SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૬ ઇન્દ્રપુર નામે નગર હતું. ત્યાં ઇન્દ્રદત્ત રાજા હતો. તેને બાવીસ પુત્રો હતા. તે પુત્રો તેને પ્રાણ સમાન પ્યારા હતા. એક અમાત્યની પુત્રી પરિણત વયવાળી હતી. તેણી કોઈ વખતે ઋતુનાતા હતા. તેણીને જોઈને રાજાએ પૂછયું, આ કોણ છે ? તેઓએ કહ્યું, તમારી રાણી છે. ત્યારે તે તેની સાથે એક રાત્રિ રહ્યો. તેણીને ગર્ભ રહ્યો. અમાત્યે તેણીને પહેલાથી જ કહેલું કે, જો તને ગર્ભ રહે તો મને કહેવું. તેણીને નવ માસે પુત્રનો જન્મ થયો. તેણીનો દાસીપુત્રો પણ તે દિવસે જન્મ્યો. તે આ પ્રમાણે - અગ્નિ, પર્વતક, બહુલિક, સાગર. તે બધાં સાથે જ કલાચાર્ય પાસે કળા શીખવા લાગ્યા. તે વખતે આચાર્ય તેને મારતા, કુટતા, પીટતા. તે બાળક તેને ગણકારતો ન હતો. બીજા બાવીશ કુમારોએ પણ તે કળા ગ્રહણ કરી. તે આચાર્ય જેને જેને શીખવતા તેને મારતા–કૂટતા. જો કોઈ માતા વગેરેને ફરિયાદ કરે તો કહેતા કે શું આ બધું સુલભ છે ? આ તરફ મથુરામાં જિતશત્રુ નામે રાજા હતો. તેને નિવૃત્તિ નામે કન્યા હતી. રાજાએ તેણીને કહ્યું કે, તને જે ગમે તે તારો પતિ થાઓ. તેણી બલ–વાહનાદિ સાથે ઇન્દ્રપુર નગરે ગઈ. ત્યાં તેણીએ મત્સ્યવેધ (ચક્રવેધ) પરીક્ષા ગોઠવી. તેને રાધાવેધ પણ કહે છે. રાજા પોતાના પુત્રો સાથે ગયો. બધાં કુમારો નિષ્ફળ ગયા, ત્યારે રંક વેશે રહેલા સુરેન્દ્રદત્તે રાધાવેધ કર્યો. રાજાએ પૂછયું કે, આ કોણ છે ? ત્યારે અમાત્યએ તેને સર્વ વૃત્તાંત જણાવી કહ્યું કે, આ તમારો જ પુત્ર છે. તેનું સુરેન્દ્રદત્ત નામ રાખેલું છે. ત્યારે રાજાએ હર્ષિત થઈને કહ્યું કે, હે પુત્ર ! તારું કલ્યાણ થાઓ. તે નિવૃત્તિ કન્યા અને રાજ્યનું સુખ પ્રાપ્ત કર્યું. ઇત્યાદિ – આને દ્રવ્ય તિતિક્ષા જાણવી. – – ૪ – ૦ ઉત્કર્ટ :- (અરિહંત પ્રવચને વિષયે પાંચ વૈચિત્ર્યોમાંનું એક). - કુણાલા નગરીમાં કુરુટ અને ઉત્કડ નામે બે ઉપાધ્યાય જળનિર્ગમન માર્ગના મૂળ વસતા હતા. વર્ષાવાસે દેવતાએ અનુકંપન કર્યું, નાગરો બહાર નીકળ્યા. ત્યારે કરટે રોષ વડે કહ્યું, હે દેવ ! વરસો. ઉત્કર્ટે કહ્યું કે, પંદર દિવસ સુધી. ફરી કર્ટે કહ્યું, મુષ્ટિ પ્રમાણ ધારાથી વરસ. ઉત્કર્ટે કહ્યું કે, જેવો રાત્રે તેવો દિવસે વરસ. - ત્યારપછી કુણાલા નગરીએ પંદર દિવસ સુધી ધારાબદ્ધ વર્ષો વરસી. સમગ્ર કુણાલ જનપદ જળમય બની ગયું. ત્યારપછી ત્રીજે વર્ષે સાકેત નગરે બંને કાળ કરી અધઃસપ્તમી પૃથ્વીમાં બાવીશ સાગરોપમ સ્થિતિક નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. કુણાલાનગરીના વિનાશ કાળથી તેરમે વર્ષે ભગવંત મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૦ આગમ સંદર્ભ :આવ યૂ.૧–પૃ. ૬૦૧, આવ.નિ. ૧૦૨૩ની વ ઉત્ત..પૂ. ૧૦૮; – ૮ – ૪ – ૦ ઉદિતોદય :- (પારિણામિકી બુદ્ધિનું દષ્ટાંત) પુરિમતાલ નગરે ઉદિતોદય રાજા અને શ્રીકાંતાદેવી હતા. તે બંને શ્રાવક હતા.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy