SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ આગમ કથાનુયોગ-૬ વિના જ રાજાને બેસવા યોગ્ય મંડપ કરી તેનું ઢાંકણ તે શિલા કરો. રોહકે તે જાણ્યું ત્યારે કહ્યું કે, શિલાની નીચેથી ખોદો. જરૂર પડે ત્યાં થાંભલાઓ ગોઠવો. શિલાને ઉપાડ્રયા વિના જ ભોંયરાની જેમ ફરતી ભીંત કરો. એટલે મંડપ તૈયાર થઈ જશે. રાજાએ ફરી તે ગામમાં મેંઢો મોકલ્યો. પંદર દિવસ પછી આ મેંઢો પાછો આપો ત્યારે તેનું વજન આટલું જ હોવું જોઈએ. રોહકે કહ્યું, તેમાં શું ? એક વરૂ લાવીને સામે રાખો. મેંઢાને ખોરાક આપી પુષ્ટ કરો. તેનું વજન વધશે નહીં – ઘટશે પણ નહીં. ફરી રાજાએ કુકડો મોકલીને કહ્યું કે, બીજા કુકડા વિના આ કુકડાને એકલો લડાવવો. રોહકે તેની સામે દર્પણ મૂકાવ્યો. કૂકડો પોતાના પ્રતિબિંબને બીજો કુકડો માની અહંકારથી લડવા માંડ્યો. ફરી રાજાએ આજ્ઞા કરી, નદીની રેતીના દોરડાં વણીને લાવો. રોહકે તુરંત જ કહેવડાવ્યું તમે એક નમુનાનું દોરડું મોકલો જેથી અમે તમારી જરૂરિયાત મુજબના દોરડા બનાવીને મોકલી આપીશું. ફરી રાજાએ રોગી–વૃદ્ધ અને મરવા પડેલા હાથીને મોકલ્યો. પછી કહેવડાવ્યું કે, આ હાથી મરી ગયો એમ કહ્યા વિના હંમેશા મને તેના ખબર મોકલાવો. હાથી તો રાત્રે જ મરી ગયો. રોહકે કહ્યું, હું કહું તેમ કરો. જેમકે – હાથી ઉઠતો નથી, બેસતો નથી, ખાતો નથી, પીતો નથી કોઈ ચેષ્ટા કરતો નથી ઇત્યાદિ. પણ મરી ગયો તેમ ન કહ્યું. ફરી રાજાએ આજ્ઞા કરી કે, તમારા ગામના કૂવો જલ્દી અહીં મોકલાવો. રોહકે કહેવડાવ્યું કે, ગામડાના કૂવા સ્વભાવથી બીકણ હોય છે. નગરનો માર્ગ બતાવનાર કૂવાને કહો કે તે અહીં આવીને આ કૂવો લઈ જાય. ફરી રાજાએ આજ્ઞા કરી કે, અગ્નિના સંબંધ વિના ખીર રાંધીને મોકલો. રોકે કહ્યું, ચોખાને પાણીમાં પલાળો, સૂર્યના કિરણથી તપાવો, ઝાણ અને પલાલની ગરમી આપો, તે ચોખાને દૂધની ભરેલી તપેલીમાં મૂકો એટલે ખીર થઈ જશે. રાજા તેની બુદ્ધિથી પ્રભાવિત થયો. તેથી કહેવડાવ્યું કે, તારે શુક્લ કે કૃષ્ણ પક્ષ, રાત્રિ કે દિવસ, છાયો કે તડકો, ચાલીને કુકે ઉડીને, માર્ગે કે ઉન્માર્ગે નહીં અને નાહીને કે નાહ્યા વગર એવી રીતે આવવું, રોહકે કંઠ સુધી સ્નાન કર્યું. ગાડાંના ચીલા મળે ચાલ્યો, ઘેટા પર બેસીને, સંધ્યા સમયે, અમાવાસ્યા અને પડવાના દિવસ મધ્યે એ રીતે ગયો. ઇત્યાદિ – ૮ – ૮ – ઇત્યાદિ – ૮ – ૮ – રોહકની બુદ્ધિના અનેક દષ્ટાંતો નંદીસૂત્ર આદિમાં નોંધાયેલા છે. ૦ આગમ સંદર્ભ :ઠા ૩૫ની વૃ: આવ.યૂ.૧–૫ ૫૪૫; નંદી ૯૭ની વૃક ૦ વિજયા :- (પ્રમાદ ન કરવા સંબંધે દૃષ્ટાંત). ભૃગુકચ્છ નગરે વિજય નામે એક આચાર્યના શિષ્ય હતા. તેમને ઉજ્જૈની
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy