SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દાંત ઉપનય ૧૯૭ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા હતા. કોઈ વખતે પારણાના દિવસે પાસેના ગામમાં વહોરવા ગયા, જેથી તેને માટે કોઈ આધાકર્મી આહાર ન બનાવે. તે ગામમાં યશોમતી શ્રાવિકા હતી. તેણીએ લોક મુખેથી સાંભળેલ કે આજે પ્રિયંકરમુનિને માસક્ષમણના પારણાનો દિવસ છે. તેથી તેણીએ તે દિવસે “કદાચ આ તપસ્વી માટે ત્યાં પારણા માટે પધારે” એવી બુદ્ધિએ શાલિના ઓદનની ઉત્તમ ખીર રાંધી. ત્યારપછી “કદાચ આધાકર્મની શંકાથી સાધુ ન લે તો ?" એમ વિચારી તેણીએ શરાવલામાં બાળકોને થોડી થોડી ખીર આપી શીખવી રાખ્યું કે, જો કોઈ તપસ્વી સાધુને આવતા જુઓ તો બોલવા લાગજો કે, હે માતા ! અમે તો ઘણી ખીર ખાધી છે હવે અમે ખાઈ શકતા નથી. પછી હું તમને ઠપકો આપે ત્યારે ફરી બોલજો કે, માતા ! તું રોજ ખીર જ કેમ બનાવે છે ? તે તપસ્વીમુનિ ભિક્ષાર્થે ભ્રમણ કરતા-કરતા તેણીને ઘેર આવ્યા. તે વખતે મનોમન પરમ ઉલ્લાસ પામી. પછી બાળકો તેમને શીખવ્યા પ્રમાણે બોલવા લાગ્યા. તેથી તેણીએ સાધુને કહ્યું, આ બાળકોને ખીર રચતી નથી, આપને ખપ આવે તો લઈ જાઓ. ત્યારે તે સાધુએ શંકારહિત થઈને ખીર ગ્રહણ કરી, તેણીએ પણ ભક્તિ વત્સલતાથી ખીર વડે પાત્ર ભરી દીધું. - સાધુએ શંકારહિત અને વિશુદ્ધ અધ્યવસાયવાળા થઈ તે ખીર લઈને કોઈ વૃક્ષની નીચે ગયા. ઇર્યાપથ પ્રતિક્રમણ કર્યું. પછી સ્વાધ્યાયાદિ કરી ભાવના કરવા લાગ્યા કે મને આજે ઉત્તમ એવું ખીરનું ભોજન મળેલ છે, જો કોઈ સાધુ આવે તો સંવિભાગ કરું. આ પ્રકારે તે ઉત્તમોત્તમ ભાવના ભાવવા લાગ્યા. પછી મૂછરહિતપણે તેમણે આ ખીરને વાપરી. પણ વૃદ્ધિ પામતા વિશુદ્ધ અધ્યવસાયવાળા થકી તેઓ કેવળજ્ઞાનને પામ્યા. આ રીતે આહાર અશુદ્ધ હોવા છતાં પરિણામની શુદ્ધિ અને ભગવંતની આજ્ઞાની આરાધના કરવાના વિશુદ્ધ ભાવોથી આધાકર્મી આહાર વાપરવા છતાં શુદ્ધ પરિણામો થકી કેવળજ્ઞાન થયું. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૨૩૧ થી ૨૩૩ + : – ૪ – ૪ – ૦ આજ્ઞા આરાધના અને ખંડન વિષયે ઉદ્યાનગમન-દૃષ્ટાંત : ચંદ્રાનના નગરી હતી. ત્યાં ચંદ્રાવતંસક રાજા હતો, ત્રિલોકરેખા નામે રાણી હતી. તે રાજાને બે ઉદ્યાન હતા. સૂર્યોદય અને ચંદ્રોદય. કોઈ વખતે વસંતઋતુમાં પોતાના અંતઃપુર સહિત તે રાજા ક્રિડાયેં સૂર્યોદય ઉદ્યાનમાં જવા વિચાર્યું. ત્યારે નગરમાં ઘોષણા કરાવી કે કોઈએ સૂર્યોદય ઉદ્યાનમાં જવું નહીં. ઘાસ–લાકડા વગેરે માટે જવું પડે તો ચંદ્રોદય ઉદ્યાનમાં જવું. ત્યારપછી રાજાએ સૂર્યોદય ઉદ્યાનના રક્ષકોને આજ્ઞા કરી કે આ ઉદ્યાનમાં કોઈને પ્રવેશ કરવા દેવો નહીં. રાત્રે રાજાને વિચાર આવ્યો કે, સૂર્યોદય ઉદ્યાન પૂર્વ સન્મુખ છે. તેથી મધ્યાહ્ન પર્યત સૂર્ય સામો આવશે. તેથી હું ચંદ્રોદય ઉદ્યાનમાં જઈશ. રાજા પ્રાત:કાળે ચંદ્રોદય ઉદ્યાનમાં ગયો.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy