SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ આગમ કથાનુયોગ-5 ૦ કપિલા :- (ભક્તિ પણ નહીં – બહુમાન પણ નહીં તેનું દષ્ટાંત) જ્યારે શ્રેણિક રાજા નરકે જશે, તેવું કથન ભગવંત મહાવીરે કર્યું. ત્યારે વ્યથિત થયેલા શ્રેણિકે નરકથી બચવાના ઉપાય પૂછયો. ત્યારે ભગવંત મહાવીરે કહ્યું કે, જો કપિલાદાસી સાધુનું દાન આપે, સન્માન કરે તો તું નરકે ન જાય. ત્યારે શ્રેણિક મહારાજાએ તે કપિલા બ્રાહ્મણીને સાધુને વંદના કરવા તથા દાન આપવા કહ્યું, તેણી ન માની, તેને મારી, ધમકી આપી, તો પણ ન માની. કેમકે તેણીમાં ભક્તિ પણ ન હતી અને બહુમાન પણ ન હતું. ૦ આગમ સંદર્ભ :નિસીભા. ૧૩ની ચું; આવ.સૂર- ૧૯૯; આવનિ ૧૨૮૪– ૦ કાલોદાયી :- (રાત્રે આહાર ગ્રહણ કરવા સંબંધે દષ્ટાંત) ભગવંતે રાત્રિભોજનનો પ્રતિષેધ કર્યો છે. તે ન માનવું તે આજ્ઞાભંગ છે. તે વિષયમાં મિથ્યાત્વે ભિક્ષનું દૃષ્ટાંત છે. કાલોદાયી નામે એક ભિક્ષુ હતો. રાત્રિએ કોઈ બ્રાહ્મણના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ્યો. બ્રાહ્મણી જ્યારે તેને માટે ભિક્ષા લેવા ગઈ ત્યારે ઘણાં અંધકારને કારણે ખીલો ન જોયો. તે ખીલો ઘુસી જતાં તેનું પેટ ફાટી ગયું. તે ગર્ભવતી હતી. ગર્ભ તરફડતો પડ્યો અને મૃત્યુ પામ્યો. તેણી પણ મૃત્યુ પામી. તેને જોઈને લોકો કહેવા લાગ્યા કે, આ અદૃષ્ટ ધર્મવાળા છે. આ પ્રમાણે સાધુ પણ જો રાત્રે ભિક્ષા માટે નીકળે તો ભગવંતના સર્વજ્ઞત્વમાં શંકા ઉત્પન્ન થાય. તેમજ સંયમ અને આત્મ વિરાધના પણ થાય છે. ૦ આગમ સંદર્ભ :બુ.ભા. ૨૮૪૧ની વ – ૪ – ૪ – ૦ કુવિકર્ણ - (વર્ગણા સંબંધે દૃષ્ટાંત) આ ભરતક્ષેત્રમાં મગધ જનપદમાં કુચિકર્ણ નામે ધનપતિ હતો. તેની પાસે ઘણી ગાયો હતી. હજારોની સંખ્યામાં તે ગાયોના અલગ-અલગ પાલનને માટે ઘણાં વર્ગો પાડી, ગોવાળો રાખ્યો હતો. તેઓની વચ્ચે પરસ્પર કલહ થતો હતો. તેથી તેના અવ્યામોહને માટે લાલ, સફેદ, કાળી, કાબરચિતરી એવા ભેદે ગાયોના વર્ગો પાડેલા હતા. તે વિષયક આ દૃષ્ટાંત છે. અહીં ગોપપતિના સ્થાને તીર્થંકર, ગોપને સ્થાને શિષ્યો,ગાય સદશ પુલાસ્તિકાય પરમાણુ આદિ વર્ગણા કલ્પવી. ૦ આગમ સંદર્ભ :આવ..૧–. ૪૪; આવ.નિ. ૩૯ની 4 ૦ કોંકણક :- (અપરાધ પદે સીદાતા સાધુનું દષ્ટાંત) એક વૃદ્ધ પોતાના પુત્ર સાથે પ્રવ્રુજિત થયો. તે પુત્ર તેને ઘણો જ ઇષ્ટ હતો. તેણે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy