SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૨૨૯ કહ્યું, હું ઉપાનહ વિના ચાલી શકતો નથી. ત્યારે અનુકંપાથી તે વૃદ્ધ મુનિએ તેને ઉપાનહ આપ્યા. ફરી કહ્યું કે, તાપથી મારું માથું ફાટી જાય છે. ત્યારે તેને છત્ર આપ્યું. પછી માથું ફાટે છે તેમ કહ્યું ત્યારે ખલિતો કર્યો. ફરી તેણે કહ્યું હું ભિક્ષાર્થે જવા સમર્થ નથી. ત્યારે તેને ઉપાશ્રયમાં રહેવા અનુજ્ઞા આપી. પછી ભૂમિએ સૂઈ નહીં શકું કહેતા સંથારાની અનુજ્ઞા આપી. લોચ કરી નહીં શકું તેમ કહેતા અસ્તરા વડે મુંડન કરાવ્યું. એ જ રીતે તેને સ્નાન માટે અનુજ્ઞા આપી, વસ્ત્ર યુગલ આપ્યા. આ પ્રમાણે તે કુંકણકે જે-જે માંગ્યું, તે-તે સ્નેહબુદ્ધિથી તેને સ્થવિરમુનિ આપતા ગયા. એ પ્રમાણે સમય જતાં તેણે કહ્યું કે, હું અવિરત્તિ વિના (સ્ત્રી વિના) રહી શકતો નથી. ત્યારે વૃદ્ધ મુનિએ કહ્યું, દુષ્ટ ! ચાલતો થા. અયોગ્ય જાણીને તેને કાઢી મૂક્યો. પછી સંખડી ભોજનના અજિર્ણથી મૃત્યુ પામ્યો. મરીને પાડ થયો. ભાર વહન કરવા લાગ્યો. તે સ્થવિર મુનિ પણ શ્રમણ પર્યાય પાળીને, કાળધર્મ પામીને દેવલોકે ઉત્પન્ન થયો. અવધિજ્ઞાનથી પોતાના પુત્રશિષ્યને જોયો. તેથી તેને પ્રતિબોધ કરવા વિચાર્યું. તેને પૂર્વભવની બધી વાતો યાદ કરાવી ત્યારે તે પાડાને ઇહાપોહ કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવે તેને પ્રતિબોધ કર્યો. પછી ભક્ત પ્રત્યાખ્યાન કરીને દેવલોકે ગયો – આ રીતે અપરાધપદનું વર્જન કરવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :દસ.નિ. ૧૭૬ + 9: ૦ કોંકણકદાચક :- (અનનુયોગ સંબંધે દષ્ટાંત) કોંકણક દેશમાં એક દારક હતો. તેની માતા મૃત્યુ પામી. પિતાને બીજી સ્ત્રી પ્રાપ્ત ન થઈ. કોઈ વખતે તેનો પુત્ર લાકડા લેવા ગયો. ત્યારે પિતાએ વિચાર્યું કે, પુત્ર છે ત્યાં સુધી મને કોઈ સ્ત્રી પ્રાપ્ત થશે નહીં. તો આ પુત્રને મારી નાંખ્યું. તેણે પુત્રને બાણ લાવવા કહ્યું. તે પુત્ર દોડ્યો. તેણે પોતાના પુત્રને વિંધી નાંખ્યો. પુત્રે પૂછયું કે, તમે મને કેમ બાણ માર્યું ? ફરીથી બાણ માર્યું. અહીં પુત્રે એમ વિચાર્યું કે, મને અજાણતા વિંધ્યો તે અનનુયોગ. હું અને મારી નાખુ એમ જાણીને માર્યો તે અનુયોગ. ૦ આગમ સંદર્ભ :બુદ.ભા. ૧૭૨ + + આવનિ ૧૩૪ + ૬ આવ.યૂ. ૧૬૨; -– – ૮ – ૦ કુંચિત – (પ્રાયશ્ચિત્ત વૃદ્ધિનું દષ્ટાંત) કુંચિત નામે એક તાપસ હતો. ફળને માટે અટવીમાં ગયો. તેણે નદીમાં મૃત મત્સ્ય જોયો. તેણે અલ્પસાગારિક વિચારી ખાધો. તે અનુચિત આહારથી અજીર્ણ થતા આગાઢ ગ્લાનિ થઈ. વૈદ્ય તેને પૂછયું કે, શું ખાધું હતું? તાપસે કહ્યું કે, ફળ સિવાય કશું ખાધું નથી. વૈદ્ય કહ્યું, કંદાદિથી તારું શરીર નિષ્કાષાયિત થયું છે, તું ઘી પી. તેણે સારી રીતે ઘી પીધું. વ્યાધિ વધી. ફરી પૂછયું, વૈદ્ય કહ્યું કે, તું સાચું બોલ. ત્યારે કહ્યું કે, મેં મસ્ય
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy