SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ જોઈને તેમની ભક્તિમાં લીન બન્યો. તેથી તે રોજ તેઓને ભક્તાદિક માટે નિમંત્રિત કરવા લાગ્યો. ત્યારે સાધુઓ તેને શય્યાતરપિંડ જાણીને નિષેધ કરતા હતા. ત્યારે તે ખંખે વિચાર્યું કે, આ સાધુઓ મારે ઘેર કંઈ ભોજન આદિ ગ્રહણ કરતા નથી. જૉ કદાચ બીજાના ઘેરથી અપાવું તો ગ્રહણ કરશે નહીં. તેથી ચોમાસુ પૂર્ણ થવા આવ્યું ત્યારે સાધુઓને પૂછ્યું કે, આપને કઈ દિશામાં જવા ભાવના છે ? ત્યારે સાધુઓએ પોતાના ભાવ પ્રમાણે જે દિશામાં જવું હતું તે કહી દીધું. ૨૦૦ ત્યારપછી તે મંખ જે દિશામાં જઈ ગોકુળમાં પોતાનો પટ્ટ દેખાડી વચન કુશળતાથી લોકોને વશ કર્યા. ત્યારે તે લોકો પ્રસન્ન થઈને તેને ઘૃત-દૂધ આદિ આપવા લાગ્યા. ત્યારે તેણે કહ્યું કે, હું જ્યારે માંગુ ત્યારે આપજો. પછી વર્ષાકાળ વીત્યે સાધુઓ વિહાર કરતા તે દિશામાં આવ્યા. ત્યારે તે મંખે પોતાની ઓળખાણ ન થાય તે રીતે પૂર્વે નિષેધ કરેલા ઘી-દૂધ આદિ એકઠા કરીને રાખ્યા, પછી સાધુઓને નિમંત્રણા કરી. ત્યારે સાધુઓએ પોતાના જ્ઞાન પ્રમાણે છદ્મસ્થ દૃષ્ટિથી ગૌચરીના દોષો વિચાર્યા. તેમને તે આહાર શુદ્ધ જણાતા ગ્રહણ કર્યો. ભગવંતની આજ્ઞાનુસાર તેમણે ગવેષણા કરી. જો તેઓને તેમાં ક્રીત, અભ્યાહત કે સ્થાપના દોષ જણાયો હોત તો ગ્રહણ ન જ કરત. પણ અહીં પરભાવક્રીત હતું. સાધુઓએ જાણીને આ રીતે પરભાવક્રીત આહાર લેવો ન જોઈએ. ૦ આગમ સંદર્ભ : - પિંડનિ. ૩૩૮, ૩૩૯ + ; - X X ૦ પ્રામિત્ય દોષ સંબંધે ભગિનીનું દૃષ્ટાંત : કોશલા નામે દેશમાં કોઈ ગામ હતું. ત્યાં દેવરાજ નામે કુટુંબી રહેતો હતો. સારિકા નામે તેની પત્ની હતી. સમ્મત આદિ પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. આખું કુટુંબ શ્રાવકધર્મી હતું. તે જ ગામમાં શિવદેવ શ્રેષ્ઠી હતો. તેને શિવા નામે ભાર્યા હતી. કોઈ દિવસે તે ગામમાં સમુદ્રઘોષ નામે આચાર્ય પધાર્યા. તેમની પાસે જિનપ્રરૂપિત ધર્મ સાંભળી સંવેગ થવાથી સંમતે દીક્ષા લીધી. કાળક્રમે સંમત સાધુ સમર્થ ગીતાર્થ થયા. તેણે વિચાર્યું કે, મારો કોઈ કુટુંબીજન દીક્ષા ગ્રહણ કરે તો સારું. આ પ્રમાણે વિચારી ગુરુ આજ્ઞાપૂર્વક તેઓ પોતાના બંધુના ગામે આવ્યા. ત્યાં બહારના પ્રદેશમાં કોઈ પરિણત ઉંમરવાળા પુરુષને તેણે પૂછ્યું કે, અહીં દેવરાજ નામના કુટુંબીના કોઈ સંબંધી છે ? ત્યારે તેણે કહ્યું કે, ફક્ત સંમતિ નામક વિધવા પુત્રી જીવે છે. તે સાંભળી સંમત સાધુ તેણીને ઘેર ગયા. તેણીએ ભાઈમુનિને આવતા જોઈને બહુમાનપૂર્વક તેમને વંદના કરી, પછી પર્યુપાસના કરવા લાગી. તેણે ભાઈમુનિ નિમિત્તે કંઈક આહાર બનાવવા વિચાર્યું. ત્યારે સાધુએ કહ્યું કે, અમને નિમિત્ત આહાર કલ્પતો નથી.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy