિવારવા રોહકે બાળચેષ્ટાથી કહ્યું કે, હે પિતા ! જુઓ આ કોઈ માણસ જાય છે. ભરતે હાથમાં ખડ્ગ લીધું. ત્યારે રોહકે આંગળી વડે પોતાની છાયા બતાવીને કહ્યું, આ રહ્યો, પહેલા પણ આવો જ માણસ મેં જોયો હતો. ત્યારે ભરત ફરી પોતાની પત્ની પર પ્રીતિવાળો થયો. કોઈ વખતે રોહકે રેતીમાં કિલ્લાસહિત અવંતી નગરી દોરી. તે વખતે જ રાજા ત્યાં આવ્યો. રોહકે દોરેલી નગરી વચ્ચે થઈને ચાલ્યો. રોકે તેને કહ્યું, આ માર્ગે ન ચાલો. જુઓ આ મારો રાજ દરબાર જુઓ. રાજાએ આશ્ચર્ય પામીને કહ્યું કે, અહો ! આ બાળકની બુદ્ધિ તીવ્ર છે, જેણે મારી નગરીને આબેહૂબ ચીતરી છે. રાજાને થયું આ રોહક ઘણો બુદ્ધિમાન છે. તે રાજાને ૪૯૯ મંત્રીઓ હતા. મારે સર્વાધિક બુદ્ધિમાન્ મંત્રી જોઈએ. જેથી રાજ તેજ વૃદ્ધિ પામે. તેમ માની રોહકની પરીક્ષા કરવા વિચાર્યું. રાજાએ જાહેર કર્યું કે, તમારા ગામ બહાર મોટી શિલા છે. તે શિલાને ઉપાડ્યા
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy