SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૯૫ જ્યારે સાધુઓને નિશ્ચય થયો કે, આ આધાકર્મ દોષવાળા જ ઓદન છે ત્યારે તે સર્વે ઘરોનો ત્યાગ કરીને બીજા ઘરોમાં ભિક્ષા માટે અટન કરવા લાગ્યા. જેઓને ત્યાં પર્યાપ્ત ગૌચરી ન મળી તે બીજા ગામમાં ભિક્ષાને માટે નીકળ્યા. આ પ્રમાણે આધાકર્મ દોષનો સંભવ જણાય ત્યાં સાધુઓએ ભિક્ષાદિ ગ્રહણ કરવા ન જોઈએ. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૧૮૪ થી ૧૮૯ + 4 ૦ આધાકર્મીના અભોજ્યત્વમાં બિલાડાના માંસનું દાંત : વક્રપુર નામે નગર હતું. ત્યાં ઉગ્રતેજા નામે સિપાઈ રહેતો હતો. તેને રૂકિમણી નામે પત્ની હતી. કોઈ વખતે ઉગ્રતેજાનો મોટો ભાઈ સોદાસ તેમને ત્યાં પરોણા તરીકે આવ્યો. ત્યારે ઉગ્રતેજાએ માંસ ખરીદીને પત્નીને આપ્યું. રૂકિમણી કામકાજમાં વ્યસ્ત હતી. ત્યાં બિલાડો માંસ ખાઈ ગયો. એટલામાં ઉગ્રતેજા અને સોદાસને ભોજનનો સમય થઈ, રુકિમણી વ્યાકુળ થઈ ગઈ. તે વખતે કોઈ મરેલા કાપેટિકનું માંસ કોઈ કૂતરાએ ભક્ષણ કરીને તેણીના ઘરના આંગણામાં રુકિમણીના દેખતાં જ વમન કરી ગયો. તેણીએ વિચાર્યું કે બીજું માંસ ખરીદવા જઈશ તો ઘણું મોડું થઈ જશે. તેથી આ જ માંસને ધોઈને મસાલો નાંખીને પકાવી દઉં. તેટલામાં સોદાસ અને ઉગ્રતેજા ભોજન કરવા બેઠા. તેણીએ તે માંસ પીરસ્યું. ત્યારે ઉગ્રતેજાએ ગંધાદિ વિશેષથી જાણ્યું કે, આ તો વમન કરેલું માંસ છે. તેણે ધમકાવીને રુકિમણીને પૂછ્યું, ત્યારે ભયભીત થયેલી રુકિમણીએ સત્ય હકીકત કહી દીધી. ત્યારે તેઓએ તે માંસનોત્યાગ કરી રુકિમણીને ઠપકો આપીને ફરીથી બીજું માંસ લાવીને રંધાવ્યું અને તે ખાધું. દષ્ટાંત ઉપનય – જે રીતે કૂતરાએ વમેલ માંસ સંસ્કાર્યા પછી પણ ખાવા લાયક થાય ખરું ? એ પ્રમાણે આધાકર્મ પણ અભોજ્ય છે. કોઈ આચાર્ય આ દૃષ્ટાંતને જુદી રીતે વર્ણવતા કહે છે કે, રુકિમણીના ઘેર અતિસારના વ્યાધિથી પીડાતો કોઈ કાર્યાટિક આવેલો. તેણે અતિસારના વ્યાધિથી ઠલ્લામાં માંસના કકડા કાઢ્યા. તે વખતે તેને જ ધોઈ, સંસ્કારિત કરી રુકિમણીએ રાંધેલા. આ વૃત્તાંત ઉગ્રતેજાની પત્નીના પુત્ર ગુણમિત્રે જાણ્યો હતો. તેણે ભોજન વેળા પોતાના પિતા અને કાકાને અટકાવ્યા અને સાચો વૃત્તાંત જણાવી તે ન ખાવા કહ્યું. આ રીતે જેમ નિષ્ઠાગત માંસ અભોજ્ય છે તેમ આધાકર્મ ભોજન પણ સાધુસાધ્વીને અભોજ્ય છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૨૧૪, ૨૧૫ + 4 – ૪ – ૪ – ૦ અવિધિ પરિહરણમાં શાલિનું દૃષ્ટાંત : શાલિગ્રામ નામક ગામે ગામણી નામે વણિક હતો. તેની પત્નીનું નામ પણ ગ્રામણી
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy