SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૯૯ દૃષ્ટાંત ઉપનય સાધુએ પણ ક્ષુધાના ઉપશમનાદિ માટે ભિક્ષા માટે અટન કરે ત્યારે આહારની ગવેષણા સિવાય અન્ય કોઈ વસ્તુ કે સ્ત્રી આદિમાં દૃષ્ટિ કે ઉપયોગ રાખવો ન જોઈએ. ૦ આગમ સંદર્ભ -- પિંડનિ. ૨૪૭, ૨૪૮ + ; - X ( X ૦ દ્રવ્યપૂતિમાં મણિભદ્ર યક્ષાયતનનું દૃષ્ટાંત :– - સમિક્ષ નામે નગર હતું. નગર બહાર મણિભદ્રનું યક્ષાયતન હતું. કોઈ વખતે તે નગરમાં શીતળાનો વ્યાધિ ઉત્પન્ન થયો. ત્યારે કેટલાંકે માણિભદ્ર યક્ષની માનતા માની - જો અમે આ ઉપદ્રવથી મુક્ત થઈશું તો આઠમ આદિ તિથિએ તમારી ઉજવણી કરીશું. પછી તેઓ કોઈ પ્રકારે ઉપદ્રવથી મુક્ત થયા. તેઓ માનવા લાગ્યા કે આ યક્ષનો જ ચમત્કાર છે. ત્યારે તેઓએ દેવશર્મા નામના પુજારીને વેતનથી ત્યાં રાખ્યો અને કહ્યું કે, એક વર્ષ સુધી આઠમાદિ તિથિએ તારે અહીં યક્ષમંડપને લીંપણ આદિ કરી પવિત્ર રાખવો. તે પૂજારીએ તે વાત સ્વીકાર કરી. કોઈ દિવસે આજે ઉજમણી છે એમ જાણીને તે સભાને લીંપવા માટે સૂર્યોદય પહેલાં જ કોઈ ગાયના વાડામાં છાણ લેવા માટે પ્રવેશ્યો. તે વખતે કોઈ નોકરે અજીર્ણ થવાથી તે જ વાડામાં દુર્ગંધી અજીર્ણની વિષ્ટા કરેલી હતી. ત્યાં અકસ્માત જ કોઈ ભેંશે આવીને છાણનો પોડો મૂકેલો હતો. દેવશર્મા ત્યાં આવ્યો. પોડા વડે ઢાંકાએલી અજીર્ણ વિષ્ટાને તેણે જાણી નહીં. તેથી એ જ રીતે પોડા સહિત તેને ગ્રહણ કરી લીધી. પછી યક્ષમંડપને લિંપ્યો. ઉજમણી માટે આવેલા માણસો જેટલામાં ત્યાં જમવા માટે બેઠા કે તુરંત અત્યંત દુર્ગંધ આવવા લાગી. ત્યારે દેવશર્માને પૂછયું કે, આ દુર્ગંધ ક્યાંથી આવે છે ? તેણે કહ્યું, આ વિષયે હું કંઈ જાણતો નથી. ત્યારે તેઓએ સારી રીતે તપાસ કરતા લીંપણમાં વાલ આદિના કણિયા જોયા, મદિરાની ગંધ જાણી, તેથી ખબર પડી કે લીંપણમાં વિષ્ઠા ભળેલી છે. ત્યારે સર્વે ભોજનને અશુચિ જાણીને ત્યાગ કર્યો. લીંપણને મૂળ સહિત ઉખેડી નાંખીને બીજા છાણ વડે સભાને લીંપી. બીજા ભોજનાદિક તૈયાર કરાવ્યા. આ દ્રવ્યપૂતિનું દૃષ્ટાંત છે. ઉદ્ગમ કોટિના અવયવ માત્રથી મિશ્ર અશનાદિક શુદ્ધ હોવા છતાં દૂષિત થાય છે, માટે તેનો ત્યાગ કરવો. ૦ આગમ સંદર્ભ : પિંડનિ. ૨૬૯, ૨૭૦ + ; ―― X-X ૦ પરભાવક્રીત દોષમાં દેવશર્મા મંખનું દૃષ્ટાંત : શાલિગ્રામ નામે ગામે દેવશર્મા નામે મંખ રહેતો હતો. તેને ત્યાં વર્ષાકાળે કોઈ વખતે સાધુઓ ચોમાસુ રહ્યા. ત્યારે તે મંખ સાધુની ક્રિયાને તથા રાગદ્વેષ રહિતપણાને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy