SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ આગમ કથાનુયોગ-૬ પ્રભુ એટલે કે કૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક રાજાઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. (૪) નંદમણિકાર :-- રાજગૃહ નગરમાં નંદમણિકાર શેઠનો જીવ જે દેડકો થયો હતો (પછી દર્દરાક દેવ બન્યો) તેની જેમ શ્રી જિનેશ્વર ભગવંતોની ભક્તિ ઉત્તમ કુળમાં ઉત્પત્તિ અને સુખની નિષ્પત્તિ કરે છે. (૫) કમલયક્ષ – માઠાં કર્મ કરનારો મહાવત જેને ચોર કહીને શૂળીએ ચઢાવેલો તે પણ “નમો જિણાણ” (નમો અરિહંતાણં) કહેતો શુભ ધ્યાને વર્તતો કમલપત્રના જેવી આંખોવાળો યક્ષ થયો. (૬) સુદર્શન :– અજ્ઞાની ગોવાળ પણ નવકાર મંત્ર આરાધીને મરણ પામ્યો, તે ચંપાનગરીમાં શ્રેષ્ઠીપુત્ર સુદર્શન નામે પ્રખ્યાત થયો. (૭) યુવરાજર્ષિ :- જો લૌકિક લોક વડે યુવરાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો. તે રાજા રૂડું સાધુપણો પામ્યો, તો જિનેશ્વર ભગવંતના કહેલા સૂત્રો વડે જીવ મરણના દુઃખથી છૂટે એમાં શું કહેવું ? (૮) ચિલાતીપુત્ર :- ઉપશમ, વિવેક, સંવર એ પદના સ્મરણ માત્રથી તેટલાં જ શ્રુતજ્ઞાનવાળો ચિલાતીપુત્ર જ્ઞાન તેમજ દેવપણું પામ્યો. (૯) ચંડાલ – સુસુમાર કહને વિશે ફેંકાએલ છતાં ચાંડાલ પણ એક દિવસમાં એક જીવ બચાવવાથી ઉત્પન્ન થયેલ અહિંસા વ્રતના ગુણ વડે દેવતાનું સાનિધ્ય પામ્યો. (૧૦) વસુરાજા - એક વખત પણ બોલેલ જૂઠ ઘણાં સત્ય વચનોનો નાશ કરે છે.કેમકે એક અસત્ય વચન વડે વસુરાજા નરકમાં ગયો. (૧૧) કઢીડોશી–શ્રાવકપુત્ર – ચોરીથી નિવર્સેલો શ્રાવકનો પુત્ર જેમ સુખ પામ્યો - કીઢી નામની ડોશીને ઘેર ચોર પેઠા. તે ચોરોના પગોને વિશે ડોશીએ મોરપિંછ વડે અંગુઠો ચિતર્યો, તે નિશાનીએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માર્યા (૧૨) વૃદ્ધવણિક આદિ :– કામિત જીવ સુખનું તુચ્છપણું જોતો નથી. પરિણામે રૌદ્રનરકની વેદનાઓ અને ઘોર સંસાર સાગરના વહનને તે જીવ પામે છે – જેમ ૦ કામના સેંકડો બાણો વડે વિંધાએલો તે વૃદ્ધવણિક રાજાની સ્ત્રીએ પાયખાનાની ખાળમાં નાખ્યો, ત્યાં અનેક દુર્ગધોને સહન કરતો રહ્યો. ૦ કામાસક્ત માણસ વૈશ્યાયનતાપસ માફક ગમ્ય અગમ્યને જાણતો નથી– ૦ જેમ કુબેરદત્ત શેઠ તુરંત બાળકને જન્મ આપનારી પોતાની માતા સાથે સુરત (વિષય) સુખથી રક્ત થયેલો રહ્યો. (૧૩) દેવરતિ :- સાકેત નગરનો દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયો, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંક્યો અને તે બૂડ્યો. (૧૪) ગંગદત્ત :- રાગને લીધે જેણે રાગગર્ભિત નિયાણું કર્યું. વિશ્વભૂતિ – વેષને કારણે જેણે દ્વેષગર્ભિત નિયાણું કર્યું. ચંડપિંગલ :- ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરવી રૂપ મોહગર્ભિત નિયાણું કર્યું. આ નિયાણ (શલ્ય) વડે શલ્યરહિત મુનિના મહાવ્રતો, અખંડ અને નિરતિચાર
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy