SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ મરી ગયા. હવે ત્રીજી વખત કોઈનું મૃત્યુ ન થાઓ. એવી અનુકંપાથી તેણે ગૃહનાયકને બધી વાત કરી. તેણે આવીને આદર સહિત સાધુને ખમાવીને ઘેવર વગેરે તેમને ઇચ્છા પ્રમાણે આપ્યું. તેથી સાધુએ આવો ક્રોધપિંડ ગ્રહણ ન કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ : પિંડનિ. ૫૦૨ + વૃ; ૨૦૮ × - ૦ માનપિંડ વિષયમાં ક્ષુલ્લક સાધુનું દૃષ્ટાંત : ગિરિપુષ્પિત નામક નગરમાં સિંહ નામે આચાર્ય સપરિવાર પધાર્યા. એક વખત તે નગરમાં સેવક્કિ (સેવ)નો ઉત્સવ હતો. તે દિવસે સૂત્રપોરિસી બાદ એક સ્થાને યુવાન સાધુ એકઠા થયા. તેમનો પરસ્પર સંલાપ થયો. તેમાં કોઈક સાધુ બોલ્યા કે, આ બધામાંથી કયા સાધુ સવારમાં સેવ લાવશે ? ત્યારે ગુણચંદ્ર નામક ક્ષુલ્લક સાધુ બોલ્યા, હું લાવીશ. ત્યારપછી તેઓએ કહ્યું કે, જો તે સેવ સર્વ સાધુઓને પરિપૂર્ણ નહીં થાય, અથવા ઘી—ગોળરહિત હોય તો તેનું કંઈપણ પ્રયોજન નથી. તેથી જો અવશ્ય લાવવી જ હોય તો પરિપૂર્ણ ઘી—ગોળસહિત લાવવી. ત્યારે ક્ષુલ્લક સાધુ બોલ્યા કે, તમે ઇચ્છો છો તેવી જ લાવીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને નંદીપાત્ર લઈને ભિક્ષાને માટે તે નીકળ્યા. કોઈ કૌટુંબિકને ઘેર ગયા. * = ત્યાં તેણે ઘણી સેવ જોઈ, તથા ઘી ગોળ પણ ઘણાં તૈયાર કરેલા જોયા તે વખતે તેણે અનેક વચનો વડે સુલોચના નામક કૌટુંબિકપત્ની પાસે યાચના કરી, પણ તેણીએ સર્વથા નિષેધ કર્યો. ત્યારે ઇર્ષ્યા પામેલા ક્ષુલ્લકે કહ્યું કે, હું ઘી–ગોળ સહિત આ સેવને અવશ્ય ગ્રહણ કરીશ. સુલોચના પણ કોપાયમાન થઈને બોલી કે, જો તું આ સેવમાંથી કંઈપણ પામે, તો મારી નાસિકા પર પ્રસ્રવણ કર્યું તેમ જાણવું. તે સાંભળી ક્ષુલ્લક “આ કાર્ય અવશ્ય કરવું' તેમ વિચારીને તેના ઘરમાંથી બહાર નીકળી ગયો. ત્યારપછી કોઈને પૂછ્યું કે, આ ઘર કોનું છે ? તેણે કહ્યું, વિષ્ણુમિત્રનું છે. ત્યારે તે ક્ષુલ્લક સાધુએ સભામાં જઈને પૂછયું કે, હે મનુષ્યો ! અહીં વિષ્ણુમિત્ર કોણ છે ? ત્યારે તે લોકોએ પ્રયોજન પૂછ્યું. સાધુએ કહ્યું કે, મારે તેમની પાસે કંઈક યાચના કરવાની છે. ત્યારે હાસ્ય કરીને તેઓ બોલ્યા કે, તે કૃપણ છે, તેથી તમને કંઈપણ આપશે નહીં. તે વખતે વિષ્ણુમિત્રએ પોતાની અપભ્રાજના ન થાય, એમ વિચારી સાધુ પાસે જઈને કહ્યું, હું જ વિષ્ણુમિત્ર છું. માંગો. ત્યારે ક્ષુલ્લક સાધુ બોલ્યા કે, સ્ત્રીને આધીન એવા છ પુરુષોમાંથી જો તું એક પણ ન હો તો તારી પાસે યાચના કરું. તે સાંભળી લોકો બોલ્યા કે, તે છ પુરુષ કોણ ? જેમાંનો આ વિષ્ણુમિત્ર એક હોય તેમ તમે કહો છો– ત્યારે ક્ષુલ્લક સાધુએ કહ્યું કે, (૧) શ્વેતાંગુલિ, (૨) બકોડ્ડાયક, (૩) કિંકર, (૪) સ્નાયક, (૫) ગૃધ્ર ઇવ રિંખી, (૬) હદજ્ઞ. તે આ પ્રમાણે— (૧) શ્વેતાંગુલિ – કોઈ ગામમાં કોઈ પુરુષ પોતાની પત્નીની ઇચ્છા પ્રમાણે વર્તનારો હતો. તે સવારે ભોજન માંગે ત્યારે તેની પત્ની કહેતી – તમે જ ચૂલામાંથી રાખ બહાર કાઢો. પાડોશીને ત્યાંથી અગ્નિ લાવો, તેના વડે અગ્નિ સળગાવો, ચૂલા પર
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy