SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૬ હતું. કોઈ વખતે તે વણિક પોતાની દુકાને ગયો. તે વખતે ભિક્ષાભ્રમણ કરતા કોઈ અકોવિદ—ભદ્રિક સાધુએ તેના ઘેર પ્રવેશ કર્યો. ત્યારે ગ્રામણી ભાર્યા તેમને આપવા શાલિઓદન લાવી. સાધુએ આધાકર્મ દોષની શંકા નિવારવા તેણીને પૂછ્યું કે, હે શ્રાવિકા! આ શાલિ ક્યાંના છે. તેણીએ કહ્યું વણિકને ખબર. ૧૯૬ ત્યારે તે સાધુ શાલિ ઓદન ગ્રહણ ન કરીને બજારે ગયો, ત્યાં વણિકને પૂછ્યું, ત્યારે વણિકે કહ્યું, મગધ દેશની સીમાએ ગોબર નામના ગામથી આ શાલિ આવે છે તે સાંભળી તે સાધુ ગોબરગામ તરફ ચાલ્યા. વળી માર્ગમાં તેને શંકા થઈ કે કોઈ શ્રાવકે આ માર્ગ સાધુને માટે કર્યો હશે. આધાકર્મની શંકાથી તે ઉન્માર્ગે ચાલ્યો. તે વખતે ઉન્માર્ગમાં સર્પ, કાંટા અને શિકારી પશુઓ વડે તે ઉપદ્રવ પામ્યો. તે કોઈ દિશા જાણતો ન હતો. તથા આધાકર્મની શંકાથી વૃક્ષની છાયાનો પણ ત્યાગ કરવાથી મસ્તક પર સૂર્યનો તાપ પામીને મૂર્છા પામ્યો. ઘણો જ વ્યથિત થયો. આ પ્રમાણે અવિધિએ આધાકર્માદિ દોષનો ત્યાગ કરવાથી જ્ઞાનાદિકનો ભાગી થતો નથી. તેથી દ્રવ્ય, કુળ, દેશ અને ભાવને આશ્રીને વિધિ પ્રમાણે દોષનો ત્યાગ કરવો. ♦ આગમ સંદર્ભ : પિંડનિ. ૨૨૦ થી ૨૨ + ; X ૦ ભોજન શુદ્ધ—પરિણામ અશુદ્ધ સંઘ ભોજનનું દૃષ્ટાંત :-- શતમુખ નામે નગર હતું. ત્યાં ગુણચંદ્ર શ્રેષ્ઠી રહેતો હતો. તેને ચંદ્રિકા નામે પત્ની હતી. જિનશાસનાનુરાગી એવા તેણે ઉન્નત શિખરવાળું જિનચૈત્ય કરાવ્યું. તેમાં ઋષભદેવની પ્રતિમા સ્થાપન કરાવી. ત્યારપછી તેણે સંઘભોજન આપવાનું પ્રારંભ્યું. તે વખતે નીકટના ગામમાં કોઈ સાધુવેષનો વિડંબક સાધુ હતો. તેણે લોક પરંપરાએ સંઘભોજનની વાત સાંભળી. તે વખતે તે સાધુ સંઘ ભોજન લેવા આવ્યો. સંઘ ભોજન તો અપાઈ ગયું હતું. તેથી તે સાધુએ શ્રેષ્ઠી પાસે યાચના કરી. ત્યારે શ્રેષ્ઠીએ ચંદ્રિકાને કહ્યું કે, આ સાધુને ભોજન આપ. તેણીએ કહ્યું કે, સર્વ કંઈ અપાઈ ગયું છે. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે, મારી પોતાની રસોઈમાંથી આપ. ત્યારે તેણીએ પરિપૂર્ણ ભોજન આપ્યું. પછી આ સંઘનું ભોજન છે એવી બુદ્ધિથી તેને ગ્રહણ કરી ઉપાશ્રયે જઈને વાપર્યું. ત્યારે તે સાધુએ શુદ્ધ ભોજન વાપર્યું હોવા છતાં પરિણામથી તો તે અશુદ્ધ ભોજન જ હતું. અશુદ્ધ અધ્યવસાય હોવાથી તે સાધુને કર્મનો બંધ થયો. કેમકે ભોજન શુદ્ધ પણ પરિણામ અશુદ્ધ હતા. ♦ આગમ સંદર્ભ પિંડનિ ૨૩૦ + $; - X X X ૦ ભોજન અશુદ્ધ પણ પરિણામ શુદ્ધે—ખીરભોજન દૃષ્ટાંત : પોતનપુર નગર હતું. ત્યાં ૫૦૦ સાધુથી પરિવરેલા ઉદ્યત વિહારી રત્નાકર નામે આચાર્ય ભગવંત પધાર્યા. તેમાં પ્રિયંકર નામે એક તપસ્વી સાધુ પણ હતા. તે નિરંતર
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy