SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આગમ કથાનુયોગ કંઈપણ નહીં આપું. તેથી હવે તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. ત્યારે વિષ્ણમિત્રે કહ્યું, તમે ક્ષણ વાર અહીં રહો. પછી આપને બોલાવીશ. ત્યારપછી વિષ્ણુમિત્ર ઘરમાં પ્રવેશ્યો. તેણે પોતાની પત્નીને પૂછ્યું કે, તે સેવતિકા રાંધી, ઘી-ગોળ તૈયાર કર્યા ? તેણી બોલી કે, હા, સર્વ પરિપૂર્ણ કર્યું છે. ગોળ જોઈને તે બોલ્યો કે, આ ગોળ થોડો છે, માળ ઉપરથી ઘણો ગોળ લાવ, જેથી બ્રાહ્મણોને હું જમાડું. ત્યારે તે સ્ત્રી માળે ચડી, તેણે નીસરણી લઈ લીધી. પછી સુલકને બોલાવી પાત્ર ભરાય તેટલી સેવ અને ઘી–ગોળ આપવાનો આરંભ કર્યો. તેટલામાં ગોળ લઈને સુલોચના માળ ઉપરથી ઉતરવા ગઈ, પણ નીસરણી ન જોઈ, વિસ્મયથી ચારે તરફ જોયું. ત્યારે સુલકને દેવાતી ઘી–ગોળ સહિત સેવને જોઈ. તે વખતે હું આ ક્ષુલ્લક ડે પરાભવ પામી. તેથી “આને ન આપો – આને ન આપો” એમ મોટા શબ્દ વડે પોકારવા લાગી. સુલકે પણ તેણીની સન્મુખ જોઈને. મેં તારી નાસિકા ઉપર મૂત્ર કર્યું – એમ પોતાની નાસિકા ઉપર આંગળી મૂકીને દેખાડ્યું. પછી શુલ્લક પોતાની વસતિમાં ગયા. દૃષ્ટાંતનો ઉપનય - આ રીતે માનપિંડ સાધુએ ગ્રહણ ન કરાય. કેમકે ઉક્ત દૃષ્ટાંતમાં દ્વેષ થવાનો, આત્માની વિપત્તિનો અને શાસનની ઉડ્ડહણાનો દોષ સંભવે છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૫૦૩ + વૃક ૦ લોભપિંડમાં સિંહકેસરા લાડુનું દષ્ટાંત : ચંપા નામે નગરી હતી. ત્યાં સુવ્રત નામે સાધુ હતા. એક દિવસે તે નગરીમાં મોદકનો ઉત્સવ થયો. તે દિવસે સુવ્રત સાધુએ વિચાર્યું કે, આજે મારે સિંહસરા લાડુ જ વહોરવા. આ પ્રમાણે વિચારી ભિક્ષા લેવા ચાલ્યા. લોભથી બીજી કોઈ વસ્તુ વહોરતા ન હતા. સિંહકેસરા લાડુ ન મળવાથી તે અઢી પ્રહર સુધી ભમ્યા. તો પણ સિંહકેસરા લાડુ ન મળવાથી તે ચિત્તભ્રમ થઈ ગયા. તેથી જે ઘરમાં પ્રવેશતા ત્યાં તે “ધર્મલાભ” કહેવાને બદલે સિંકેસરા–(લાભ) એમ બોલવા લાગ્યા. એ પ્રમાણે આખો દિવસ ભમી રાત્રિએ પણ તે જ પ્રમાણે ભમતા બે પ્રહર ગયા. ત્યારે કોઈ શ્રાવકને ઘેર પહોંચ્યા. ધર્મલાભને બદલે સિંકેસરા એમ બોલ્યા. તે શ્રાવક ગીતાર્થ અને સમજુ હતો. તેણે વિચાર્યું કે, આ સાધુને ક્યાંય સિંહકેસરા લાડુ પ્રાપ્ત થયા નથી, તેથી ચિત્તભ્રમ થયો લાગે છે. એમ જાણીને તેમના ચિત્તની સ્થિરતા માટે સિંકેસરા લાડુનું ભરેલ પાત્ર તેની પાસે મૂક્યું. હે ભગવન્! આ સર્વે લાડુ ગ્રહણ કરો. ત્યારપછી સિંકેસરા લાડુ ગ્રહણ કરતાં તેનું ચિત્ત સ્વસ્થ થયું. પછી શ્રાવકે કહ્યું, હે ભદંત ! આજે મારે પુરિમનું પ્રત્યાખ્યાન કરેલ છે. તે પૂર્ણ થયું કે નહીં ? સુવ્રત સાધુએ આકાશ તરફ જોઈને ઉપયોગ મૂક્યો. તારા મંડળથી જાણ્યું કે, અર્ધરાત્રિ થઈ છે. ત્યારે તેમને તેમના મૂઢ આચરણ માટે પસ્તાવો થયો. શ્રાવકને કહ્યું કે, લોભથી સંસારમાં
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy