SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આગમ કથાનુયોગ-૬ છો. તો આપની દોહિત્રી (મારી પુત્રી) રેવતીને કહેજો કે, તારી માતાએ કહ્યું છે કે, આ ગામના લોકો મારા ગામ ઉપર ધાડ મારવા આવવાના છે. તેથી તારી મિલ્કત એકાંતમાં ગોપવી દેજે. તે સાધુએ તે પ્રમાણે જ કર્યું. આ વાત રેવતીએ પોતાના પતિ સંગમને કહી. સંગમે આખા ગામને કહી. આખું ગામ સન્નદ્ધબદ્ધ કવચવાળું થયું. બીજે દિવસે વિસ્તીર્ણ ગામના લોકો મોટી ધાડ લઈને આવ્યા. પરસ્પર મોટું યુદ્ધ થયું. તેમાં સુંદર અને બલિષ્ઠ પણ ધાડમાં ગયેલા. સંગમ ગોકુળ ગામમાં જ વસતો હતો. ત્રણે મૃત્યુ પામ્યા. તે વખતે દેવકી પતિ, પુત્ર અને જમાઈનું મરણ સાંભળીને વિલાપ કરવા લાગી. તેને નિવારવા ગામલોકો આવ્યા. પૂછયું કે, જો ગોકુળ ગામે ધાડ આવતી ન જાણી હોત તો આ કોઈ મરત નહીં. તેથી બતાવ કે કયા દુષ્ટ આ વાત કરી દીધેલી ? આવું લોકવચન સાંભળી તે ક્રોધ પામીને બોલી કે મેં અજાણતાથી જ મારા પિતામુનિ સાથે સંદેશો મોકલેલો. ત્યારે તે સાધુ સર્વ સ્થાને ધિક્કાર પામ્યા. તેમજ પ્રવચનની મલિનતા થઈ. તેથી સાધુએ આ રીતે દૂતી કાર્ય કરવું ન જોઈએ. ૦ આગમ સંદર્ભ:પિંડનિ. ૪૬૮, ૪૬૯ + વૃક્ષ ૦ નિમિત્ત દોષ વિષયે ગ્રામનાયકનું દષ્ટાંત : કોઈ ગ્રામનાયક પોતાની પત્નીને ઘેર મૂકી યાત્રાએ ગયેલો. તેની પત્નીને કોઈ સાધુએ નિમિત્ત વડે વશ કરી. દૂર ગયેલા ગામનાયકે વિચાર્યું કે, હું ગુપ્ત રીતે એકલો ઘેર જઈને મારી પત્નીની ચેષ્ટા જોઉં કે, તે સુશીલ છે કે દુ:શીલ છે ? તેણીએ સાધુ પાસેથી પતિનું આગમન જાણીને સર્વ પરિવારને તેની સામે મોકલ્યો. ગામનાયકે તેમને પૂછયું કે, હે ભાઈઓ ! તમે મારું આગમન કઈ રીતે જાણ્યું ? તેઓ બોલ્યા કે, અમને ભોગિનીએ કહ્યું, તે વખતે તે સાધુ તેના ઘેર આવેલ હતા. ભોગિનીને ખાતરી કરાવવાપૂર્વક તેણે ગ્રામનાયક જે વાતો કરેલી, જે સ્વપ્ન જોયેલું, તેણીના શરીર પર જે નિશાનીઓ હતી ઇત્યાદિ સર્વે કહ્યું. ત્યારે ગામનાયક ઘેર આવ્યો. તેણીએ તેનો યથોચિત સત્કાર કર્યો. ગામનાયકે તેણીને પૂછયું કે, તેં મારું આગમન કઈ રીતે જાણ્યું ? તેણી બોલી કે, સાધુના નિમિત્ત જ્ઞાનથી. ત્યારે તેણે પૂછયું કે તેની કોઈ બીજી પ્રતીતિ છે ? ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો. વળી તેણીએ કહ્યું કે, માર ગુહ્ય પ્રદેશે જે તલ છે, તે પણ સાધુએ કહ્યું, ત્યારે તે ઇર્ષ્યાથી સળગી ગયો. તેણે કોપાયમાન થઈને સાધુને પૂછયું, હે સાધુ ! બતાવો આ ઘોડીના ગર્ભમાં શું છે ? સાધુએ કહ્યું, પાંચ તિલકવાળો વછેરો છે. તે સાંભળી તેણે વિચાર્યું કે, જો આ વાત સત્ય હશે તો સાધુની બધી વાત સત્ય માનીશ. અન્યથા આમને મારી નાખીશ. આ પ્રમાણે વિચારીને તેણે ઘોડીનો ગર્ભ વિદાર્યો. ત્યારે તરફડતો પાંચ તિલકવાળો વછેરો ગર્ભમાંથી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy