SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૦૭ પડ્યો. ત્યારે ગામનાયકનો કોપ શાંત થઈ ગયો. (વછેરો મરણ પામ્યો.). તેથી આ રીતે સાધુએ નિમિત્તદોષ સેવવો ન જોઈએ. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૪૭ર થી ૪૭૪ + વૃ; ૦ જાતિ આજીવકમાં બ્રાહ્મણપુત્ર કથનનું દષ્ટાંત : ભિક્ષા માટે અટન કરતા કોઈ સાધુએ કોઈ બ્રાહ્મણના ઘેર પ્રવેશ કર્યો. ત્યાં તેના પુત્રને હોમાદિક ક્રિયા કરતો જોઈને તેની સન્મુખ પોતાની જાતિ પ્રગટ કરવા માટે તે બોલ્યો કે, હોમાદિક ક્રિયાને અવિતપણે કરવાથી આ તમારો જ પુત્ર જણાય છે. અથવા આ સમ્યક્ પ્રકારે ગુરુકૂળમાં રહ્યો લાગે છે. અથવા આ પુત્ર આચાર્યના ગુણો સૂચવે છે, તેથી આ અવશ્ય મોટો આચાર્ય થશે. તે સાધુએ આ પ્રમાણે કહ્યું, ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે સાધુ ! તમે અવશ્ય બ્રાહ્મણ છો જેથી હોમાદિકને જાણો છો. તે સાંભળી સાધુ મૌન રહ્યા. આ રીતે તેણે પોતાની જાતિ પ્રગટ કરી. આમ કરવામાં અનેક દોષો છે. તે આ પ્રમાણે – જો તે બ્રાહ્મણ ભદ્રિક હોય તો જાતિના પક્ષપાતથી ઘણો આહારાદિક અપાવે. તે જાતિ ઉપજીવનનું નિમિત્ત છે, તેથી ભગવંતે તેનો નિષેધ કર્યો છે. જો તે બ્રાહ્મણ પ્રાંત હોય તો – આ પાપાત્મા ધર્મભ્રષ્ટ થયો છે, તેણે બ્રાહ્મણપણાનો ત્યાગ કર્યો છે એમ વિચારી ઘરમાંથી કાઢી મૂકે ઇત્યાદિ અનાદર કરે. આ જ પ્રમાણે ક્ષત્રિયાદિકને વિશે જાણવું. તેથી સાધુએ જાતિ આજીવિકા પ્રાપ્ત ન કરવી જોઈએ. ૦ આગમ સંદર્ભ:પિંડનિ ૪૭૭ + 4 ૦ ક્રોધપિંડના વિષયમાં મૃત માસિક ભોજનનું દૃષ્ટાંત – હસ્તકલ્પ નામક નગરમાં કોઈ બ્રાહ્મણને ઘેર મરેલાના નિમિત્તે માસિક ભોજન અપાતું હતું. તે વખતે કોઈ સાધુ માસક્ષમણને અંતે ભિક્ષા માટે આવ્યા. તેમણે બ્રાહ્મણને અપાતા ઘેબર જોયા. તે સાધુને દ્વારપાળે નિષેધ કર્યો. ત્યારે ક્રોધથી તે સાધુ બોલ્યા કે, આ મૃતક માસિક ભોજન તમે ન આપ્યું તો હવે બીજા માસિકમાં આપશો. આ પ્રમાણે કહીને તે સાધુ ત્યાંથી નીકળી ગયા. ' હવે દૈવયોગે તે જ ઘરમાં પાંચ-છ દિવસ બાદ બીજો મનુષ્ય મરી ગયો. તેના માસિકમાં ભોજન દેવાનું હતું. ત્યારે તે સાધુ ફરી માસક્ષમણને પારણે ત્યાં પહોંચ્યા. તે જ પ્રમાણે દ્વારપાળે નિષેધ કર્યો. ત્યારે ફરી ક્રોધિત થઈ બોલ્યા કે, ફરી બીજા માસિકમાં તમે મને ભોજન આપશો. ત્યારપછી દૈવયોગે ફરી તે જ ઘરમાં કોઈ મરણ પામ્યું. આ જાણી તે સ્થવિર દ્વારપાળે વિચાર્યું કે, પહેલાં પણ આ સાધુએ બે વખત આવો શાપ આપેલો, બે મનુષ્ય
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy