SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ આગમ કથાનુયોગ-૬ તેમને ધન્ય માને છે અને કેટલાંક ધિક્કારે છે. ત્યારે ભગવંતે નિષેધ કરેલા ભોજન કરનારની અનુમોદના કરનારા પણ કર્મથી બંધાય છે. તેથી તે નિગ્રહને લાયક છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ. ૧૪૯ + : ૦ આઘાકર્મ સંભવ દોષમાં શાલિનું દૃષ્ટાંત : સંકુલ નામે એક ગામ હતું. ત્યાં જિનદત્ત શ્રાવક રહેતો હતો. જિનમતિ તેમની પત્ની હતી. તે ગામમાં કોદરા અને રાલક ઘણાં ઉત્પન્ન થતા. તેથી તેનો જ ક્રૂર ઘેરઘેર અટન કરનારા સાધુઓને પ્રાપ્ત થતો હતો. વસતિ પણ સ્ત્રી, પશુ, પંડક આદિ રહિત હતી. તેમજ કષ્ય હતી. ત્યાં સ્વાધ્યાય પણ વિનરહિત થતો હતો. માત્ર ત્યાં શાલિ ઓદન પ્રાપ્ત થતા ન હતા. કોઈ વખતે તે સંકુલ ગામની નજીક ભકિલ નામના ગામમાં કોઈ આચાર્ય મહારાજ પધાર્યા. તેમણે સંકુલ ગામે ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષણા માટે સાધુઓને મોકલ્યા. સાધુઓએ ત્યાં આવીને યથાવિધિ જિનદત્ત શ્રાવક પાસે વસતિ માંત્રી. જિનદત્ત પણ સાધુદર્શનથી હર્ષિત થયેલા હૃદયે તેઓને કષ્ય વસતિ દેખાડી. સાધુ ત્યાં રહ્યા. શાસ્ત્રોક્ત રીતે ભિક્ષાટન કરવા પડે અને બહિર્ભુમિને વિશે આખા ગામની પ્રત્યુપ્રેક્ષણા કરી. જિનદત્ત શ્રાવકે પણ વસતિમાં આવીને યથાવિધિ સર્વ સાધુઓને વંદના કરી, મહત્તરક સાધુને પૂછ્યું કે, તમને વસતિ યોગ્ય લાગી ? ત્યારે તે મહત્તરક સાધુએ કહ્યું, “વર્તમાન યોગ”. ત્યારે જિનદત્તને લાગ્યું કે, આ ક્ષેત્ર આ સાધુઓને પસંદ પડેલ લાગતું નથી. ત્યારે તેણે વિચાર્યું કે, બીજા સાધુઓ પણ અહીં આવે છે, છતાં અહીં કોઈ રહેતું કેમ નથી ? એમ વિચારીને તેણે કોઈ સરળ સાધુને પૂછયું, ત્યારે તેણે સત્ય વૃત્તાંત જણાવ્યો. આ ક્ષેત્ર સર્વ પ્રકારે યોગ્ય છે, પણ અહીં આચાર્ય મહારાજને યોગ્ય શાલિ ઓદન મળતા નથી, તેથી અહીં રહેવા યોગ્ય બનતું નથી. પછી આ કારણ જાણીને તે જિનદત્ત શ્રાવકે બીજા ગામમાંથી શાલિના બીજ લાવીને પોતાના ગામના ખેતરમાં વવરાવ્યા. તેથી ઘણા શાલી ઉત્પન્ન થયા. કોઈ વખતે વિહાર કરતા ત્યાં સાધુઓ પધાર્યા. તે વખતે તે શ્રાવકે વિચાર્યું કે, આ સાધુઓને મારે શાલિ ઓદન આપવા. જેથી આ ક્ષેત્ર આચાર્ય મહારાજને યોગ્ય છે, એમ જાણીને આચાર્યાદિ સાધુ અહીં પધારે. વળી જો માત્ર મારે ત્યાં શાલિ ઓદન મળશે તો તેમને આધાકર્મની શંકા ઉત્પન્ન થશે. તેથી સર્વે સ્વજનોને ત્યાં પણ શાલિ મોકલી દઉં. સ્વજનોને પણ શાલિ ઓદન રાંધવા સૂચના આપી. આ સર્વ વૃત્તાંત બાળકોએ પણ જાણ્યો. એષણા સમિતિયુક્ત સાધુ ભિક્ષા માટે અટન કરતા હતા ત્યારે બાળકોના વચનો સાંભળ્યા કે, આ શાલિ ઓદન તે સાધુ આવ્યા માટે રંધાયા છે, મારી માતાએ ખાવા માટે આપ્યા છે – ઇત્યાદિ – આવી, આવી વાતો સાંભળીને સાધુઓએ વિચાર્યું કે, આ બાબતે નિશ્ચય કરવો જરૂરી છે.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy