SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૯૩ ત્યારે ક્રોધિત થયેલા રાજાએ પોતે જ પલ્લી ગ્રહણ કરી તે વખતે ત્યાં વસતા વણિગુજનોએ અમે ચોર નથી, તેથી રાજા અમને કંઈ જ નહીં કરે એમ માની ત્યાંથી નાસી ન ગયા. પણ રાજાએ તેઓને પણ પકડી લીધા. ત્યારે તેઓએ વિનંતી કરી કે, હે દેવ ! અમે વણિક છીએ, ચોર નથી. તે સાંભળી રાજાએ કહ્યું કે, તમે ચોર કરતા પણ અધિક અપરાધી છે. કેમકે તમે અમારા અપરાધી એવા ચોરોની સાથે રહો છો. દષ્ટાંત ઉપનય – આધાકર્મનું ભોજન કરનારની સાથે સંવાસ કરવો તે પણ દોષનું કારણ છે. કેમકે આધા કર્મના ત્યાગીને પણ દર્શન, ગંધ અને પરિકથા એ ત્રણે ભાવો સંવાસથી વાસિત કરે છે. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૧૪૭ + વૃ; – ૪ – ૪ – ૦ અનુમોદના દોષમાં રાજદુષ્ટનું દૃષ્ટાંત : શ્રીનિલય નામે નગર હતું. તેમાં ગુણચંદ્ર રાજા હતો. ગુણવતી રાણી આદિ અંતઃપુર હતું. તે નગરમાં સુરૂપ નામે વણિક રહેતો હતો. તે ઘણો જ સ્વરૂપવાન્ હતો. સુંદર સ્ત્રી તેનામાં આસક્ત રહેતી. તે પણ પર સ્ત્રીની લાલસાવાળો હતો. કોઈ વખતે રાજાના અંતઃપુર પાસેથી તે પસાર થયો ત્યારે અંતઃપુરની સ્ત્રીઓએ તેને રાગથી નીહાળ્યો. તેણે પણ તેઓની અભિલાષા સહિત દષ્ટિ કરી. તેથી પરસ્પર પ્રીતિ થઈ. પછી દૂતીની મદદથી તે હંમેશાં ત્યાં જઈને રાણીઓને ભોગવવા લાગ્યો. કેટલેક કાળે રાજાએ આ વૃત્તાંત જાણ્યો. તેથી જ્યારે તે અંતઃપુરમાં પ્રવેશ્યો ત્યારે રાજપુરષો પાસે તેને પકડાવી દીધો. પછી જે આભરણોથી વિભૂષિત થઈને તે અંતઃપુરમાં પ્રવેશ કરતો હતો. તે જ આભરણો સહિત નગર મધ્યે ચૌટા ઉપર સર્વલોકોની સમક્ષ વિચિત્ર કદર્થનાપૂર્વક તેને મારી નાંખ્યો. તે રાજા અંતઃપુરની દુષિતતાથી મનમાં અત્યંત ખેદ પામેલો હતો. તેથી સુરૂપને મારવા છતા તેનો રોષ ઘટતો ન હતો. તેથી તેણે બાતમીદારોને મોકલ્યા અને કહ્યું કે, તે દુરાત્મા વણિકની જેઓ પ્રશંસા કે નિંદા કરતા હોય, તે સર્વે મને જણાવો. ત્યારે તે ચરપુરુષો કાપેટિકના વેષે સમગ્ર નગરમાં ફરવા લાગ્યા. ત્યારે કેટલાક પુરુષો બોલતા હતા કે, જન્મેલા મનુષ્ય અવશ્ય કરવાનું તો છે જ, પણ જે રાણીઓ આપણને જોવા પણ મળતી નથી, તે રાણીને આ વણિકે દીર્ધકાળ ભોગવીને મર્યો તેને ધન્ય છે. કેટલાંક નગરજનો એ પ્રમાણે બોલતા હતા કે, આ બંને લોકથી વિરુદ્ધ કાર્ય કરનારા હોવાથી તેઓ અધન્ય છે. કેમકે રાજરાણી તો માતા તુલ્ય છે. તેથી તેની સાથે સંચરનારો આ પુરુષ કઈ રીતે પ્રશંસાને પાત્ર બની શકે ? ત્યારે તે ચરપુરુષોએ આ બંને પ્રકારના પુરુષોનો વૃત્તાંત રાજાને જણાવ્યો. ત્યારે રાજાએ જેઓ તેની નિંદા કરનારા હતા. તેમને સારી બુદ્ધિવાળા છે એમ જાણી તેમનું બહુમાન કર્યું અને જેમણે સુરુપ વણિકની અનુમોદના કરી તેમને મારી નાંખ્યા. ૦ દષ્ટાંત ઉપનય - આધાકર્મ ભોજન કરનાર સાધુ-સાધ્વીને જોઈને કેટલાંક
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy