SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૬ ત્યારપછી તે અશ્વો અનેક પ્રકારે દુઃખ પ્રાપ્ત થયા. આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો! જે સાધુ-સાધ્વી દીક્ષિત થઈને પ્રિય શબ્દાદિ વિષયોમાં ગૃદ્ધ, મુગ્ધ, આસક્ત થાય છે. તેઓ આ લોકમાં અનેક શ્રમણ-શ્રમણી, સાધુસાધ્વીના અવહેલના પાત્ર થાય છે અને ચાતુર્ગતિક સંસારમાં પુનઃ પુનઃ ભ્રમણ કરે છે. ૦ ઇન્દ્રિય નિગ્રહનો ઉપદેશ : શ્રુતિ સુખદ વીણા, તલતાલ, વાંસળીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દોમાં અનુરક્ત અને શ્રોત્રેન્દ્રિય વશવર્તી જીવો આનંદ માને છે પણ શ્રોત્રેન્દ્રિયની દુર્દાન્તતાનો દોષ એ છે કે તીતરના શબ્દને સહન ન કરતો પારધી તેને વધ અને બંધનમાં નાંખે છે. ચલુઇન્દ્રિય વશીભૂત અને રૂપોમાં અનુરુક્ત પુરુષ સ્ત્રીઓના સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્રોમાં ગર્વિષ્ઠ બનેલી સ્ત્રીઓની વિલાસ યુક્ત ગતિમાં રમણ કરે છે પણ ચઇન્દ્રિયની દુર્દાન્તતાનો દોષ એ છે કે પતંગ જલતી આગમાં જઈને પડે છે. સુગંધમાં અનુરક્ત અને પ્રાણેન્દ્રિય વશવર્તી પ્રાણી શ્રેષ્ઠ અગર, ધૂપ, માલ્ય અને અનુલેપન વિધિમાં રમણ કરે છે, પણ ધ્રાણેન્દ્રિયની દુર્દાન્તતાનો દોષ એ છે કે ગંધ પ્રિય સર્પ બિલમાંથી નીકળી પકડાય છે. રસમાં આસક્ત અને જિલૅન્દ્રિય વશવર્તી પ્રાણી પાંચ પ્રકારના રસયુક્ત અનેક ખાદ્ય, પેય, લેહ્ય પદાર્થોમાં આનંદ માને છે. પણ જિલૅન્દ્રિયની દુર્દાન્તતાનો દોષ એ છે કે ગલમાં લગ્ન થઈને જળથી બહાર ખેંચાયેલ મત્સ્ય સ્થળમાં ફેંકાઈને તડપવા લાગે છે. સ્પર્શનેન્દ્રિય વશીભૂત જીવો તેને અધીન થઈ પીડિત થઈને વિભિન્ન ઋતુઓમાં સેવન કરવાથી સુખોત્પાદક વૈભવસહિત, મનને સુખ દેનારા માળા, સ્ત્રી આદિમાં રમણ કરે છે, સ્પર્શનેન્દ્રિયની દુર્દાન્તતાનો દોષ એ છે કે લોહઅંકુશ હાથીના મસ્તકને પીડે છે. જેઓ કલ, રિભિત અને મધુર તંત્રી, તલતાલ તથા વાંસળીના શ્રેષ્ઠ અને મનોહર વાદ્યોના શબ્દમાં અનાસક્ત વશાર્તમરણે મરતા નથી. સ્ત્રિઓના સ્તન, જઘન, મુખ, હાથ, પગ, નયન તથા ગર્વિષ્ઠ, વિલાસ ગતિ આદિ સમસ્તરૂપોમાં અનાસક્ત વાર્તમરણે મરતા નથી. ઉત્તમ અગર, શ્રેષ્ઠ ધૂપ, પુષ્પમાળા તથા શ્રીખંડ આદિના લેપનની ગંધમાં અનાસક્ત વશાર્તમરણે મરતા નથી. પસ ખાદ્ય, પેય, લેહ્ય પદાર્થોમાં અનાસક્ત વશારૂં મરણે મરતા નથી. વિભિન્ન ઋતુઓમાં સેવનથી સુખ દેનારા, વૈભવસહિત, મનને આનંદ દેનારા સ્પર્શમાં અનાસક્ત વશા મરણે મરતા નથી. સાધુઓએ ભદ્રા શ્રોત્રના વિષય શબ્દ પર, શુભાશુભરૂપ ચક્ષુના વિષય મળે ત્યારે, ધ્રાણેન્દ્રિયને પ્રાપ્ત શુભાશુભ ગંધમાં, જિ હેન્દ્રિયને પ્રાપ્ત શુભાશુભ રસોમાં અને સ્પર્શનેન્દ્રિયના વિષય બની પ્રાપ્ત શુભ અથવા અશુભ સ્પર્શોમાં સાધુએ કદાપી તુષ્ટ કે રાષ્ટ ન થવું જોઈએ. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૮૪ થી ૨૦૬;
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy