SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ડૂબતા એવા મારું રક્ષણ કરીને મને સારી પ્રેરણા આપી. ત્યારપછી આત્મનિંદા કરતા તેમને કેવળજ્ઞાન થયું. ૦ આગમ સંદર્ભ -- પિંડનિ. ૫૨૦, ૫૨૧ + ; X * ૦ વિદ્યાપિંડના વિષયમાં ભિક્ષુપાસકનું દૃષ્ટાંત : ગંધસમૃદ્ધ નગરમાં ધનદેવ નામે ભિક્ષુપાસક હતો. તે ઘેર ભિક્ષાર્થે આવતા સાધુઓને કાંઈપણ આપતો ન હતો. કોઈ વખત યુવાન સાધુઓ એક સ્થાને ભેગા થયા. તેઓને સંવાદ થયો કે, આ ધનદેવ અતિપ્રાંત છે. તે સાધુઓને કાંઈપણ આપતો નથી. તો તેમની પાસેથી ઘી—ગોળ અપાવે તેવો કોઈ સાધુ છે ? ત્યારે તેમાંના કોઈ એક સાધુએ કહ્યું કે, જો મને અનુજ્ઞા આપો તો હું લાવી આપું. ૨૧૧ ત્યારપછી તે સાધુ તેને ઘેર ગયા. વિદ્યા વડે તેને મંડ્યો. ત્યારે તેણે સાધુઓને કહ્યું, હું તમને શું આપું ? તેમણે કહ્યું કે, ઘી, ગોળ, વસ્ત્ર આપો. ત્યારે તેણે સાધુઓને ઘી, ગોળ વગેરે (સ્વજનો દ્વારા) ઘણું અપાવ્યું. ત્યારપછી તે ક્ષુલ્લક સાધુએ વિદ્યા સંહરી લીધી. એટલે તે ભિક્ષુપાસક પોતાના મૂળસ્વભાવ પર આવ્યો. પછી જ્યારે તેણે ઘી વગેરે જોયું ત્યારે કોણે મારા ધૃતાદિક હરણ કર્યા ? કોણે મને છેતર્યો ? એમ વિલાપ કરવા લાગ્યો. ત્યારે તેના પરિવારે કહ્યું, તમે જ અમારા હાથે સાધુઓને અપાવ્યું. હવે આમ કેમ બોલો છો ? તે સાંભળી ધનદેવ મૌન થઈ ગયો. સાધુએ આ રીતે વિદ્યાપિંડ ગ્રહણ ન કરવું. તેથી જુગુપ્સાદિ દોષ થાય છે. ૦ આગમ સંદર્ભ પિંડનિ. ૫૩૩, ૫૩૪ + ; X X ભત્ત પરિણ્ણા :- આ પ્રકિર્ણકમાં કેટલાંક અતિસંક્ષિપ્ત દૃષ્ટાંત છે. વિવિધ આરાધક— વિરાધકના નામ અને તેનો કિંચિત્ માત્ર પરીચય છે. જો કે તેમાંના ઘણાં દૃષ્ટાંત પૂર્વે શ્રમણ— શ્રમણી આદિ વિભાગોમાં વિસ્તારથી આવી ગયા છે. જેની આગમ સંદર્ભમાં તે—તે કથાને અંતે નોંધ પણ કરી જ છે. તો પણ અહીં તેનો પુનઃઉલ્લેખ થયેલ છે. તે ભક્તપરિજ્ઞાનું માહાત્મ્ય જાળવવાના હેતુથી અને આરાધક–વિરાધક દૃષ્ટાંતરૂપ પાત્રોના પરીચય માટે નોંધેલ છે. આગમ સંદર્ભ નોંધ :– દૃષ્ટાંતો અતિ-અતિ લઘુ હોવાથી તેમના તેમના ક્રમાનુસાર આગમ સંદર્ભ બધાં આરાધકોના નામોને અંતે ક્રમસહિત એક સાથે જ આપેલ છે. (૧) મૃગાવતી :– વંદન, ખામણાં અને સ્વનિંદા વડે સો ભવનું ઉપાર્જેલ કર્મ એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની માફક ક્ષય કરે છે. (૨) દત્ત :- મિથ્યાત્ત્વથી મૂઢ ચિત્તવાળો, સાધુ ઉપર દ્વેષ રાખવા રૂપી પાપથી તુરૂમણિ નગરીના દત્તરાજાની માફક આ લોકમાં જ તીવ્ર દુઃખ પામે છે. (૩) કૃષ્ણ અને શ્રેણિક :– શુદ્ધ સમકિતી પરંતુ અવિરતિ જીવ પણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. જેમ જેમનું આગામી કાળે કલ્યાણ થવાનું છે એવા હરિવંશના
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy