SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આગમ કથાનુયોગ-૬ બ્રાહ્મણદિને આપીએ તો સાધુઓને તે જોઈને અશુદ્ધ હોવાની શંકા ન રહે. તેથી સાધુઓના આવાગમનના સ્થાને રહીને આપણે મોદક આપીએ. આ પ્રમાણે વિચારીને કોઈ મંદિરના બહારના ભાગે રહીને બ્રાહ્મણાદિને થોડું થોડું આપવા લાગ્યા. તે સમયે ઉચ્ચારાદિકને માટે નીકળેલ સાધુઓને જોઈને નિમંત્રણ કરી, ત્યારે સાધુઓએ તેને નિર્દોષ આહાર માની ગ્રહણ કર્યો. પછી તે સાધુઓએ બીજા સાધુઓને આ વાત કરી. અમુક સ્થાને એષણીય અશનાદિ પ્રાપ્ત થાય છે. તે સાંભળી તેઓ પણ ગ્રહણ કરવા આવ્યા. કેટલાંક તેમને ઘણાં મોદકાદિ આપવા લાગ્યા. તો કેટલાંક માયાકપટથી તેમને અટકાવવા લાગ્યા કે થોડું આપો, બાકીનું આપણા ભોજનને માટે થશે. ઇત્યાદિ. હવે જે સાધુઓ પ્રથમાલિકા (નવકારશી)વાળા હતા. તેમણે તો વાપર્યું, પણ પોરિસી આદિ પ્રત્યાખ્યાનવાળા હતા તેઓએ પણ આહાર કરવો શરૂ કર્યો. પુરિમકૃવાળા સાધુએ આહાર શરૂ કરેલ ન હતો. ત્યારે શ્રાવકોએ વિચાર્યું કે હવે સાધુઓએ વાપરી લીધું હશે. તેથી તેમને વંદનાદિ કરીને આપણે પોતપોતાના સ્થાને જઈએ. આ પ્રમાણે વિચારી કંઈક અધિક પ્રહર થયો ત્યારે સાધુને ત્યાં પહોંચી નૈષેધિકી કરી શ્રાવકોચિત વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે સાધુઓને થયું કે આ શ્રાવકો ઘણાં વિવેકી લાગે છે. પરંપરાએ જાણ્યું કે, તેઓ અમુક ગામના છે. તેથી નિશ્ચય કરતા જાણ્યું કે, આ લોકો તો આપણા નિમિત્તે જ અહીં મોદકાદિ આહાર લાવ્યા હતા. ત્યારે તેમને પુરિમ પ્રત્યાખ્યાન હતું. તેઓએ આહાર ન કર્યો. જેમણે હાથમાં કોળીઓ લીધેલો તેમણે પણ પાત્રમાં પાછો મૂકી દીધો. જેમણે મુખમાં મૂકેલ પણ ગળે ઉતારેલ ન હતો, તેમણે મુખમાંથી બહાર કાઢી રાખની કુંડીમાં નાંખી દીધો. બાકીનું બધું જ પરઠવી દીધું. આ રીતે સાધુઓએ અભ્યાહત દોષને વર્જવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૩૬૫ થી ૩૬૮ + વૃ; ૦ માલાપહત દોષમાં ભિક્ષુનું દૃષ્ટાંત : જયંતપુર નામે નગર હતું. ત્યાં યદિત્ર નામે ગૃહપતિ હતો. તેને વસુમતી નામે પત્ની હતી. કોઈ વખતે ધર્મચિ નામક સાધુએ ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ઇન્દ્રિય નીચડી, રાગદ્વેષરહિત અને એષણા સમિતિયુક્ત તે સાધુને જોઈને યદિન્નને વિશિષ્ટ દાન આપવાના પરિણામ થયા. તેણે વસુમતીને કહ્યું, આદરસહિત મોદક આપ. તે વખતે મોદક ઊંચે ટાંગેલા સિક્કામાં હતા. તેણી તે લેવા ઊભી થઈ, તે વખતે માલાપહત ભિક્ષા જાણીને તે સાધુ ઘરમાંથી નીકળી ગયા. ત્યારપછી તુરંત જ તે ઘેર કોઈ ભિક્ષુક આવ્યો. ત્યારે યદિન્ને પૂછયું કે, હે ભિક્ષુ ! હમણાં અહીં આવેલા સાધુએ સીક્કામાંથી લાવીને અપાતી ભિક્ષા કેમ ન લીધી ? ત્યારે તે ભિક્ષુ ઉપરના દ્વેષથી આ પ્રમાણે બોલ્યો કે, પૂર્વભવે દાન દીધું નથી તેવા આ રાંકડા છે. તેથી પૂર્વકર્મના યોગો તમારા જેવા શ્રેષ્ઠીના ઘેર સ્નિગ્ધ અને મધુર ભોજન પામતા હતા. પણ હવે તો તેમને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy