SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૨૦૧ ત્યારે સંમતિ દરિદ્ર હોવાથી, કોઈ વણિકને ત્યાંથી બે પળી તેલ ઉધાર લીધું. તે પણ રોજ બમણું થાય તે રીતે પરત કરવાની શરતે લાવેલી. ભાઈમુનિને તેણે વહોરાવ્યું. તેમણે પણ શુદ્ધ છે તેમ માનીને ગ્રહણ કર્યું. પછી ભાઈ મુનિએ ધર્મ કહ્યો. તેથી કોઈના ઘરનું કામ કરીને ઉધાર લાવેલ તેલ પાછું આપી શકી નહીં. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો, તેથી શોક વ્યાપ્ત બનેલી તે બીજે દિવસે પણ બે પડી તેલ પરત કરી શકી નહીં. ત્રીજી દિવસે તેલનું દેવું ચાર પળી થઈ ગયું, તેથી તેટલું દેવું ભરપાઈ ન કરી શકી. એ પ્રમાણે તેણીનું વધતા–વધતા ઘડા પ્રમાણ થઈ ગયું. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે, જો મારું દેવું ન ભરી શકે, તો મારી દાસી થા. તેણીએ દાસીપણું અંગીકાર કરવું પડ્યું. કેટલાંક વર્ષે સંમત સાધુ વિહાર કરતા તે જ ગામે પાછા આવ્યા. પોતાની બહેનને ઘરમાં ન જોઈ. પછી તેની ભાળ મેળવતા ખબર પડી કે તેણીએ દાસીપણું કરવું પડે છે. ત્યારે તેણે બહેનને કહ્યું કે, તું ચિંતા ન કર, હું તને છોડાવી દઈશ. ત્યારપછી સંમતમુનિ શિવદેવ વણિકને ત્યાં પ્રવેશ કર્યો. ભિક્ષા આપવા માટે શિવા શેઠાણી હાથ ધોવા પ્રવૃત્ત થઈ. તે જોઈને સાધુએ તેનો નિષેધ કર્યો. અમારે આ રીતે ભિક્ષા ન કલ્પે. તે વખતે નીકટમાં રહેલા શ્રેષ્ઠીએ કહ્યું કે, આમાં કયો દોષ છે ? ત્યારે સાધુએ કાય-વિરાધનાદિ દોષોને જણાવ્યા. ત્યારે આદરવાળા શ્રેષ્ઠીએ તેને કહ્યું કે, આપની વસતિ ક્યાં છે ? અમે ધર્મશ્રવણ માટે આવીએ. ત્યારે સંમત સાધુએ કહ્યું કે, હજુ મને વસતિ મળેલ નથી. ત્યારે શિવ વણિકે પોતાના ઘરમાં વસતિ આપી. હંમેશાં તેમની પાસે ધર્મશ્રવણ કરવા લાગ્યો. પછી તેણે સમ્યકત્વ સહિત અણુવતો સ્વીકાર્યા. પછી અભિગ્રહોનું વર્ણન સાંભળીને શિવદેવે પણ નિયમ કર્યો કે, કોઈપણ પ્રવજ્યા અંગીકાર કરે તો મારે તેનો નિષેધ ન કરવો. ત્યારે શિવદેવનો મોટો પુત્ર અને સંમતિ બંને દીક્ષા લેવા તૈયાર થયા. શ્રેષ્ઠીએ બંનેને અનુમતિ આપતા તેઓએ દીક્ષા ગ્રહણ કરી. સાધુએ આ રીતે પ્રામિત્યદોષયુક્ત ભિક્ષા ગ્રહણ કરવી નહીં. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૩૪૫ થી ૩૪૭ + + ૦ અભ્યાહત દોષ વિષયમાં મોદક ભોજનું દષ્ટાંત : કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણાં શ્રાવકો અને ધનવતી આદિ ઘણી શ્રાવિકાઓ હતા. સર્વે એક જ કુટુંબના હતા. કોઈ દિવસે તેમને ત્યાં વિવાહ મહોત્સવ થયા પછી ઘણાં મોદક આદિ વધ્યા હતા. ત્યારે તેમને થયું કે આ સાધુઓને આપીએ જેથી આપણને ઘણું પુણ્ય થાય. કેટલાંક સાધુ ઘણાં દૂર છે, કેટલાંક નજીક છે. નદી હોવાથી અપૂકાય વિરાધનાને ભયે આવશે નહીં. વળી આવે તે પણ કદાચ આધાકર્મની શંકાથી ગ્રહણ કરશે. નહીં માટે આપણે જ ગુપ્ત રીતે જઈને તેમને વહોરાવીએ. વળી તેમને થયું કે સાધુઓને અશુદ્ધ માનીને ગ્રહણ ન પણ કરે, તો આપણે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy