SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૨૦૩ ગરીબનું અંતપ્રાંતાદિક ભોજન જ ખાવાનું છે. ત્યારપછી તે યદિને તે જ મોદક વસુમતીને કહીને તે ભિલુને અપાવ્યા. ત્યારે તેણી મોદક લેવા ચડી. તે વખતે ઘડામાં ઉત્તમ દ્રવ્યથી બનાવેલા મોદકની સુગંધથી કોઈ પ્રકારે ત્યાં સર્પ આવીને રહેલો હતો. વસુમતી પગની પાની ઊંચી કરીને જેવો મોદક લેવા ઘડામાં હાથ નાંખતી હતી કે તે સર્પ તેને ડસ્યો. તે વખતે ચિત્કાર કરતી તે પૃથ્વી પર પડી. તે વખતે યદિ કુત્કાર કરતા સર્પને જોયો. ત્યારે મંત્રવાદીઓને બોલાવ્યા. ઔષધો મંગાવ્યા. તેના વડે તેણી નિરોગી થઈ. ફરી ધર્મચિ સાધુ ત્યાં ભિક્ષાર્થે આવ્યા. લક્ષદિત્રે તેમને ઠપકો આપતા કહ્યું કે, તમે તે વખતે સર્પને જોવા છતાં કેમ ઉપેક્ષા કરી ? ત્યારે તે સાધુ બોલ્યો કે, મેં સર્પને જોયો ન હતો. પણ સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા મુજબ અમે માલાપહત ભિક્ષા ગ્રહણ કરતા નથી. તેથી હું પાછો ફર્યો હતો. તે સાંભળીને યદિનને થયું કે, અહો ! ભગવંતે સાધુઓને આ કેવો નિરપાય ધર્મ કહ્યો છે. ઇત્યાદિ વિચારીને તેમણે ધર્મરચિને વંદના કરી. ત્યારપછી યદિન્ને તેમને જિનેશ્વર કથિત ધર્મ પૂછયો. સાધુએ પણ સંક્ષેપથી તેને ધર્મ કહ્યો. ત્યારે તેનું માથાસૂનવીય દૂર થયું. યથાસ્થિત હેય-ઉપાદેયને જોવા લાગ્યો. ત્યારપછી મધ્યાહ્ન ગુરુ પાસે આવીને વિશેષ પ્રકારે ધર્મ સાંભળીને તે દંપતીએ સંવેગ પામી દીક્ષા લીધી. આ રીતે સાધુએ માલાપહત દોષનો ત્યાગ કરવો જોઈએ. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૩૮૮, ૩૮૯ + 9: ૦ માલાપહત દોષ સંબંધે મોદકદાનનું દષ્ટાંત : જયંતી નામે નગરી હતી. તેમાં સુરદત્ત નામે ગૃહપતિ હતો. તેને વસુંધરા નામે પત્ની હતી. કોઈ વખતે તેને ત્યાં ભિક્ષા માટે ગુણચંદ્ર સાધુએ પ્રવેશ કર્યો. પ્રશાંત, નિસ્પૃહી એવા તેમને આવતા જોઈને સુરદત્તે વસુંધરાને કહ્યું કે, માળ ઉપરથી મોદક લાવીને સાધુને આપ. તે વખતે તે સ્ત્રી ગર્ભવતી હતી. તો પણ પતિની આજ્ઞા માની મોદક લાવવા માટે નીસરણી ઉપર ચઢવા પ્રયત્ન કરવા લાગી. તે વખતે માલાપહત ભિક્ષા સંયતને ન કહ્યું, તેમ વિચારી સાધુ ઘરમાંથી નીકળી ગયા. તે વખતે કોઈ કપિલમતનો ભિક્ષુ ભિક્ષાર્થે આવ્યો. ત્યારે તે સુરદત્તે તેને પૂછયું, હે ભિક્ષુ ! તે સાધુએ માળ ઉપરથી આણેલી ભિક્ષા કેમ ગ્રહણ ન કરી? ત્યારે ઇર્ષ્યા વશ તે સંબંધ વિનાનું કંઈક બોલી ગયો. ત્યારે સુરદત્તે વસુંધરાને તે ભિક્ષુને મોદક આપવા કહ્યું. વસુંધરા મોદક લેવા નીસરણી ઉપર ચડવા જતી હતી. ત્યારે તેણીનો પગ લપસ્યો, ગર્ભિણી હોવાથી તે પડી ગઈ, નીચે ઘંટ્રલો હતો. તેનો ખીલો વાગતા તેણીની કુક્ષિ ફાટી ગઈ, ગર્ભ તરફડતો બહાર પડી ગયો. પછી ગર્ભ અને વસુંધરા બંને મરણ પામ્યા. ફરી કોઈ વખતે ગુણચંદ્ર સાઇ ભિક્ષાર્થે તેને ત્યાં આવ્યા. ત્યારે સુરદત્તે તેમને પૂછયું કે, હે પૂજ્ય ! જેમ તમે જ્ઞાનચક્ષુ વડે આવનારા વિનાશને જોઈને ભિક્ષાનો ત્યાગ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy